સિંહ તો ઘાસ ન ખાય પણ, હર્ષદ રીબડિયા ખાઈ ગયા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:12:22

હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા ફેંકવાના બાકી રાખ્યા છે. બની શકે છે કે તેઓ ભાજપમાં જ જોડાય. દિવાળી પહેલા જ કમલમમાં ફટાકડા ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. પણ સૌથી પહેલા આ જોઈ લો કે રીબડિયા અત્યાર સુધીમાં ભાજપને શું કહેતા હતા?


રીબડિયાએ ભાજપને ભાંડવામાં કંઈ કસર નથી છોડી


હવે એ પણ જાણીએ કે આખરે ભાજપને ઓપરેશન રિબડીયાની જરૂર કેમ પડી.....


ભાજપને કેમ જોઈએ છે હર્ષદ રીબડિયા?

કારણ નંબર 1

જૂનાગઢની 5 બેઠકો પૈકી ભાજપ 2017માં માત્ર કસમ ખાવા પૂરતી એક જ બેઠક પર જીત્યું હતું અને કોંગ્રેસે અન્ય 4 બેઠકો પોતાના નામે કરી હતી. જેથી ભાજપે પોતાના સોગઠાં બેસાડવા રિબડીયાની ચૂંટણીના સમય પહેલા વિકેટ પાડી છે. 

કારણ નંબર 2

જૂનાગઢ જિલ્લાની આ બેઠક પર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ચૂંટણી લડતા અને જીતતા હતા. કેશુ બાપાએ 2012માં GPPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. જો કે ત્યાર બાદ 2017માં વીસાવદર બેઠક પાટીદાર આંદોલનના સહારે સીધી કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

કારણ નંબર 3

અંદાજે સવા લાખ જેટલા પાટીદાર મતદારો અહીંયા નિર્ણાયક છે અને આ વખતે આંદોલનો નથી કે પાટીદારોના મતોનું સીધું ધ્રુવીકરણ થાય. એવામાં પાટીદારો પણ ભાજપની સાથે જ છે તેવી રીતે ભાજપ જોઈ રહ્યું છે. 

કારણ નંબર 4 

જૂનાગઢ એક સમયે ખેડૂતોની પરસેવાની જણસ મગફળીના કૌભાંડનું કેન્દ્ર હતું અને આ કૌભાંડોની બૂમ કિસાન કોંગ્રેસની સાથે ખેડૂત નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા પડાવી રહ્યા હતા અને એક કોંગ્રેસમાં રહેલો ખેડૂતોનો અવાજ હવે કાયમી ધોરણે ભાજપમાં ભળી જાય. 


પણ ભાજપના આ ઓપરેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? 

ભાજપને 2017માં સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભરપાR કરવું છે અને સૌરાષ્ટ્રનો જનાધાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતો હોય તેવું ભાજપને સપનું આવી ચૂક્યું છે. એટલે જ અમરેલી અને જૂનાગઢમાં ઘૂસવા માટે વીસાવદરથી રસ્તો શોધી કાઢ્યો છે અને હવે નજર અન્ય ધારાસભ્યો પર પણ છે. રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી સુધી કમલમમાં ભરતી મેળાની આતશબાજી થતી રહેવાની છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .