નૂંહ હિસા બાદ પોલીસ એક્શન મોડમાં, રોહિંગ્યાની 250થી વધુ ઝુપડપટ્ટી પર ચાલ્યું બુલડોઝર, પોલીસ કાફલો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:32:41

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ બ્રજ મંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ હરિયાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે રમખામોની શરૂઆતની તપાસ બાદ નૂંહમાં રોહિંગ્યાઓ અને ગેરકાયદે ઘુસણખોરો સામે પગલા લીધા છે. હરિયાણાના સીએમ મનોહર લાલના આદેશ પર પોલીસે તાવડૂ રોહિગ્યાઓ અને ઘુસણખોરોના ગેરકાયદે કબજા પર પણ બુલડોઝર ચલાવ્યું છે. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. આ રોહિંગ્યાઓએ હરિયાણા શહેરી વિકાસ ઓથોરીટીની જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો. આ પહેલા ગુરૂવારે નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ ઝુપડપટ્ટીમાં આસામથી આવેલા ગેરકાયદે ઘુસણખોર રહી રહ્યા હતા.


કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું તે દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા અર્ધ લશ્કરી દળોના જવાનો અને પોલીસકર્મીઓ તથા અનેક વિભાગોના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તાવડૂમાં લગભગ એક એકર જમીનમાં 250થી વધુ ઝુપડપટ્ટી બનાવવામાં આવી હતી, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  આ ઝુપડપટ્ટીમાં રહેતા મોટાભાગના તાજેતરની સાંપ્રદાયિક હિંસાના આરોપી છે.  આ મકાનો પર છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર અતિક્રમણ હોવાનું જાણવા મળ્યું છે અને કથિત રીતે બાંગ્લાદેશના ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા વસવાટ કરવામાં આવ્યો હતો.


નૂંહ હિંસા બાદ પોલીસે કરી કાર્યવાહી


હરિયાણાના નૂંહ જિલ્લામાં ફાટી નિકળેલી હિંસા બાદ પોલીસે આરોપીઓ સામે કડક હાથે કામ લીધું છે. એસપી વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, "સંબંધિત એજન્સીઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમે પોલીસનો સહયોગ આપ્યો હતો." એડીજીપી (કાયદો) મમતા સિંહના ઓએસડી નરેન્દ્ર બિરજાનિયાએ જણાવ્યું હતું કે, “અમે ડિમોલિશન હાથ ધર્યું છે અને મુખ્યત્વે આ બાંધકામો ગેરકાયદેસર હતા. ભૂતકાળમાં પણ નૂહ પોલીસ પણ સક્રિયપણે કુખ્યાત ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી રહી છે અને તોડી પાડતી રહી છે, જેમાં પશુઓની તસ્કરી, ગેરકાયદેસર ખાણકામ કરનારા, ખંડણીખોરો, હથિયારોના વેપારી અને સાયબર ગુનેગારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, સ્થાનિક સત્તાવાળાઓએ હિંસાની ઉજવણી કરતા વાંધાજનક વીડિયો સામે ત્રણ સહિત 45 FIR નોંધી છે. કેટલીક એફઆઈઆરમાં પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નૂહમાં અત્યાર સુધીમાં 139 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેવલી, શિકારપુર, જલાલપોર અને શિંગર જેવા ગામોમાં કોમ્બિંગ કવાયત હાથ ધરવામાં આવી છે. સાયબર નિષ્ણાતોની એક વિશેષ ટીમે સમગ્ર યાત્રા રૂટ પર લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .