પક્ષ પલટો કરનાર નેતાઓમાં હર્ષદ રિબડીયાનો પણ સમાવેશ, કોંગ્રેસ છોડનાર નેતા આવતી કાલે થશે ભાજપમાં સામેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:52:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ પોતાના ફાયદા માટે પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કહનાર મુખ્યત્વે નેતાઓ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા, આવતી કાલે કેસરિયો ધારણ કરવાના છે. 

દિલ્હીમાં ડખાં થતા ગુજરાત કોંગ્રેસ ધણીધોરી વિનાની, કોંગી MLA હર્ષદ રીબડિયાએ  પંજાનો કીધું અલવિદા - GSTV


કમલમ ખાતે યોજાઈ શકે છે સ્વાગત સમારોહ

વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને સોંપી દીધું હતું. તેમણે રાજીનામુ આપતા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો છેડો ફાળતા જ કોંગ્રેસ પ્રત્યે તેમની ભાવના બદલાઈ ગઈ છે. જે પાર્ટી તેમને શ્રેષ્ઠ લાગતી હતી એ પાર્ટી રાજીનામુ આપ્યા બાદ ખરાબ લાગવા લાગી છે. પાર્ટી છોડતા જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે પક્ષ પલટો કરનાર હર્ષદ રિબડીયા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે