પોલીસ ભરતીને લઈ Hasmukh Patelએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?


  • Published By :
  • Published Date : 2024-05-13 15:41:50

પોલીસ બનવાનું સપનું અનેક યુવાનોને હોય છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે.. એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.


આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી 

હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી જે મુજબ શારીરિક પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેવાનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.. તે ઉપરાંત પીએસઆઈ અને એલઆરડી ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે.. શારીરિક કસોટી ચોમાસા પછી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.. પીએસઆઈ માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે જ્યારે એલઆરડી માટે સાડા નવ લાખ અરજી મળી છે..


પરીક્ષામાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર 

તે સિવાય પરીક્ષાને લઈ પણ માહિતી આપવામાં આવી હતી. લોકરક્ષકમાં બે ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીની પરીક્ષા આપવાની રહેશે.. આ બંને પરીક્ષામાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે.. ઉમેદવારોએ બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેશે.. તે ઉપરાંત એક મોટો ફેરફાર પરીક્ષામાં કરવામાં આવ્યો છે. ઉમેદવારોનું વજન ધ્યાનમાં લેવાશે નહીં. એવી માહિતી સામે આવી છે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.. આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર આગળની પરીક્ષા આપી શકશે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.