શું તમે જોયા છે અંગારા રાસ? જો ના જોયા હોય તો જુઓ Jamnagarથી આવેલી તસવીરો જેમાં ખેલૈયાઓ રમી રહ્યા છે અંગારા રાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-18 10:55:16

નવરાત્રી એટલે નવદુર્ગાની આરાધના કરવાનો પર્વ. ગરબા ઘૂમી માતાજીની આરાધના ભક્તો કરતા હોય છે. ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે. કોઈ પણ તહેવાર કેમ ના હોય તે તહેવાર ગરબા વગર અધૂરો માનવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંપરાગત રીતે અનેક સ્થળો પર ગરબા રમાતા હોય છે. અલગ અલગ અંદાજમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે, ત્યાંથી અનેક સુંદર દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ત્યારે જામનગરથી પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમી રહ્યા છે.    





12 મિનીટ સુધી ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે ગરબા!

નવરાત્રી દરમિયાન અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરાય છે. ત્યારે જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા તેનું  અંગારા પર રાસ છે. અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. મહત્વનું છે આવા 




હાથમાં ખેલૈયાઓ રાખે છે મશાલ  

ખૂબ ઓછા સ્થળો પર અંગારા રાસનું આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં અંગારા રાસમાં 12 ખેલૈયાએ રાસ રમ્યા હતા. સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન ખેલૈયાઓના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયાઓ પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. આ મંડળી દ્વારા કરવામાં આવતું તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.