હરિયાણા કોંગ્રેસની જાહેરાત, રૂ. 6000 પેન્શન, રૂ.500માં ગેસ સિલિન્ડર અને 300 યુનિટ સુધીનું લાઈટ બીલ માફ


  • Published By :
  • Published Date : 2024-01-03 16:28:31

હરિયાણા કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોંગ્રેસે 'घर-घर कांग्रेस' અભિયાન શરૂ કર્યું છે. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને પાર્ટી કાર્યકર્તાની એક બેઠકમાં આ અભિયાનની જાહેરાત કરી છે. હુડ્ડાએ કહ્યું કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટી વધુ મજબુત બનશે અને નેતાઓનો લોકસંપર્ક પણ વધશે. 


કોંગ્રેસે આપ્યા આ વચનો 


કોંગ્રેસે આ અભિયાન દ્વારા તેના ચૂંટણી વચનોને ઘરે-ઘરે સુધી પહોંચાડશે, જિલ્લા કર્તવ્ય સંમેલનમાં અનેક મુદ્દાઓ અંગે બોલતા પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, તે ગેસ સિલિન્ડર પેટે 500 રૂપિયા આપશે, તે જ પ્રકારે 300 યુનિટ ફ્રિ વિજળી આપશે તથા વૃધ્ધાવસ્થા પેન્શનરૂપે 6000 હજાર રૂપિયા આપશે. હાલ તો હરિયાણા સરકાર 17 લાખ લાભાર્થીઓને 5,538 રૂપિયા આપે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.