હાર્વર્ડ રિટર્ન, AI Companyની મહિલા CEOએ ગોવામાં પુત્રની કરી હત્યા, અંતે પાપ પોકાર્યું, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-09 19:02:06

કર્ણાટકના ચિત્રદુર્ગમાં માનવતાને શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે, આ સમગ્ર મામલો એ છે કે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ કંપનીની મહિલા સીઈઓ (AI Firm CEO) સૂચના શેઠે તેના 4 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે તેને એક બેગમાં ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતું પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. આ મહિલા માઈન્ડફૂલ એઆઈ લેબની ફાઉન્ડર છે, જેને તેણે વર્ષ 2020માં શરૂ કરી હતી. 


આ રીતે થયો હત્યાનો પર્દાફાશ


AI Companyની CEO સૂચના સેઠ ગોવાના કેંડોલિમમાં એક હોટેલમાં તેના પુત્ર સાથે રોકાઈ હતી, પરંતું જ્યારે તે હોટેલ છોડીને નિકળી ત્યારે તેની સાથે તેનો પુત્ર નહોતો. મહિલાને એકલી જતી જોઈને હોટેલના સ્ટાફને શંકા થઈ હતી. જો કે સુચનાએ કહ્યું કે તેણે પોતાના પુત્રને પહેલાથી જ ઘરે મોકલી દીધો છે. મહિલાએ હોટેલથી ચેકઆઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ હોટલના રૂમની સફાઈ કરવા પહોંચ્યો ત્યારે ત્યાં લોહીના ડાઘ જોઈને દંગ રહી ગયો હતો, બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.

 

આ રીતે ઝડપાઈ મહિલા


હોટેલના સ્ટાફે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મહિલા જે ટેક્સીથી હોટેલમાંથી નિકળી હતી, તેના ટ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો હતો. પોલીસ સાથે વાત કર્યા બાદ તે ટેક્સી ડ્રાઈવર ટેક્સી લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસે ત્યાર બાદ તાત્કાલિક કાતિલ માતાની ધરપકડ કરી હતી, હવે પોલીસ મહિલાની પૂછપરછ કરીને હત્યાના કારણો શોધવાના પ્રયાસો કરી રહી છે. 


કોણ છે સુચના સેઠ?


સૂચના શેઠના લિંક્ડઇન એકાઉન્ટ પર નજર કરીએ તો, તેણે હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને AIને કાર્યરત કરવાની પધ્ધતીઓનો અભ્યાસ કર્યો હતો. આ પછી, વર્ષ 2020 માં, તેણે ધ માઇન્ડફુલ AI લેબની સ્થાપના કરી, જે AI આધારિત સ્ટાર્ટઅપ છે.  સૂચના સેઠ પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના સેક્ટરમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.


હત્યારી માતા સુચના શેઠની માઇન્ડફુલ AI લેબ ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. સૂચનાને આ સેક્ટરમાં 12 વર્ષનો અનુભવ છે અને તેના પુત્રની હત્યા જેવો જઘન્ય ગુનો કરનાર આ મહિલાને વર્ષ 2020માં AI એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.