Haryana : મથુરા-વૃદાંવનથી આવતી બસ અચાનક આગની લપેટામાં આવી, દુર્ઘટનામાં થયા 9 જેટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 12:12:38

અનેક વખત આપણે એવા કિસ્સા સાંભળ્યા હશે કે ચાલતા વાહનમાં અચાનક આગ લાગી જાય છે અને તે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે.. ત્યારે એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે..  નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.   

બસમાં એકાએક લાગી આગ અને સર્જાઈ દુર્ઘટના 

મળતી માહિતી અનુસાર શુક્રવારે બસ ભાડે કરી દર્શનાર્થીઓ બનારસ અને મથુરા વૃંદાવન દર્શન કરવા માટે ગયા હતા.. આ બસમાં 60 જેટલા લોકો હતા જેમાં મહિલાઓનો અને બાળકોનો સમાવેશ થાય છે... તે લોકો દર્શન કરીને તે લોકો પરત ફરી રહ્યા હતા જે દરમિયાન બસ અચાનક આગની ઝપેટમાં આવી ગઈ.. મળતી માહિતી અનુસાર બસમાં બેઠેલા લોકોને બસમાં આગ લાગી છે તેની જાણ ના હતી.. ડ્રાઈવર પણ બસને ચલાવી રહ્યા હતા... સ્થાનિકો દ્વારા બસમાં આગ લાગી છે તેવી માહિતી આપવામાં આવી.. જ્યારે આગની જાણકારી ડ્રાાઈવરને મળી તે બાદ બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધી બસમાં બહુ બધી આગ ફેલાઈ ચૂકી હતી તેવી માહિતી સામે આવી છે..

9 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર 

આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. બીજા લોકોની સારવાર ચાલી રહી છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.