Haryana - 45,000 થી વધુ સ્નાતકો અને અનુસ્નાતકોએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-09-04 14:42:27

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે ભણ્યા બાદ નોકરી મળી જશે.. લોકો ભણતા હતા અને નોકરી મેળવતા હતા.. પરંતુ દિવસેને દિવસે રોજગારી ઘટી રહી છે અને બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ભણ્યા હોવા છતાંય નોકરી નથી મળતી.. અને જો નોકરી મળે છે તે સામાન્ય રીતે ઓછા પગારમાં મળે છે.. આજે વાત હરિયાણાની કરવી છે. થોડા સમય પહેલા ગુજરાતથી સમાચાર સામે આવ્યા હતા કે નોકરી માટે પડાપડી થઈ ત્યારે આવી જ ઘટના હરિયાણાથી સામે આવી છે. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી.   



આટલા લોકોએ પોસ્ટ માટે કર્યું અપલાય 

આપણે કહીએ છીએ કે બેરોજગારી વધી રહી છે.. અનેક યુવાનો એવા છે જેમની પાસે ભણતર છે પરંતુ નોકરી નથી. અનેક લોકો એવા હોય છે જે ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર હોય છે. તેમને પગાર નહીં માત્ર કામ જોઈએ છે... બેરોજગારી એક મોટી સમસ્યા છે તેનું ઉદાહરણ હરિયાણાથી સામે આવ્યું છે.. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સફાઈ કામદારની નોકરી માટે અરજી કરી હતી. 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ સફાઈ કામદાર તરીકેની નોકરી મેળવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. 



બેરોજગારી આ હદે વધી!

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે અનેક ભણેલા લોકોએ આ પોસ્ટ માટે અપલાય કર્યું છે.. જે કંપનીમાં ઓછો પગાર મળતો હશે એનાથી અહીંયા વધારે મળે છે એમ માનીને અપલાય કર્યું હોઈ શકે છે. તે સિવાય એવા પણ માણસો હોઈ શકે છે જેમની પાસે નોકરી નથી અને ઘરે બેઠા છે તેમણે પણ અપલાય કર્યું હોઈ શકે છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.