હરિયાણાઃ પંચાયત ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ, વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:02:44

ડેરા સચ્ચા સૌદા સિરસા મુખી ગુરમીત રામ રહીમ ફરી એકવાર સુનારિયા જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો છે. રામ રહીમને આ વર્ષે ત્રીજી વખત પેરોલ મળ્યો છે.

Gurmeet Ram Rahim Appeal: A Laughable Proposition? - India Legal

રામ રહીમ ગમે ત્યારે જેલમાંથી બહાર આવી શકે છે. એક તરફ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે જેલ પ્રશાસન સુધી રીલીઝ ઓર્ડર પહોંચ્યા નથી. તે જ સમયે, આ વખતે ગુરમીત રામ રહીમને જેલમાંથી એરલિફ્ટ કરવામાં આવશે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ જેલ પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર રામ રહીમને પેરોલ મળી ગઈ છે, હવે પેરોલનો સમયગાળો ક્યાં પસાર કરવામાં આવશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનમાં તંબુ ઉપરાંત બાગપતમાં પણ વિચારણા કરવામાં આવી રહી છે, જ્યાં પેરોલનો છેલ્લો સમયગાળો વિતાવ્યો હતો.


રામ રહીમ 2017થી સુનારિયા જેલમાં બંધ છે. પંજાબ ચૂંટણી દરમિયાન તેને 21 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો હતો, તે દરમિયાન તે ગુરુગ્રામના ડેરામાં રહ્યો હતો. જે બાદ તેને 30 દિવસની પેરોલ મળી હતી જે યુપીના બાગપત સ્થિત ડેરામાં વિતાવી હતી. હવે રાજ્યમાં આદમપુર વિધાનસભાની પેટાચૂંટણી પહેલા પેરોલ આપવામાં આવી રહી છે. આ વખતે 40 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. રામ રહીમની પેરોલ અવધિ ક્યાં કાપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી.




ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.