શું તમે જોયા છે અંગારા રાસ? જો ના જોયા હોય તો જુઓ Jamnagarથી આવેલી તસવીરો જેમાં ખેલૈયાઓ રમી રહ્યા છે અંગારા રાસ


  • Published By :
  • Published Date : 2023-10-18 10:55:16

નવરાત્રી એટલે નવદુર્ગાની આરાધના કરવાનો પર્વ. ગરબા ઘૂમી માતાજીની આરાધના ભક્તો કરતા હોય છે. ગુજરાત અને ગરબા એકબીજાનો પર્યાય છે. કોઈ પણ તહેવાર કેમ ના હોય તે તહેવાર ગરબા વગર અધૂરો માનવામાં આવે છે. ત્યારે હમણાં તો નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. પરંપરાગત રીતે અનેક સ્થળો પર ગરબા રમાતા હોય છે. અલગ અલગ અંદાજમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે પડે છે, ત્યાંથી અનેક સુંદર દ્રશ્યો આપણી સામે આવતા હોય છે ત્યારે જામનગરથી પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેલૈયાઓ અંગારા પર રાસ રમી રહ્યા છે.    





12 મિનીટ સુધી ખેલૈયાઓ અંગારા પર ખુલ્લા પગે રમે છે ગરબા!

નવરાત્રી દરમિયાન અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ભવ્યથી અતિભવ્ય આયોજન કરાય છે. ત્યારે જામનગરના રણજિતનગરમાં છેલ્લાં 6 દાયકાથી યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા તેનું  અંગારા પર રાસ છે. અંગારા રાસમાં 12 ખેલૈયા સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. મહત્વનું છે આવા 




હાથમાં ખેલૈયાઓ રાખે છે મશાલ  

ખૂબ ઓછા સ્થળો પર અંગારા રાસનું આયોજન કરાતું હોય છે. ત્યારે જામનગરમાં અંગારા રાસમાં 12 ખેલૈયાએ રાસ રમ્યા હતા. સતત 12 મિનિટ સુધી સળગતા અંગારા પર ખુલ્લા પગે ખેલૈયાઓ રાસ રમે છે. આ માટે ખેલૈયા સતત બે મહિના પ્રેકટીસ કરે છે. ગરબીના ગ્રાઉન્ડમાં કપાસિયાના બી થી અંગારા કરવામાં આવે છે. આટલું જ નહીં રાસ દરમિયાન ખેલૈયાઓના હાથમાં બે મશાલ હોય છે. ખેલૈયા રમતા રમતા સ્વસ્તિકનું પ્રતીક બનાવે છે. અંગારા રાસ દરમિયાન ખેલૈયાઓ પગમાં પણ કોઇપણ પ્રકારનું લોશન કે ક્રીમ લગાડતા નથી. આ મંડળી દ્વારા કરવામાં આવતું તલવાર, દાતરડા, હુડો અને મશાલ રાસ પણ ખૂબ જ પ્રખ્યાત છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી