હરિયાણા કોંગ્રેસની જાહેરાત, રૂ. 6000 પેન્શન, રૂ.500માં ગેસ સિલિન્ડર અને 300 યુનિટ સુધીનું લાઈટ બીલ માફ


  • Published By :
  • Published Date : 2024-01-03 16:28:31

હરિયાણા કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પાર્ટીને મજબુત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં કોંગ્રેસે 'घर-घर कांग्रेस' અભિયાન શરૂ કર્યું છે. હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને પાર્ટી કાર્યકર્તાની એક બેઠકમાં આ અભિયાનની જાહેરાત કરી છે. હુડ્ડાએ કહ્યું કે આ અભિયાનથી રાજ્યમાં પાર્ટી વધુ મજબુત બનશે અને નેતાઓનો લોકસંપર્ક પણ વધશે. 


કોંગ્રેસે આપ્યા આ વચનો 


કોંગ્રેસે આ અભિયાન દ્વારા તેના ચૂંટણી વચનોને ઘરે-ઘરે સુધી પહોંચાડશે, જિલ્લા કર્તવ્ય સંમેલનમાં અનેક મુદ્દાઓ અંગે બોલતા પૂર્વ મુખ્ય મંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો, તે ગેસ સિલિન્ડર પેટે 500 રૂપિયા આપશે, તે જ પ્રકારે 300 યુનિટ ફ્રિ વિજળી આપશે તથા વૃધ્ધાવસ્થા પેન્શનરૂપે 6000 હજાર રૂપિયા આપશે. હાલ તો હરિયાણા સરકાર 17 લાખ લાભાર્થીઓને 5,538 રૂપિયા આપે છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.