હરિયાણા કોંગ્રેસની જાહેરાત, રૂ. 6000 પેન્શન, રૂ.500માં ગેસ સિલિન્ડર અને 300 યુનિટ સુધીનું લાઈટ બીલ માફ


  • Published By :
  • Published Date : 2024-01-03 16:28:31

હરિયાણા કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોંગ્રેસે 'घर-घर कांग्रेस' અભિયાન શરૂ કર્યું છે. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને પાર્ટી કાર્યકર્તાની એક બેઠકમાં આ અભિયાનની જાહેરાત કરી છે. હુડ્ડાએ કહ્યું કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટી વધુ મજબુત બનશે અને નેતાઓનો લોકસંપર્ક પણ વધશે. 


કોંગ્રેસે આપ્યા આ વચનો 


કોંગ્રેસે આ અભિયાન દ્વારા તેના ચૂંટણી વચનોને ઘરે-ઘરે સુધી પહોંચાડશે, જિલ્લા કર્તવ્ય સંમેલનમાં અનેક મુદ્દાઓ અંગે બોલતા પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, તે ગેસ સિલિન્ડર પેટે 500 રૂપિયા આપશે, તે જ પ્રકારે 300 યુનિટ ફ્રિ વિજળી આપશે તથા વૃધ્ધાવસ્થા પેન્શનરૂપે 6000 હજાર રૂપિયા આપશે. હાલ તો હરિયાણા સરકાર 17 લાખ લાભાર્થીઓને 5,538 રૂપિયા આપે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે