ગાંધીનગરમાં આંદોલન કરતા આરોગ્યકર્મીઓની પોલીસે કરી અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:20:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર સામે રોજ નવું કર્મચારી આંદોલન ફુટી નિકળે છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે જ સરકારે આ અંગે મોટો નિર્ણય લેતા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો તથા ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આ ભથ્થાનો અસ્વીકાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. એવામાં આજે પરમીશન વિના ગાંધીનગર ખાતે એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.


આરોગ્યકર્મીઓ સામે સરકારનું આકરૂ વલણ


ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓ કે અન્ય કોઈ કર્મચારીઓને રેલી કે ધરણાની મંજૂરી અપાઈ નથી. એવામાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ એકઠા થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ પંચાયત હસ્તકના કર્મચારીઓ સામે આકરૂ વલણ અપનાવતા કડક કાર્યવાહીની વાત કરી છે. સરકારની જાહેરાત બાદ પણ કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે તો આવા કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવાશે. આંદોલનકારી કર્મચારીઓની સર્વિસ અટકાવી પગાર કાપવા સુધીની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓની કેટલી માંગણી સંતોષાઈ?


1   4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.

2 HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.

3  130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.

4 PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.

5  જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.

6  ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.

7  સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.


કઈ માંગણીઓને લઈ કરી રહ્યા છે આંદોલન?


1 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી

2 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે

3 કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે

4 કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે

5 ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.