Haryana : વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પલટી, સર્જાઈ દુર્ઘટના, રસ્તા પર ગુંજી ચિચિયારીઓ... એવી દુર્ઘટના જે વાંચી કંપારી છૂટી જશે..!


  • Published By :
  • Published Date : 2024-04-11 15:33:59

જાહેર રજા હોય અને તમારા બાળકની સ્કૂલ ચાલુ હોય, લેવા સ્કૂલ બસ આવે... બાળક સ્કૂલ જવા માટે બસમાં પણ બેસે પણ તે બસની સાથે દુર્ઘટના સર્જાય અને બાળક મોતને ભેટે તો? આ દ્રશ્યની કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય.. પરંતુ આવી દુર્ઘટના હરિયાણામાં બની છે જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ અને 5 જેટલા માસુમ બાળકોના મોત થઈ ગયા જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. 

35 વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને સર્જાઈ દુર્ઘટના 

એક તરફ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં માસુમ બાળકોના જીવ જતા રહ્યા છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સર્જાઈ છે, જ્યાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ છે. સરકારી રજા હોવા છતાંય સ્કૂલને ખોલવામાં આવી ક્લાસ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ આવે છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર થાય છે અને તેમને તેમની મોત બોલાવતી હોય તેવી રીતે દુર્ઘટના સર્જાય છે.... મળતી માહિતી અનુસાર ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અંદાજીત 5 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન

જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો હશે, કેવી ચિચયારિયો ગુંજી હશે તે વિચારીઓ તો પણ ડરી જવાય. બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો આગળ આવ્યા, વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે પરંતુ અનેક બાળકો એવા છે જેમને કાળ ભરખી ગયો છે. એવી માહિતી સામે આવી છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો અને બસ પણ ફૂલ સ્પીડમાં હતી. એવી પણ માહિતી સામે આવી છે કે બસની સ્પીડ 120ની આસપાસની હતી જેને કારણે બસ પરનો કાબુ જતો રહ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર હાલ પોલીસ હિરાસતમાં છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રપતિ દ્વારા પણ શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

 



શિક્ષણ મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત 

મહત્વનું છે કે આ ઘટના બાદ શિક્ષણ મંત્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. રજા હોવા છતાંય શાળા કેમ ખુલ્લી હતી તે અંગેની તપાસ કરવામાં આવશે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી. સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .