Health : વધતી ગરમીથી આ રીતે કરો પોતાનું અને પરિવારનું રક્ષણ, જાણો લૂ લાગવાના શું છે લક્ષણ અને ઉપાય?


  • Published By :
  • Published Date : 2024-05-20 15:28:54

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. થોડા સમય પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે બેવડી ઋતુનો અહેસાસ લોકોને થયો.. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું છે... હીટવેવની આગાહી અનેક જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે.. અતિશય ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. 


અનેક જગ્યાઓ માટે કરવામાં આવી છે હિટવેવની આગાહી 

ગરમીને કારણે લૂ પણ લોકોને લાગી રહી છે.. લૂથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેની જાણકારી અનેક વખત આપવામાં આવતી હોય છે... મે  મહિનામાં કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. કાળઝાળ ગરમીને કારણે ઈમરજન્સી કોલમાં વધારો જોવા મળી રહ્યો છે.. લોકોની તબિયત અચાનક બગડી રહી છે. અનેક શહેરો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે..


ગરમીથી તેમજ લૂથી બચવા માટે આટલું કરવું જોઈએ જેમાં -

1. તરસ ના લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ..

2. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ના થાય તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીબું પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો..

3. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકવો જોઈએ..

4. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી જોઈએ..

5. પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ..

6. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ લૂનો શિકાર ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ...  

7.  વરિયાળી, કોથમીર પૂદીનાનું પાણી પણ પી શકાય છે લૂથી બચવા માટે



આ તો  વાત થઈ ગરમીથી બચવા શું ઉપાય કરવા જોઈએ તેની હવે વાત કરીએ શું ના કરવું જોઈએ તેની..


1. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રીંક્સનું સેવન ના કરવું જોઈએ..

2. મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહારને ના ખાવો જોઈએ..

3. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે તડકામાં ઘરની બહાર ના નીકળવું જોઈએ..


લૂ લાગેલા વ્યક્તિની પ્રાથમિક સારવારની વાત કરીએ તો -

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તો માથા પર પાણી રેડવું જોઈએ..

2. શરીરમાં પાણીનું  પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ, લિંબુ શરબતનું પાણી આપવું જોઈએ.

3. લૂ લાગેલા વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય સેન્ટર પર સારવાર માટે લઈ જવો જોઈએ.


લૂ લાગવાના લક્ષણોની વાત કરીએ તો 

શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલ્ટી હોય, હૃદયના ધબકારા વધી જવા.. જો વ્યક્તિ બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ખસેડવો જોઈએ..


મહત્વનું છે કે ગરમી અસહ્ય થઈ ગઈ છે.. ગરમીને કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીમાં તમને લૂના લાગે અને તમારા પરિવારના સભ્યને પણ લૂના લાગે તેનું ધ્યાન રાખો..     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.