એક જુલાઈથી HDFC અને HDFC બેંકનું મર્જર અમલી બનશે, જાણો 13 જુલાઈથી શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-27 19:01:25

દેશની સૌથી મોટી ખાનગી HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ જાહેર થઈ ગઈ છે.  HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર 1 જુલાઈએ થશે. HDFCના ચેરમેન દીપક પારેખે મંગળવારે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓના મર્જરની જાહેરાત 1 જુલાઈથી અમલી બનશે. આ સાથે જ શેરબજારમાં લિસ્ટેડ HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ 13 જુલાઈથી HDFC બેંકના નામે કરવામાં આવશે.


મર્જર પછી તેના ગ્રાહકો પર થશે અસર 


HDFC લિમિટેડ અને HDFC બેંકનું આ મર્જર ભારતમાં તેના પ્રકારનું અનોખું મર્જર છે. આ મર્જર પછી HDFC બેંકનું મૂલ્ય 168 બિલિયન ડોલર (લગભગ 13.77 લાખ કરોડ રૂપિયા) થશે. આ મર્જરથી HDFC ગ્રુપની વીમા કંપનીઓ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સિવાય કરોડો લોકોને અસર થશે.આ પછી, HDFC બેંકનો મૂડી આધાર વધશે, જેનો લાભ તેના લોન ગ્રાહકોને ઓછા વ્યાજના રૂપમાં મળી શકશે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન કંપનીઓમાંની એક છે, મર્જર પછી તેના ગ્રાહકો પણ બેંકના લોન ગ્રાહકો હશે.


HDFCના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરાશે


આ સપ્તાહથી HDFC લિમિટેડ અને HDFC બેંકનું જ મર્જર થઈ જશે. બંનેનું મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે. આ માહિતી HDFCના ચેરમેન દીપક પારેખે આપી હતી. તેમણે કહ્યું કે 13 જુલાઈથી હાઉસિંગ ફાઈનાન્સના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે શેરધારકો પાસે HDFCના શેર છે તેમને તેમના શેરના આધારે HDFC બેંકના શેર આપવામાં આવશે.


બંને કંપનીઓના શેરનું વિભાજન થશે


HDFC બેંક મર્જર માટે HDFC લિમિટેડમાં રાખવામાં આવેલા દરેક 25 શેર માટે 42 નવા શેર ફાળવશે. HDFC બેંકના લગભગ 7,40,000 શેરધારકોને આનો લાભ મળશે. એચડીએફસી લિમિટેડનો પ્રયાસ છે કે શેરની રેકોર્ડ તારીખ એવી રીતે નક્કી કરવામાં આવે કે કિંમતમાં તફાવત બંને કંપનીઓના શેરધારકો સુધી પહોંચાડવામાં આવે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.