રામ રહીમ પર હરિયાણા સરકાર મહેરબાન, 21 દિવસના ફર્લો મંજુર, વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-21 16:32:05

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરૂમિત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયા છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેમનો 21 દિવસનો ફર્લો મંજુર કર્યો છે. આ સાથે જ રામ રહીમ એક જ વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવી ગયો છે. સોમવાર સાંજે હરિયાણા સરકારે રામ રહીમની ફર્લોની અરજી મંજુર કરી કે તરત જ જેલના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 7 વખત બહાર આવ્યા


બાબા રામ રહીમ પર હરિયાણા સરકાર કાંઈક વધુ પડતી મહેરબાન થઈ ગઈ છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હરિયાણામાં અને ઉત્તર પ્રદેશમાં વિશાળ અનુયાયીઓ ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 7 વખત તેમના ફર્લો મંજુર કર્યા છે. વર્ષ 2017માં કોર્ટે સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધીમાં રામ રહીમ 7 વખત જેલની બહાર આવી ચુક્યા છે. ફર્લો મંજુર થયા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તેઓ આ વર્ષે છેલ્લે જુલાઈ મહિનામાં ફર્લો પર છુટ્યા હતા. ઉલ્લેખનિય છે કે રામ રહીમ તેમની બે શિષ્યા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં રોહતક જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.


ફર્લો શું હોય છે?


જે કેદીઓ સજા કાપી રહ્યા હોય તેમને માટે ફર્લો એક પ્રકારની રજા હોય છે. લાંબી સજા કાપતા કેદીઓને ફર્લો પર રજા મળે છે. તેનો હેતું કેદી તેમના પરિવારજનો અને સમાજના લોકોને મળી શકે તે માટે ફર્લો હોય છે. ફર્લો રાજ્ય સરકારનો વિષય છે, તેથી દરેક રાજ્યમાં ફર્લોને લઈ અલગ-અલગ નિયમ હોય છે, જો કે ઉત્તર પ્રદેશમાં ફર્લો અંગે કોઈ જોગવાઈ નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .