હાટકેશ્વર બ્રિજ મામલો વિધાનસભામાં ઉછળ્યો, CMએ માંગ્યો કમિશનર પાસે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-27 20:29:41

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતો બ્રિજ જો માત્ર પાંચ જ વર્ષમાં તુટી જાય તો તેના માટે કોણ જવાબદાર કહેવાય?, આવો જ એક સવાલ હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ માટે થઈ રહ્યો છે. આ બ્રિજ માત્ર પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. આ મુદ્દે વિવાદ વધતા હવે AMC કમિશનરને તેડું આવ્યું છે.


CM ભૂપેન્દ્ર પટેલે માગ્યો રિપોર્ટ


હાટકેશ્વર બ્રિજ તુટવા મામલે રાજ્યનાં CM  ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી.  AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.  તેમજ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ અને છેલ્લા રિપોર્ટ સાથે તેઓને હાજર રહેવા તાકીદ કરી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે AMCના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઈ છે. 


લેબોરેટરી ટેસ્ટમાં પોલ ખુલી


હાટકેશ્વર બ્રિજ  વર્ષ 2017 માં 40 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથા ભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. વર્ષ 2021 માં જ રિબાઉન્ડ હેમર ટેસ્ટથી મનપાના અધિકારીઓને જાણ થઇ ગઈ હતી કે, બ્રિજ M45 ગ્રેડનો નથી. લેબોરેટરી ટેસ્ટનો આ રિપોર્ટ જાહેર ન થાય તે માટેના પણ પ્રયાસો ઘણા કરવામાં આવ્યા હતા. 


કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત


હાટકેશ્વર બ્રિજબ્રિજના કોન્ટ્રાકટર અજય એન્જિનીયર  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી પર ભાજપના ચાર હાથ છે. હવે જ્યારે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે ત્યારે AMC ઓફિસમાં સોંપો પડી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરતા કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


વિધાનસભામાં પણ ગાંજ્યો મુદ્દો


અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં પણ ગાંજ્યો હતો,  કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં હાટકેશ્વર બ્રિજના મામલે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો કે ક્યાં કારણોસર આ બ્રિજ આવો બન્યો તેનો સરકાર જવાબ આપે. તો કોંગ્રેસના અન્ય એક નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધાબુ ભરતા હોય એમાં વપરાતી સામગ્રી બ્રિજમાં વપરાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા  કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.