એક જુલાઈથી HDFC અને HDFC બેંકનું મર્જર અમલી બનશે, જાણો 13 જુલાઈથી શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-27 19:01:25

દેશની સૌથી મોટી ખાનગી HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ જાહેર થઈ ગઈ છે.  HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર 1 જુલાઈએ થશે. HDFCના ચેરમેન દીપક પારેખે મંગળવારે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓના મર્જરની જાહેરાત 1 જુલાઈથી અમલી બનશે. આ સાથે જ શેરબજારમાં લિસ્ટેડ HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ 13 જુલાઈથી HDFC બેંકના નામે કરવામાં આવશે.


મર્જર પછી તેના ગ્રાહકો પર થશે અસર 


HDFC લિમિટેડ અને HDFC બેંકનું આ મર્જર ભારતમાં તેના પ્રકારનું અનોખું મર્જર છે. આ મર્જર પછી HDFC બેંકનું મૂલ્ય 168 બિલિયન ડોલર (લગભગ 13.77 લાખ કરોડ રૂપિયા) થશે. આ મર્જરથી HDFC ગ્રુપની વીમા કંપનીઓ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સિવાય કરોડો લોકોને અસર થશે.આ પછી, HDFC બેંકનો મૂડી આધાર વધશે, જેનો લાભ તેના લોન ગ્રાહકોને ઓછા વ્યાજના રૂપમાં મળી શકશે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન કંપનીઓમાંની એક છે, મર્જર પછી તેના ગ્રાહકો પણ બેંકના લોન ગ્રાહકો હશે.


HDFCના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરાશે


આ સપ્તાહથી HDFC લિમિટેડ અને HDFC બેંકનું જ મર્જર થઈ જશે. બંનેનું મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે. આ માહિતી HDFCના ચેરમેન દીપક પારેખે આપી હતી. તેમણે કહ્યું કે 13 જુલાઈથી હાઉસિંગ ફાઈનાન્સના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે શેરધારકો પાસે HDFCના શેર છે તેમને તેમના શેરના આધારે HDFC બેંકના શેર આપવામાં આવશે.


બંને કંપનીઓના શેરનું વિભાજન થશે


HDFC બેંક મર્જર માટે HDFC લિમિટેડમાં રાખવામાં આવેલા દરેક 25 શેર માટે 42 નવા શેર ફાળવશે. HDFC બેંકના લગભગ 7,40,000 શેરધારકોને આનો લાભ મળશે. એચડીએફસી લિમિટેડનો પ્રયાસ છે કે શેરની રેકોર્ડ તારીખ એવી રીતે નક્કી કરવામાં આવે કે કિંમતમાં તફાવત બંને કંપનીઓના શેરધારકો સુધી પહોંચાડવામાં આવે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.