પક્ષ પલટો કરનાર નેતાઓમાં હર્ષદ રિબડીયાનો પણ સમાવેશ, કોંગ્રેસ છોડનાર નેતા આવતી કાલે થશે ભાજપમાં સામેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:52:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ પોતાના ફાયદા માટે પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કહનાર મુખ્યત્વે નેતાઓ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા, આવતી કાલે કેસરિયો ધારણ કરવાના છે. 

દિલ્હીમાં ડખાં થતા ગુજરાત કોંગ્રેસ ધણીધોરી વિનાની, કોંગી MLA હર્ષદ રીબડિયાએ  પંજાનો કીધું અલવિદા - GSTV


કમલમ ખાતે યોજાઈ શકે છે સ્વાગત સમારોહ

વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને સોંપી દીધું હતું. તેમણે રાજીનામુ આપતા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો છેડો ફાળતા જ કોંગ્રેસ પ્રત્યે તેમની ભાવના બદલાઈ ગઈ છે. જે પાર્ટી તેમને શ્રેષ્ઠ લાગતી હતી એ પાર્ટી રાજીનામુ આપ્યા બાદ ખરાબ લાગવા લાગી છે. પાર્ટી છોડતા જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે પક્ષ પલટો કરનાર હર્ષદ રિબડીયા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.       



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.