હાટકેશ્વર બ્રિજ મામલો વિધાનસભામાં ઉછળ્યો, CMએ માંગ્યો કમિશનર પાસે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-27 20:29:41

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતો બ્રિજ જો માત્ર પાંચ જ વર્ષમાં તુટી જાય તો તેના માટે કોણ જવાબદાર કહેવાય?, આવો જ એક સવાલ હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ માટે થઈ રહ્યો છે. આ બ્રિજ માત્ર પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. આ મુદ્દે વિવાદ વધતા હવે AMC કમિશનરને તેડું આવ્યું છે.


CM ભૂપેન્દ્ર પટેલે માગ્યો રિપોર્ટ


હાટકેશ્વર બ્રિજ તુટવા મામલે રાજ્યનાં CM  ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી.  AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.  તેમજ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ અને છેલ્લા રિપોર્ટ સાથે તેઓને હાજર રહેવા તાકીદ કરી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે AMCના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઈ છે. 


લેબોરેટરી ટેસ્ટમાં પોલ ખુલી


હાટકેશ્વર બ્રિજ  વર્ષ 2017 માં 40 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથા ભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. વર્ષ 2021 માં જ રિબાઉન્ડ હેમર ટેસ્ટથી મનપાના અધિકારીઓને જાણ થઇ ગઈ હતી કે, બ્રિજ M45 ગ્રેડનો નથી. લેબોરેટરી ટેસ્ટનો આ રિપોર્ટ જાહેર ન થાય તે માટેના પણ પ્રયાસો ઘણા કરવામાં આવ્યા હતા. 


કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત


હાટકેશ્વર બ્રિજબ્રિજના કોન્ટ્રાકટર અજય એન્જિનીયર  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી પર ભાજપના ચાર હાથ છે. હવે જ્યારે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે ત્યારે AMC ઓફિસમાં સોંપો પડી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરતા કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


વિધાનસભામાં પણ ગાંજ્યો મુદ્દો


અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં પણ ગાંજ્યો હતો,  કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં હાટકેશ્વર બ્રિજના મામલે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો કે ક્યાં કારણોસર આ બ્રિજ આવો બન્યો તેનો સરકાર જવાબ આપે. તો કોંગ્રેસના અન્ય એક નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધાબુ ભરતા હોય એમાં વપરાતી સામગ્રી બ્રિજમાં વપરાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા  કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.