સિંહ તો ઘાસ ન ખાય પણ, હર્ષદ રીબડિયા ખાઈ ગયા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:12:22

હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા ફેંકવાના બાકી રાખ્યા છે. બની શકે છે કે તેઓ ભાજપમાં જ જોડાય. દિવાળી પહેલા જ કમલમમાં ફટાકડા ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. પણ સૌથી પહેલા આ જોઈ લો કે રીબડિયા અત્યાર સુધીમાં ભાજપને શું કહેતા હતા?


રીબડિયાએ ભાજપને ભાંડવામાં કંઈ કસર નથી છોડી


હવે એ પણ જાણીએ કે આખરે ભાજપને ઓપરેશન રિબડીયાની જરૂર કેમ પડી.....


ભાજપને કેમ જોઈએ છે હર્ષદ રીબડિયા?

કારણ નંબર 1

જૂનાગઢની 5 બેઠકો પૈકી ભાજપ 2017માં માત્ર કસમ ખાવા પૂરતી એક જ બેઠક પર જીત્યું હતું અને કોંગ્રેસે અન્ય 4 બેઠકો પોતાના નામે કરી હતી. જેથી ભાજપે પોતાના સોગઠાં બેસાડવા રિબડીયાની ચૂંટણીના સમય પહેલા વિકેટ પાડી છે. 

કારણ નંબર 2

જૂનાગઢ જિલ્લાની આ બેઠક પર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ચૂંટણી લડતા અને જીતતા હતા. કેશુ બાપાએ 2012માં GPPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. જો કે ત્યાર બાદ 2017માં વીસાવદર બેઠક પાટીદાર આંદોલનના સહારે સીધી કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

કારણ નંબર 3

અંદાજે સવા લાખ જેટલા પાટીદાર મતદારો અહીંયા નિર્ણાયક છે અને આ વખતે આંદોલનો નથી કે પાટીદારોના મતોનું સીધું ધ્રુવીકરણ થાય. એવામાં પાટીદારો પણ ભાજપની સાથે જ છે તેવી રીતે ભાજપ જોઈ રહ્યું છે. 

કારણ નંબર 4 

જૂનાગઢ એક સમયે ખેડૂતોની પરસેવાની જણસ મગફળીના કૌભાંડનું કેન્દ્ર હતું અને આ કૌભાંડોની બૂમ કિસાન કોંગ્રેસની સાથે ખેડૂત નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા પડાવી રહ્યા હતા અને એક કોંગ્રેસમાં રહેલો ખેડૂતોનો અવાજ હવે કાયમી ધોરણે ભાજપમાં ભળી જાય. 


પણ ભાજપના આ ઓપરેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? 

ભાજપને 2017માં સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભરપાR કરવું છે અને સૌરાષ્ટ્રનો જનાધાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતો હોય તેવું ભાજપને સપનું આવી ચૂક્યું છે. એટલે જ અમરેલી અને જૂનાગઢમાં ઘૂસવા માટે વીસાવદરથી રસ્તો શોધી કાઢ્યો છે અને હવે નજર અન્ય ધારાસભ્યો પર પણ છે. રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી સુધી કમલમમાં ભરતી મેળાની આતશબાજી થતી રહેવાની છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.