ગાંધીનગરમાં આંદોલન કરતા આરોગ્યકર્મીઓની પોલીસે કરી અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:20:24

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર સામે રોજ નવું કર્મચારી આંદોલન ફુટી નિકળે છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે જ સરકારે આ અંગે મોટો નિર્ણય લેતા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને 4 હજાર રૂપિયાનો ઉચ્ચક પગાર વધારો તથા ટ્રાવેલ્સ એનાઉન્સ અને 130 દિવસનો રજા પગાર પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જોકે તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આ ભથ્થાનો અસ્વીકાર કરીને હડતાળ ચાલુ રાખી હતી. એવામાં આજે પરમીશન વિના ગાંધીનગર ખાતે એકઠા થયેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી.


આરોગ્યકર્મીઓ સામે સરકારનું આકરૂ વલણ


ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓ કે અન્ય કોઈ કર્મચારીઓને રેલી કે ધરણાની મંજૂરી અપાઈ નથી. એવામાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ એકઠા થતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ પંચાયત હસ્તકના કર્મચારીઓ સામે આકરૂ વલણ અપનાવતા કડક કાર્યવાહીની વાત કરી છે. સરકારની જાહેરાત બાદ પણ કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે તો આવા કર્મચારીઓ વિરુદ્ધ પગલા લેવાશે. આંદોલનકારી કર્મચારીઓની સર્વિસ અટકાવી પગાર કાપવા સુધીની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવશે.


આરોગ્ય કર્મચારીઓની કેટલી માંગણી સંતોષાઈ?


1   4 હજારનો માસિક ઉચ્ચક વધારો ચુકવવામાં આવશે.

2 HRA તથા મેડિકલ એલાઉન્સની ચુકવણી કરવામાં આવશે.

3  130 દિવસ કોરોનાના રજા પગારની માંગણી સ્વિકારાશે.

4 PTA (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવા માટે સરકારની તૈયારી.

5  જે કર્મચારીઓ કોરોનામાં સેવા પર હતા તેમને ભથ્થુ ચુકવાશે.

6  ગ્રેડ પે અંગે પણ સરકાર વિચારશે, તે અંગેની કમિટીની રચના કરશે.

7  સરકાર દ્વારા લેવાયેલા તમામ નિર્ણયોનો ઠરવા બે દિવસની અંદર કરાશે.


કઈ માંગણીઓને લઈ કરી રહ્યા છે આંદોલન?


1 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કુલ 14 માંગણીઓ મુકાઇ હતી

2 ગ્રેડ પે સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે

3 કર્મચારીઓને ગ્રેડ પે 1900 ના બદલે 2800 રૂપિયા કરવામાં આવે

4 કોવિડ દરિયાન કરવામાં આવેલા કામનું ભથ્થુ ચુકવવામાં આવે

5 ફેરવણી ભથ્થુ (ટ્રાવેલિંગ એલાઉન્સ) ચુકવવામાં આવવું જોઇએ



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"