હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં સાંપા ગામ હિબકે ચઢ્યું, હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા


  • Published By :
  • Published Date : 2023-07-21 17:43:39

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો છે. આ મૃતકોમાં  ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણનો મૃતદેહનો જ્યારે તેમના વતનના ગામ સાંપામાં લાવવામાં આવ્યો તે સમયે આખું ગામ હિબકે ચઢ્યું હતું. મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર


અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું. જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ લાવવામાં આવ્યો ત્યારે હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જશવંતસિંહના પરિવારજનો અને ગ્રામજનોના કરૂણ આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ વર્ષ 1998થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા.


તથ્ય પટેલને ફાંસીની સજા મળે


જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. તેમના અચાનક જ કરૂણ મોતથી પરિવારજનો પર આભ તુટી પડ્યું છે. તથ્ય પટેલના બેફામ ડ્રાઈવિંગના કારણે જશવંતસિંહનો હસતો-ખેલતો પરિવાર વિખેરાઈ ગયો છે. જશવંતસિંહના બાળકો ભણી રહ્યા છે, મા બાપ ગામમાં ખેતી કરે છે, ઘરમાં કમાનારૂં બીજું કોઈ જ નથી અને ચાર લાખ રૂપિયાની સહાય આ પરિવાર માટે એક ચોખાના દાણા બરાબર છે અને પરિવારજનો નરાધમ નબીરા અને અમીર બાપની બગડેલી ઓલાદ તથ્ય પટેલને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.