રામ રહીમ પર હરિયાણા સરકાર મહેરબાન, 21 દિવસના ફર્લો મંજુર, વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-21 16:32:05

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરૂમિત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયા છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેમનો 21 દિવસનો ફર્લો મંજુર કર્યો છે. આ સાથે જ રામ રહીમ એક જ વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવી ગયો છે. સોમવાર સાંજે હરિયાણા સરકારે રામ રહીમની ફર્લોની અરજી મંજુર કરી કે તરત જ જેલના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 7 વખત બહાર આવ્યા


બાબા રામ રહીમ પર હરિયાણા સરકાર કાંઈક વધુ પડતી મહેરબાન થઈ ગઈ છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હરિયાણામાં અને ઉત્તર પ્રદેશમાં વિશાળ અનુયાયીઓ ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 7 વખત તેમના ફર્લો મંજુર કર્યા છે. વર્ષ 2017માં કોર્ટે સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધીમાં રામ રહીમ 7 વખત જેલની બહાર આવી ચુક્યા છે. ફર્લો મંજુર થયા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તેઓ આ વર્ષે છેલ્લે જુલાઈ મહિનામાં ફર્લો પર છુટ્યા હતા. ઉલ્લેખનિય છે કે રામ રહીમ તેમની બે શિષ્યા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં રોહતક જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.


ફર્લો શું હોય છે?


જે કેદીઓ સજા કાપી રહ્યા હોય તેમને માટે ફર્લો એક પ્રકારની રજા હોય છે. લાંબી સજા કાપતા કેદીઓને ફર્લો પર રજા મળે છે. તેનો હેતું કેદી તેમના પરિવારજનો અને સમાજના લોકોને મળી શકે તે માટે ફર્લો હોય છે. ફર્લો રાજ્ય સરકારનો વિષય છે, તેથી દરેક રાજ્યમાં ફર્લોને લઈ અલગ-અલગ નિયમ હોય છે, જો કે ઉત્તર પ્રદેશમાં ફર્લો અંગે કોઈ જોગવાઈ નથી. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.