હરિયાણાના યમુનાનગરમાં ઝેરી દારૂ પીવાથી વધુ 5 લોકોના મોત, મત્યુઆંક 14 થયો


  • Published By :
  • Published Date : 2023-11-11 11:24:58

હરિયાણાના યમુનાનગર જિલ્લાના મંડેબરી અને અંજેટાના માજરા ગામમાં ઝેરી દારૂ પીવાથી મોતની વધુ 5 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 


આપે કર્યા આકરા પ્રહાર 


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડો. સુશીલ ગુપ્તાએ શુક્રવારે નિવેદન આપી હરિયાણામાં લઠ્ઠાકાંડને લઈને ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે હરિયાણામાં ગેરકાયદે ઝેરીલા દારૂનું વેચાણ થઈ રહ્યું છે. રાજ્યના તમામ શહેરો અને ગામમાં આવી ઝેરીલા દારૂના વેચાણ વધી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર આ મામલે તદ્દન ચૂપ છે, અને કોઈ કાર્યવાહી કરી રહી નથી જેના કારણે નકલી દારૂના વેચાણ તરતા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.