તલાટી માટે 669 અને જુનિયર ક્લાર્કની કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ જાહેર, હસમુખ પટેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-01-12 19:03:02

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.


હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ  લિસ્ટ અને  જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને રીસફલિંગ ની જાહેરાત હવે પછી કરવામાં આવશે.


તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાયા હતા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જૂનિયર કલાર્કોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.