Haryana - 45,000 થી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-09-04 14:42:27

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ભણ્યા બાદ નોકરી મળી જશે.. લોકો ભણતા હતા અને નોકરી મેળવતા હતા.. પરંતુ દિવસેને દિવસે રોજગારી ઘટી રહી છે અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભણ્યા હોવા છતાંય નોકરી નથી મળતી.. અને જો નોકરી મળે છે તે સામાન્ય રીતે ઓછા પગારમાં મળે છે.. આજે વાત હરિયાણાની કરવી છે. થોડા સમય પહેલા ગુજરાતથી સમાચાર સામે આવ્યા હતા કે નોકરી માટે પડાપડી થઈ ત્યારે આવી જ ઘટના હરિયાણાથી સામે આવી છે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી.   



આટલા લોકોએ પોસ્ટ માટે કર્યું અપલાય 

આપણે કહીએ છીએ કે બેરોજગારી વધી રહી છે.. અનેક યુવાનો એવા છે જેમની પાસે ભણતર છે પરંતુ નોકરી નથી. અનેક લોકો એવા હોય છે જે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર હોય છે. તેમને પગાર નહીં માત્ર કામ જોઈએ છે... બેરોજગારી એક મોટી સમસ્યા છે તેનું ઉદાહરણ હરિયાણાથી સામે આવ્યું છે.. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી. 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ સફાઈ કામદાર તરીકેની નોકરી મેળવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. 



બેરોજગારી આ હદે વધી!

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે અનેક ભણેલા લોકોએ આ પોસ્ટ માટે અપલાય કર્યું છે.. જે કંપનીમાં ઓછો પગાર મળતો હશે એનાથી અહીંયા વધારે મળે છે એમ માનીને અપલાય કર્યું હોઈ શકે છે. તે સિવાય એવા પણ માણસો હોઈ શકે છે જેમની પાસે નોકરી નથી અને ઘરે બેઠા છે તેમણે પણ અપલાય કર્યું હોઈ શકે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .