શું તમે જોયા છે અંગારા રાસ? જો ના જોયા હોય તો જુઓ Jamnagarથી આવેલી તસવીરો જેમાં ખેલૈયાઓ રમી રહ્યા છે અંગારા રાસ


  • Published By :
  • Published Date : 2023-10-18 10:55:16

નવરાત્રી એટલે નવદુર્ગાની આરાધના કરવાનો પર્વ. ગરબા ઘૂમી માતાજીની આરાધના ભક્તો કરતા હોય છે. ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે. કોઈ પણ તહેવાર કેમ ના હોય તે તહેવાર ગરબા વગર અધૂરો માનવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંપરાગત રીતે અનેક સ્થળો પર ગરબા રમાતા હોય છે. અલગ અલગ અંદાજમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે, ત્યાંથી અનેક સુંદર દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ત્યારે જામનગરથી પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમી રહ્યા છે.    





12 મિનીટ સુધી ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે ગરબા!

નવરાત્રી દરમિયાન અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરાય છે. ત્યારે જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા તેનું  અંગારા પર રાસ છે. અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. મહત્વનું છે આવા 




હાથમાં ખેલૈયાઓ રાખે છે મશાલ  

ખૂબ ઓછા સ્થળો પર અંગારા રાસનું આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં અંગારા રાસમાં 12 ખેલૈયાએ રાસ રમ્યા હતા. સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન ખેલૈયાઓના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયાઓ પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. આ મંડળી દ્વારા કરવામાં આવતું તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.