નૂંહ હિસા બાદ પોલીસ એક્શન મોડમાં, રોહિંગ્યાની 250થી વધુ ઝુપડપટ્ટી પર ચાલ્યું બુલડોઝર, પોલીસ કાફલો તૈનાત


  • Published By :
  • Published Date : 2023-08-04 14:32:41

હરિયાણાના નૂંહમાં 31 જુલાઈના રોજ બ્રજ મંડલ યાત્રા દરમિયાન થયેલી હિંસા બાદ હરિયાણા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે રમખામોની શરૂઆતની તપાસ બાદ નૂંહમાં રોહિંગ્યાઓ અને ગેરકાયદે ઘુસણખોરો સામે પગલા લીધા છે. હરિયાણાના સીએમ મનોહર લાલના આદેશ પર પોલીસે તાવડૂ રોહિગ્યાઓ અને ઘુસણખોરોના ગેરકાયદે કબજા પર પણ બુલડોઝર ચલાવ્યું છે. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો હિંસામાં સામેલ હતા. આ રોહિંગ્યાઓએ હરિયાણા શહેરી વિકાસ ઓથોરીટીની જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો. આ પહેલા ગુરૂવારે નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ ઝુપડપટ્ટીમાં આસામથી આવેલા ગેરકાયદે ઘુસણખોર રહી રહ્યા હતા.


કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


નૂંહ જિલ્લાના તાવડૂ શહેરના મોહમ્મદ પુર માર્ગની સાથે વોર્ડ નંબર-1માં ગેરકાયદે કરાયેલા કબજા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું તે દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા અર્ધ લશ્કરી દળોના જવાનો અને પોલીસકર્મીઓ તથા અનેક વિભાગોના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તાવડૂમાં લગભગ એક એકર જમીનમાં 250થી વધુ ઝુપડપટ્ટી બનાવવામાં આવી હતી, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.  આ ઝુપડપટ્ટીમાં રહેતા મોટાભાગના તાજેતરની સાંપ્રદાયિક હિંસાના આરોપી છે.  આ મકાનો પર છેલ્લા ચાર વર્ષથી ગેરકાયદેસર અતિક્રમણ હોવાનું જાણવા મળ્યું છે અને કથિત રીતે બાંગ્લાદેશના ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા વસવાટ કરવામાં આવ્યો હતો.


નૂંહ હિંસા બાદ પોલીસે કરી કાર્યવાહી


હરિયાણાના નૂંહ જિલ્લામાં ફાટી નિકળેલી હિંસા બાદ પોલીસે આરોપીઓ સામે કડક હાથે કામ લીધું છે. એસપી વરુણ સિંગલાએ જણાવ્યું હતું કે, "સંબંધિત એજન્સીઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને અમે પોલીસનો સહયોગ આપ્યો હતો." એડીજીપી (કાયદો) મમતા સિંહના ઓએસડી નરેન્દ્ર બિરજાનિયાએ જણાવ્યું હતું કે, “અમે ડિમોલિશન હાથ ધર્યું છે અને મુખ્યત્વે આ બાંધકામો ગેરકાયદેસર હતા. ભૂતકાળમાં પણ નૂહ પોલીસ પણ સક્રિયપણે કુખ્યાત ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી રહી છે અને તોડી પાડતી રહી છે, જેમાં પશુઓની તસ્કરી, ગેરકાયદેસર ખાણકામ કરનારા, ખંડણીખોરો, હથિયારોના વેપારી અને સાયબર ગુનેગારોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, સ્થાનિક સત્તાવાળાઓએ હિંસાની ઉજવણી કરતા વાંધાજનક વીડિયો સામે ત્રણ સહિત 45 FIR નોંધી છે. કેટલીક એફઆઈઆરમાં પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નૂહમાં અત્યાર સુધીમાં 139 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેવલી, શિકારપુર, જલાલપોર અને શિંગર જેવા ગામોમાં કોમ્બિંગ કવાયત હાથ ધરવામાં આવી છે. સાયબર નિષ્ણાતોની એક વિશેષ ટીમે સમગ્ર યાત્રા રૂટ પર લગાવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા હતા.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.