રામ રહીમ પર હરિયાણા સરકાર મહેરબાન, 21 દિવસના ફર્લો મંજુર, વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવ્યા


  • Published By :
  • Published Date : 2023-11-21 16:32:05

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરૂમિત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવી ગયા છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેમનો 21 દિવસનો ફર્લો મંજુર કર્યો છે. આ સાથે જ રામ રહીમ એક જ વર્ષમાં ત્રીજી વખત જેલની બહાર આવી ગયો છે. સોમવાર સાંજે હરિયાણા સરકારે રામ રહીમની ફર્લોની અરજી મંજુર કરી કે તરત જ જેલના મુખ્ય ચોક પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.


અત્યાર સુધીમાં 7 વખત બહાર આવ્યા


બાબા રામ રહીમ પર હરિયાણા સરકાર કાંઈક વધુ પડતી મહેરબાન થઈ ગઈ છે. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ હરિયાણામાં અને ઉત્તર પ્રદેશમાં વિશાળ અનુયાયીઓ ધરાવે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 7 વખત તેમના ફર્લો મંજુર કર્યા છે. વર્ષ 2017માં કોર્ટે સજા સંભળાવ્યા બાદ અત્યાર સુધીમાં રામ રહીમ 7 વખત જેલની બહાર આવી ચુક્યા છે. ફર્લો મંજુર થયા બાદ રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તેઓ આ વર્ષે છેલ્લે જુલાઈ મહિનામાં ફર્લો પર છુટ્યા હતા. ઉલ્લેખનિય છે કે રામ રહીમ તેમની બે શિષ્યા પર બળાત્કારના આરોપમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં રોહતક જેલમાં ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.


ફર્લો શું હોય છે?


જે કેદીઓ સજા કાપી રહ્યા હોય તેમને માટે ફર્લો એક પ્રકારની રજા હોય છે. લાંબી સજા કાપતા કેદીઓને ફર્લો પર રજા મળે છે. તેનો હેતું કેદી તેમના પરિવારજનો અને સમાજના લોકોને મળી શકે તે માટે ફર્લો હોય છે. ફર્લો રાજ્ય સરકારનો વિષય છે, તેથી દરેક રાજ્યમાં ફર્લોને લઈ અલગ-અલગ નિયમ હોય છે, જો કે ઉત્તર પ્રદેશમાં ફર્લો અંગે કોઈ જોગવાઈ નથી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે