હાર્વર્ડ રિટર્ન, AI Companyની મહિલા CEOએ ગોવામાં પુત્રની કરી હત્યા, અંતે પાપ પોકાર્યું, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-09 19:02:06

કર્ણાટકના ચિત્રદુર્ગમાં માનવતાને શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે, આ સમગ્ર મામલો એ છે કે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ કંપનીની મહિલા સીઈઓ (AI Firm CEO) સૂચના શેઠે તેના 4 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે તેને એક બેગમાં ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતું પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. આ મહિલા માઈન્ડફૂલ એઆઈ લેબની ફાઉન્ડર છે, જેને તેણે વર્ષ 2020માં શરૂ કરી હતી. 


આ રીતે થયો હત્યાનો પર્દાફાશ


AI Companyની CEO સૂચના સેઠ ગોવાના કેંડોલિમમાં એક હોટેલમાં તેના પુત્ર સાથે રોકાઈ હતી, પરંતું જ્યારે તે હોટેલ છોડીને નિકળી ત્યારે તેની સાથે તેનો પુત્ર નહોતો. મહિલાને એકલી જતી જોઈને હોટેલના સ્ટાફને શંકા થઈ હતી. જો કે સુચનાએ કહ્યું કે તેણે પોતાના પુત્રને પહેલાથી જ ઘરે મોકલી દીધો છે. મહિલાએ હોટેલથી ચેકઆઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ હોટલના રૂમની સફાઈ કરવા પહોંચ્યો ત્યારે ત્યાં લોહીના ડાઘ જોઈને દંગ રહી ગયો હતો, બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.

 

આ રીતે ઝડપાઈ મહિલા


હોટેલના સ્ટાફે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મહિલા જે ટેક્સીથી હોટેલમાંથી નિકળી હતી, તેના ટ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો હતો. પોલીસ સાથે વાત કર્યા બાદ તે ટેક્સી ડ્રાઈવર ટેક્સી લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસે ત્યાર બાદ તાત્કાલિક કાતિલ માતાની ધરપકડ કરી હતી, હવે પોલીસ મહિલાની પૂછપરછ કરીને હત્યાના કારણો શોધવાના પ્રયાસો કરી રહી છે. 


કોણ છે સુચના સેઠ?


સૂચના શેઠના લિંક્ડઇન એકાઉન્ટ પર નજર કરીએ તો, તેણે હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને AIને કાર્યરત કરવાની પધ્ધતીઓનો અભ્યાસ કર્યો હતો. આ પછી, વર્ષ 2020 માં, તેણે ધ માઇન્ડફુલ AI લેબની સ્થાપના કરી, જે AI આધારિત સ્ટાર્ટઅપ છે.  સૂચના સેઠ પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના સેક્ટરમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.


હત્યારી માતા સુચના શેઠની માઇન્ડફુલ AI લેબ ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. સૂચનાને આ સેક્ટરમાં 12 વર્ષનો અનુભવ છે અને તેના પુત્રની હત્યા જેવો જઘન્ય ગુનો કરનાર આ મહિલાને વર્ષ 2020માં AI એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.