વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ ખફા, રૂ. 28.40 લાખનો દંડ, મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-11 13:05:46

રાજ્યની હોસ્પિટલોમાં મા-કાર્ડ યોજના હેઠળ ગરીબ દર્દીઓને સારવાર ન મળતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સરકારે આ યોજના હેઠળ માન્ય કરેલી હોસ્પિટલો યોજનાના લાભાર્થી દર્દીઓને સારવાર આપવામાં ગલ્લા-તલ્લા કરતી હોય છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. 


તપાસ બાદ કાર્યવાહી


રાજ્ય સરકારની તપાસ બાદ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ- ગાંધીનગરના અધિક નિયામક ડો.કે.એચ.મિશ્રાએ 4 નવેમ્બર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વડોદરાના ડાયરેક્ટરને નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિલા અને બે પુરૃષ મળીને 3 કેન્સર દર્દીઓ કે જે મા કાર્ડના લાભાર્થી છે તેમને યોજના અંતર્ગત સારવાર આપવામાં ન આવતા તેઓને રોકડેથી અથવા બીજી હોસ્પિટલમા રિફર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલે સારવાર અર્થે પૈસા વસુલ કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે પોલીસી 7 અને 8 અંતર્ગત કોઇ પણ ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલ નથી ફક્ત રેડિએશન અને કિમોથેરાપી જ  સ્ટર્લિંગમાં આપવામાં આવી છે.


છેતરપિંડી સામે આવતા કાર્યવાહી


વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી હતી. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે ગત તા.૪ ઓક્ટોબર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને 'મા' કાર્ડ અંતર્ગત હોસ્પિટલ દ્વારા કરાતા ક્લેમની તમામ વિગતોની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેન્સરના 3 દર્દીઓના ઓપરેશન અહી કરવામાં આવ્યા નહી હોવા છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા.


શું દંડ ફટકાર્યો?


વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ મા કાર્ડ યોજનાનો લાભ દર્દીઓને ન આપતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે આ 3 દર્દીઓ પૈકી મહિલા દર્દીને 2.50 લાખ, પુરૃષ દર્દીને1.80 લાખ અને બીજા પુરૃષ દર્દીને 1.38 લાખ હોસ્પિટલે પરત આપવા. આ ઉપરાંત આ ત્રણ દર્દીઓને પરત આપવાની રકમની પાંચ ગણી પેનલ્ટી રૂ.28.40 લાખ સરકારમાં જમા કરાવવાનું કહ્યું હતું. હોસ્પિટલને મા કાર્ડ માટે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. ૩ મહિના પછી ટીમ દ્વારા હોસ્પિટલની પુનઃ મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી