હાટકેશ્વર બ્રિજ મામલો વિધાનસભામાં ઉછળ્યો, CMએ માંગ્યો કમિશનર પાસે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-27 20:29:41

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતો બ્રિજ જો માત્ર પાંચ જ વર્ષમાં તુટી જાય તો તેના માટે કોણ જવાબદાર કહેવાય?, આવો જ એક સવાલ હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ માટે થઈ રહ્યો છે. આ બ્રિજ માત્ર પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. આ મુદ્દે વિવાદ વધતા હવે AMC કમિશનરને તેડું આવ્યું છે.


CM ભૂપેન્દ્ર પટેલે માગ્યો રિપોર્ટ


હાટકેશ્વર બ્રિજ તુટવા મામલે રાજ્યનાં CM  ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી.  AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.  તેમજ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ અને છેલ્લા રિપોર્ટ સાથે તેઓને હાજર રહેવા તાકીદ કરી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે AMCના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઈ છે. 


લેબોરેટરી ટેસ્ટમાં પોલ ખુલી


હાટકેશ્વર બ્રિજ  વર્ષ 2017 માં 40 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથા ભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. વર્ષ 2021 માં જ રિબાઉન્ડ હેમર ટેસ્ટથી મનપાના અધિકારીઓને જાણ થઇ ગઈ હતી કે, બ્રિજ M45 ગ્રેડનો નથી. લેબોરેટરી ટેસ્ટનો આ રિપોર્ટ જાહેર ન થાય તે માટેના પણ પ્રયાસો ઘણા કરવામાં આવ્યા હતા. 


કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત


હાટકેશ્વર બ્રિજબ્રિજના કોન્ટ્રાકટર અજય એન્જિનીયર  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી પર ભાજપના ચાર હાથ છે. હવે જ્યારે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે ત્યારે AMC ઓફિસમાં સોંપો પડી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરતા કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


વિધાનસભામાં પણ ગાંજ્યો મુદ્દો


અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં પણ ગાંજ્યો હતો,  કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં હાટકેશ્વર બ્રિજના મામલે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો કે ક્યાં કારણોસર આ બ્રિજ આવો બન્યો તેનો સરકાર જવાબ આપે. તો કોંગ્રેસના અન્ય એક નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધાબુ ભરતા હોય એમાં વપરાતી સામગ્રી બ્રિજમાં વપરાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા  કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.