હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ 5 લોકોના મોત, મત્યુઆંક 14 થયો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:24:58

હરિયાણાના યમુનાનગર જિલ્લાના મંડેબરી અને અંજેટાના માજરા ગામમાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આપે કર્યા આકરા પ્રહાર 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડો. સુશીલ ગુપ્તાએ શુક્રવારે નિવેદન આપી હરિયાણામાં લઠ્ઠાકાંડને લઈને ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં ગેરકાયદે ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ શહેરો અને ગામમાં આવી ઝેરીલા દારૂના વેચાણ વધી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર આ મામલે તદ્દન ચૂપ છે, અને કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે નકલી દારૂના વેચાણ તરતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે