પોલીસ ભરતીને લઈ Hasmukh Patelએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?


  • Published By :
  • Published Date : 2024-05-13 15:41:50

પોલીસ બનવાનું સપનું અનેક યુવાનોને હોય છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે.. એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.


આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી 

હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી જે મુજબ શારીરિક પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેવાનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.. તે ઉપરાંત પીએસઆઈ અને એલઆરડી ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે.. શારીરિક કસોટી ચોમાસા પછી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.. પીએસઆઈ માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે જ્યારે એલઆરડી માટે સાડા નવ લાખ અરજી મળી છે..


પરીક્ષામાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર 

તે સિવાય પરીક્ષાને લઈ પણ માહિતી આપવામાં આવી હતી. લોકરક્ષકમાં બે ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીની પરીક્ષા આપવાની રહેશે.. આ બંને પરીક્ષામાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે.. ઉમેદવારોએ બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેશે.. તે ઉપરાંત એક મોટો ફેરફાર પરીક્ષામાં કરવામાં આવ્યો છે. ઉમેદવારોનું વજન ધ્યાનમાં લેવાશે નહીં. એવી માહિતી સામે આવી છે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.. આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર આગળની પરીક્ષા આપી શકશે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.