હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં સાંપા ગામ હિબકે ચઢ્યું, હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


  • Published By :
  • Published Date : 2023-07-21 17:43:39

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. આ મૃતકોમાં  ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણનો મૃતદેહનો જ્યારે તેમના વતનના ગામ સાંપામાં લાવવામાં આવ્યો તે સમયે આખું ગામ હિબકે ચઢ્યું હતું. મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર


અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું. જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ લાવવામાં આવ્યો ત્યારે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જશવંતસિંહના પરિવારજનો અને ગ્રામજનોના કરૂણ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ વર્ષ 1998થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા.


તથ્ય પટેલને ફાંસીની સજા મળે


જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. તેમના અચાનક જ કરૂણ મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું છે. તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગના કારણે જશવંતસિંહનો હસતો-ખેલતો પરિવાર વિખેરાઈ ગયો છે. જશવંતસિંહના બાળકો ભણી રહ્યા છે, મા બાપ ગામમાં ખેતી કરે છે, ઘરમાં કમાનારૂં બીજું કોઈ જ નથી અને ચાર લાખ રૂપિયાની સહાય આ પરિવાર માટે એક ચોખાના દાણા બરાબર છે અને પરિવારજનો નરાધમ નબીરા અને અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે