પોલીસ ભરતીને લઈ Hasmukh Patelએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 15:41:50

પોલીસ બનવાનું સપનું અનેક યુવાનોને હોય છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે.. એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.


આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી 

હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી જે મુજબ શારીરિક પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેવાનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.. તે ઉપરાંત પીએસઆઈ અને એલઆરડી ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે.. શારીરિક કસોટી ચોમાસા પછી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.. પીએસઆઈ માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે જ્યારે એલઆરડી માટે સાડા નવ લાખ અરજી મળી છે..


પરીક્ષામાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર 

તે સિવાય પરીક્ષાને લઈ પણ માહિતી આપવામાં આવી હતી. લોકરક્ષકમાં બે ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીની પરીક્ષા આપવાની રહેશે.. આ બંને પરીક્ષામાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે.. ઉમેદવારોએ બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેશે.. તે ઉપરાંત એક મોટો ફેરફાર પરીક્ષામાં કરવામાં આવ્યો છે. ઉમેદવારોનું વજન ધ્યાનમાં લેવાશે નહીં. એવી માહિતી સામે આવી છે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.. આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર આગળની પરીક્ષા આપી શકશે.   



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....