નૂંહ હિસા બાદ પોલીસ એક્શન મોડમાં, રોહિંગ્યાની 250થી વધુ ઝુપડપટ્ટી પર ચાલ્યું બુલડોઝર, પોલીસ કાફલો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:32:41

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ બ્રજ મંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ હરિયાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે રમખામોની શરૂઆતની તપાસ બાદ નૂંહમાં રોહિંગ્યાઓ અને ગેરકાયદે ઘુસણખોરો સામે પગલા લીધા છે. હરિયાણાના સીએમ મનોહર લાલના આદેશ પર પોલીસે તાવડૂ રોહિગ્યાઓ અને ઘુસણખોરોના ગેરકાયદે કબજા પર પણ બુલડોઝર ચલાવ્યું છે. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. આ રોહિંગ્યાઓએ હરિયાણા શહેરી વિકાસ ઓથોરીટીની જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો. આ પહેલા ગુરૂવારે નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ ઝુપડપટ્ટીમાં આસામથી આવેલા ગેરકાયદે ઘુસણખોર રહી રહ્યા હતા.


કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું તે દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા અર્ધ લશ્કરી દળોના જવાનો અને પોલીસકર્મીઓ તથા અનેક વિભાગોના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તાવડૂમાં લગભગ એક એકર જમીનમાં 250થી વધુ ઝુપડપટ્ટી બનાવવામાં આવી હતી, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  આ ઝુપડપટ્ટીમાં રહેતા મોટાભાગના તાજેતરની સાંપ્રદાયિક હિંસાના આરોપી છે.  આ મકાનો પર છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર અતિક્રમણ હોવાનું જાણવા મળ્યું છે અને કથિત રીતે બાંગ્લાદેશના ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા વસવાટ કરવામાં આવ્યો હતો.


નૂંહ હિંસા બાદ પોલીસે કરી કાર્યવાહી


હરિયાણાના નૂંહ જિલ્લામાં ફાટી નિકળેલી હિંસા બાદ પોલીસે આરોપીઓ સામે કડક હાથે કામ લીધું છે. એસપી વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, "સંબંધિત એજન્સીઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમે પોલીસનો સહયોગ આપ્યો હતો." એડીજીપી (કાયદો) મમતા સિંહના ઓએસડી નરેન્દ્ર બિરજાનિયાએ જણાવ્યું હતું કે, “અમે ડિમોલિશન હાથ ધર્યું છે અને મુખ્યત્વે આ બાંધકામો ગેરકાયદેસર હતા. ભૂતકાળમાં પણ નૂહ પોલીસ પણ સક્રિયપણે કુખ્યાત ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી રહી છે અને તોડી પાડતી રહી છે, જેમાં પશુઓની તસ્કરી, ગેરકાયદેસર ખાણકામ કરનારા, ખંડણીખોરો, હથિયારોના વેપારી અને સાયબર ગુનેગારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, સ્થાનિક સત્તાવાળાઓએ હિંસાની ઉજવણી કરતા વાંધાજનક વીડિયો સામે ત્રણ સહિત 45 FIR નોંધી છે. કેટલીક એફઆઈઆરમાં પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નૂહમાં અત્યાર સુધીમાં 139 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેવલી, શિકારપુર, જલાલપોર અને શિંગર જેવા ગામોમાં કોમ્બિંગ કવાયત હાથ ધરવામાં આવી છે. સાયબર નિષ્ણાતોની એક વિશેષ ટીમે સમગ્ર યાત્રા રૂટ પર લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.