Haryana : વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પલટી, સર્જાઈ દુર્ઘટના, રસ્તા પર ગુંજી ચિચિયારીઓ... એવી દુર્ઘટના જે વાંચી કંપારી છૂટી જશે..!


  • Published By :
  • Published Date : 2024-04-11 15:33:59

જાહેર રજા હોય અને તમારા બાળકની સ્કૂલ ચાલુ હોય, લેવા સ્કૂલ બસ આવે... બાળક સ્કૂલ જવા માટે બસમાં પણ બેસે પણ તે બસની સાથે દુર્ઘટના સર્જાય અને બાળક મોતને ભેટે તો? આ દ્રશ્યની કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય.. પરંતુ આવી દુર્ઘટના હરિયાણામાં બની છે જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ અને 5 જેટલા માસુમ બાળકોના મોત થઈ ગયા જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. 

35 વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને સર્જાઈ દુર્ઘટના 

એક તરફ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં માસુમ બાળકોના જીવ જતા રહ્યા છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સર્જાઈ છે, જ્યાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ છે. સરકારી રજા હોવા છતાંય સ્કૂલને ખોલવામાં આવી ક્લાસ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ આવે છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર થાય છે અને તેમને તેમની મોત બોલાવતી હોય તેવી રીતે દુર્ઘટના સર્જાય છે.... મળતી માહિતી અનુસાર ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અંદાજીત 5 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન

જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો હશે, કેવી ચિચયારિયો ગુંજી હશે તે વિચારીઓ તો પણ ડરી જવાય. બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો આગળ આવ્યા, વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે પરંતુ અનેક બાળકો એવા છે જેમને કાળ ભરખી ગયો છે. એવી માહિતી સામે આવી છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો અને બસ પણ ફૂલ સ્પીડમાં હતી. એવી પણ માહિતી સામે આવી છે કે બસની સ્પીડ 120ની આસપાસની હતી જેને કારણે બસ પરનો કાબુ જતો રહ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર હાલ પોલીસ હિરાસતમાં છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રપતિ દ્વારા પણ શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

 



શિક્ષણ મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત 

મહત્વનું છે કે આ ઘટના બાદ શિક્ષણ મંત્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. રજા હોવા છતાંય શાળા કેમ ખુલ્લી હતી તે અંગેની તપાસ કરવામાં આવશે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી. સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?