શું તમે જોયા છે અંગારા રાસ? જો ના જોયા હોય તો જુઓ Jamnagarથી આવેલી તસવીરો જેમાં ખેલૈયાઓ રમી રહ્યા છે અંગારા રાસ


  • Published By :
  • Published Date : 2023-10-18 10:55:16

નવરાત્રી એટલે નવદુર્ગાની આરાધના કરવાનો પર્વ. ગરબા ઘૂમી માતાજીની આરાધના ભક્તો કરતા હોય છે. ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે. કોઈ પણ તહેવાર કેમ ના હોય તે તહેવાર ગરબા વગર અધૂરો માનવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંપરાગત રીતે અનેક સ્થળો પર ગરબા રમાતા હોય છે. અલગ અલગ અંદાજમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે, ત્યાંથી અનેક સુંદર દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ત્યારે જામનગરથી પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમી રહ્યા છે.    





12 મિનીટ સુધી ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે ગરબા!

નવરાત્રી દરમિયાન અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરાય છે. ત્યારે જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા તેનું  અંગારા પર રાસ છે. અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. મહત્વનું છે આવા 




હાથમાં ખેલૈયાઓ રાખે છે મશાલ  

ખૂબ ઓછા સ્થળો પર અંગારા રાસનું આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં અંગારા રાસમાં 12 ખેલૈયાએ રાસ રમ્યા હતા. સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન ખેલૈયાઓના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયાઓ પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. આ મંડળી દ્વારા કરવામાં આવતું તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.