હાર્વર્ડ રિટર્ન, AI Companyની મહિલા CEOએ ગોવામાં પુત્રની કરી હત્યા, અંતે પાપ પોકાર્યું, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-09 19:02:06

કર્ણાટકના ચિત્રદુર્ગમાં માનવતાને શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે, આ સમગ્ર મામલો એ છે કે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ કંપનીની મહિલા સીઈઓ (AI Firm CEO) સૂચના શેઠે તેના 4 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે તેને એક બેગમાં ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતું પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. આ મહિલા માઈન્ડફૂલ એઆઈ લેબની ફાઉન્ડર છે, જેને તેણે વર્ષ 2020માં શરૂ કરી હતી. 


આ રીતે થયો હત્યાનો પર્દાફાશ


AI Companyની CEO સૂચના સેઠ ગોવાના કેંડોલિમમાં એક હોટેલમાં તેના પુત્ર સાથે રોકાઈ હતી, પરંતું જ્યારે તે હોટેલ છોડીને નિકળી ત્યારે તેની સાથે તેનો પુત્ર નહોતો. મહિલાને એકલી જતી જોઈને હોટેલના સ્ટાફને શંકા થઈ હતી. જો કે સુચનાએ કહ્યું કે તેણે પોતાના પુત્રને પહેલાથી જ ઘરે મોકલી દીધો છે. મહિલાએ હોટેલથી ચેકઆઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ હોટલના રૂમની સફાઈ કરવા પહોંચ્યો ત્યારે ત્યાં લોહીના ડાઘ જોઈને દંગ રહી ગયો હતો, બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.

 

આ રીતે ઝડપાઈ મહિલા


હોટેલના સ્ટાફે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મહિલા જે ટેક્સીથી હોટેલમાંથી નિકળી હતી, તેના ટ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો હતો. પોલીસ સાથે વાત કર્યા બાદ તે ટેક્સી ડ્રાઈવર ટેક્સી લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસે ત્યાર બાદ તાત્કાલિક કાતિલ માતાની ધરપકડ કરી હતી, હવે પોલીસ મહિલાની પૂછપરછ કરીને હત્યાના કારણો શોધવાના પ્રયાસો કરી રહી છે. 


કોણ છે સુચના સેઠ?


સૂચના શેઠના લિંક્ડઇન એકાઉન્ટ પર નજર કરીએ તો, તેણે હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને AIને કાર્યરત કરવાની પધ્ધતીઓનો અભ્યાસ કર્યો હતો. આ પછી, વર્ષ 2020 માં, તેણે ધ માઇન્ડફુલ AI લેબની સ્થાપના કરી, જે AI આધારિત સ્ટાર્ટઅપ છે.  સૂચના સેઠ પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના સેક્ટરમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.


હત્યારી માતા સુચના શેઠની માઇન્ડફુલ AI લેબ ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. સૂચનાને આ સેક્ટરમાં 12 વર્ષનો અનુભવ છે અને તેના પુત્રની હત્યા જેવો જઘન્ય ગુનો કરનાર આ મહિલાને વર્ષ 2020માં AI એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.