વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ ખફા, રૂ. 28.40 લાખનો દંડ, મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-11 13:05:46

રાજ્યની હોસ્પિટલોમાં મા-કાર્ડ યોજના હેઠળ ગરીબ દર્દીઓને સારવાર ન મળતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સરકારે આ યોજના હેઠળ માન્ય કરેલી હોસ્પિટલો યોજનાના લાભાર્થી દર્દીઓને સારવાર આપવામાં ગલ્લા-તલ્લા કરતી હોય છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. 


તપાસ બાદ કાર્યવાહી


રાજ્ય સરકારની તપાસ બાદ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ- ગાંધીનગરના અધિક નિયામક ડો.કે.એચ.મિશ્રાએ 4 નવેમ્બર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વડોદરાના ડાયરેક્ટરને નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિલા અને બે પુરૃષ મળીને 3 કેન્સર દર્દીઓ કે જે મા કાર્ડના લાભાર્થી છે તેમને યોજના અંતર્ગત સારવાર આપવામાં ન આવતા તેઓને રોકડેથી અથવા બીજી હોસ્પિટલમા રિફર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલે સારવાર અર્થે પૈસા વસુલ કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે પોલીસી 7 અને 8 અંતર્ગત કોઇ પણ ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલ નથી ફક્ત રેડિએશન અને કિમોથેરાપી જ  સ્ટર્લિંગમાં આપવામાં આવી છે.


છેતરપિંડી સામે આવતા કાર્યવાહી


વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી હતી. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે ગત તા.૪ ઓક્ટોબર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને 'મા' કાર્ડ અંતર્ગત હોસ્પિટલ દ્વારા કરાતા ક્લેમની તમામ વિગતોની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેન્સરના 3 દર્દીઓના ઓપરેશન અહી કરવામાં આવ્યા નહી હોવા છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા.


શું દંડ ફટકાર્યો?


વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ મા કાર્ડ યોજનાનો લાભ દર્દીઓને ન આપતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે આ 3 દર્દીઓ પૈકી મહિલા દર્દીને 2.50 લાખ, પુરૃષ દર્દીને1.80 લાખ અને બીજા પુરૃષ દર્દીને 1.38 લાખ હોસ્પિટલે પરત આપવા. આ ઉપરાંત આ ત્રણ દર્દીઓને પરત આપવાની રકમની પાંચ ગણી પેનલ્ટી રૂ.28.40 લાખ સરકારમાં જમા કરાવવાનું કહ્યું હતું. હોસ્પિટલને મા કાર્ડ માટે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. ૩ મહિના પછી ટીમ દ્વારા હોસ્પિટલની પુનઃ મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.