વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગ ખફા, રૂ. 28.40 લાખનો દંડ, મા-કાર્ડ યોજનામાંથી 3 મહિના માટે સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-11-11 13:05:46

રાજ્યની હોસ્પિટલોમાં મા-કાર્ડ યોજના હેઠળ ગરીબ દર્દીઓને સારવાર ન મળતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. સરકારે આ યોજના હેઠળ માન્ય કરેલી હોસ્પિટલો યોજનાના લાભાર્થી દર્દીઓને સારવાર આપવામાં ગલ્લા-તલ્લા કરતી હોય છે. વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલને પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. 


તપાસ બાદ કાર્યવાહી


રાજ્ય સરકારની તપાસ બાદ આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ- ગાંધીનગરના અધિક નિયામક ડો.કે.એચ.મિશ્રાએ 4 નવેમ્બર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ વડોદરાના ડાયરેક્ટરને નોટિસ ફટકારી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિલા અને બે પુરૃષ મળીને 3 કેન્સર દર્દીઓ કે જે મા કાર્ડના લાભાર્થી છે તેમને યોજના અંતર્ગત સારવાર આપવામાં ન આવતા તેઓને રોકડેથી અથવા બીજી હોસ્પિટલમા રિફર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલે સારવાર અર્થે પૈસા વસુલ કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે પોલીસી 7 અને 8 અંતર્ગત કોઇ પણ ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલમાં થયેલ નથી ફક્ત રેડિએશન અને કિમોથેરાપી જ  સ્ટર્લિંગમાં આપવામાં આવી છે.


છેતરપિંડી સામે આવતા કાર્યવાહી


વડોદરાની સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલે સરકાર સાથે જ છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી હતી. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે ગત તા.૪ ઓક્ટોબર 2023ના રોજ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને 'મા' કાર્ડ અંતર્ગત હોસ્પિટલ દ્વારા કરાતા ક્લેમની તમામ વિગતોની તપાસ કરતા જાણવા મળ્યુ કે કેન્સરના 3 દર્દીઓના ઓપરેશન અહી કરવામાં આવ્યા નહી હોવા છતાં હોસ્પિટલે તેના ચાર્જ તરીકે પૈસા વસુલ કર્યા હતા.


શું દંડ ફટકાર્યો?


વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ મા કાર્ડ યોજનાનો લાભ દર્દીઓને ન આપતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ દરમિયાન 3 દર્દીઓએ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે આ 3 દર્દીઓ પૈકી મહિલા દર્દીને 2.50 લાખ, પુરૃષ દર્દીને1.80 લાખ અને બીજા પુરૃષ દર્દીને 1.38 લાખ હોસ્પિટલે પરત આપવા. આ ઉપરાંત આ ત્રણ દર્દીઓને પરત આપવાની રકમની પાંચ ગણી પેનલ્ટી રૂ.28.40 લાખ સરકારમાં જમા કરાવવાનું કહ્યું હતું. હોસ્પિટલને મા કાર્ડ માટે 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. ૩ મહિના પછી ટીમ દ્વારા હોસ્પિટલની પુનઃ મુલાકાત લેવામાં આવશે અને ઘટનાનું પુનરાવર્તન થશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં મા કાર્ડ યોજના હેઠળ દર્દીને સુવિધા ન આપી રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.