સિંહ તો ઘાસ ન ખાય પણ, હર્ષદ રીબડિયા ખાઈ ગયા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:12:22

હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા ફેંકવાના બાકી રાખ્યા છે. બની શકે છે કે તેઓ ભાજપમાં જ જોડાય. દિવાળી પહેલા જ કમલમમાં ફટાકડા ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. પણ સૌથી પહેલા આ જોઈ લો કે રીબડિયા અત્યાર સુધીમાં ભાજપને શું કહેતા હતા?


રીબડિયાએ ભાજપને ભાંડવામાં કંઈ કસર નથી છોડી


હવે એ પણ જાણીએ કે આખરે ભાજપને ઓપરેશન રિબડીયાની જરૂર કેમ પડી.....


ભાજપને કેમ જોઈએ છે હર્ષદ રીબડિયા?

કારણ નંબર 1

જૂનાગઢની 5 બેઠકો પૈકી ભાજપ 2017માં માત્ર કસમ ખાવા પૂરતી એક જ બેઠક પર જીત્યું હતું અને કોંગ્રેસે અન્ય 4 બેઠકો પોતાના નામે કરી હતી. જેથી ભાજપે પોતાના સોગઠાં બેસાડવા રિબડીયાની ચૂંટણીના સમય પહેલા વિકેટ પાડી છે. 

કારણ નંબર 2

જૂનાગઢ જિલ્લાની આ બેઠક પર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ચૂંટણી લડતા અને જીતતા હતા. કેશુ બાપાએ 2012માં GPPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. જો કે ત્યાર બાદ 2017માં વીસાવદર બેઠક પાટીદાર આંદોલનના સહારે સીધી કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

કારણ નંબર 3

અંદાજે સવા લાખ જેટલા પાટીદાર મતદારો અહીંયા નિર્ણાયક છે અને આ વખતે આંદોલનો નથી કે પાટીદારોના મતોનું સીધું ધ્રુવીકરણ થાય. એવામાં પાટીદારો પણ ભાજપની સાથે જ છે તેવી રીતે ભાજપ જોઈ રહ્યું છે. 

કારણ નંબર 4 

જૂનાગઢ એક સમયે ખેડૂતોની પરસેવાની જણસ મગફળીના કૌભાંડનું કેન્દ્ર હતું અને આ કૌભાંડોની બૂમ કિસાન કોંગ્રેસની સાથે ખેડૂત નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા પડાવી રહ્યા હતા અને એક કોંગ્રેસમાં રહેલો ખેડૂતોનો અવાજ હવે કાયમી ધોરણે ભાજપમાં ભળી જાય. 


પણ ભાજપના આ ઓપરેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? 

ભાજપને 2017માં સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભરપાR કરવું છે અને સૌરાષ્ટ્રનો જનાધાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતો હોય તેવું ભાજપને સપનું આવી ચૂક્યું છે. એટલે જ અમરેલી અને જૂનાગઢમાં ઘૂસવા માટે વીસાવદરથી રસ્તો શોધી કાઢ્યો છે અને હવે નજર અન્ય ધારાસભ્યો પર પણ છે. રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી સુધી કમલમમાં ભરતી મેળાની આતશબાજી થતી રહેવાની છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.