Health : Tata Instituteના ડોકટરો દાવો કરે છે કે નવી દવા કેન્સરના પુનરાવર્તનને અટકાવે છે ઉપરાંત...


  • Published By :
  • Published Date : 2024-02-29 14:58:59

સામાન્ય રીતે કેન્સરની બિમારીને લઈ એવું માનવામાં આવતું હોય છે કે એક વખત જો આ રોગ થઈ ગયો તો મોત નિશ્ચિત છે...! વાત સાચી પણ છે પરંતુ અનેક કેન્સર એવા હોય છે જે મટી શકે છે, જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો તેમાંથી મુક્તિ મળી શકે છે. કેન્સરની ટ્રીટમેન્ટ એટલી પીડાદાયક હોય છે ઉપરાંત તેની પાછળ કરોડો ખર્ચ કરવા પડે છે. અનેક વખત કેન્સર ઉથલો પણ મારે છે તેનો ડર લોકોને રહેતો હોય છે. લોકોના મનમાં બિમારીને લઈ ડર હોય છે ત્યારે મુંબઈની ટાટા સંસ્થાએ કેન્સરની સારવારમાં એક અભૂતપૂર્વ શોધની જાહેરાત કરી છે. એક દાયકાના સંશોધન પછી, તેઓએ એક ટેબ્લેટ વિકસાવી છે જે કેન્સરને પુનરાવર્તિત થતા અટકાવી શકે છે અને સારવારની આડ અસરોને 50% ઘટાડી શકે છે.

દેશના દવા ઉદ્યોગે છેલ્લાં આઠ વર્ષમાં 90.32 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવી.


100 રૂપિયામાં મળશે કેન્સરની દવા?  

મેડિકલ ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. એવી દવાઓ વિકસાવવામાં આવી રહી છે જેનો સીધો ફાયદો સામાન્ય માણસને થઈ શકે છે. અનેક બિમારીઓ એવી હોય છે જેની સારવાર પાછળ કરોડો ખર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે મુંબઈમાં સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યુટના ડોક્ટરો ક્લેમ કરી રહ્યા છે કે તેમને એવી દવા વિકસાવી દીધી છે જે કેન્સરને ફરી આવતા રોકી શકે છે. કેન્સર ઉથલો ના મારે તેવી દવા તેમણે વિકસાવી દીધી છે અને તેની કિંમત 100 રુપિયા કરતા ઓછી છે. 100 રૂપિયાની ઓછી કિંમતમાં દવા ઉપલબ્ધ થશે તેવા દાવો ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ના માત્ર કેન્સરને રોકવા માટે આ દવા સક્ષમ છે પરંતુ કેન્સરની સારવાર દરમિયાન થતી સાઈડ ઈફેક્ટની અસર ઓછી કરવામાં પણ આ દવા સફળ છે. 50 ટકા સાઈડ ઈફેક્ટની અસર ઓછી થઈ શકે છે તેવા દાવા કરવામાં આવ્યા છે.

Image

અનેક વર્ષો મહેનત કર્યા બાદ ટીમને મળી સફળતા!

મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ, ભારતમાં કેન્સર સંશોધન અને સારવારની એક અગ્રણી સુવિધા, તેણે એવી સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે જે બીજી વખત કેન્સરના પુનરુત્થાનને અટકાવી શકે છે. આ દવા બનાવવા પાછળ સંસ્થાના સંશોધકો અને ડોકટરોએ ઘણી મહેનત કરી છે. આ દવાને વિકસાવવા પાછળ 10 વર્ષ સુધી કામ કર્યું અને હવે એક ટેબ્લેટ વિકસાવી છે જેનો તેઓ દાવો કરે છે કે તે દર્દીઓમાં બીજી વખત કેન્સરની ઘટનાને અટકાવશે અને રેડિયેશન અને કીમોથેરાપી જેવી સારવારની આડ અસરોને પણ 50 ટકા ઘટાડી દેશે.


કેવી રીતે તૈયાર કરવામાં આવી દવા? 

જ્યારે પણ કોઈ રિસર્ચ કરવામાં આવે છે, કોઈ નવા પ્રયોગો કરવામાં આવે છે તો તે માણસો પર નહીં પરંતુ જાનવર પર કરવામાં આવતા હોય છે. મુખ્યત્વે ઉંદર ઉપર રિસર્ચ કરવામાં આવતા હોય છે. મીડિયા ચેનલ સાથેની વાત દરમિયાન ડો. રાજેન્દ્ર બાઘવેએ આખી પ્રક્રિયા કેવી થાય છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે "સંશોધન માટે ઉંદરોમાં માનવ કેન્સરના કોષો દાખલ કરવામાં આવ્યા હતા, જેનાથી તેમનામાં ગાંઠની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉંદરોની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે જ્યારે આ કેન્સરના કોષો મૃત્યુ પામે છે, ત્યારે તેઓ ક્રોમેટિન કણો તરીકે ઓળખાતા નાના ટુકડાઓમાં તૂટી જાય છે. આ કણો લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જ્યારે તેઓ તંદુરસ્ત કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમને કેન્સરમાં ફેરવી શકે છે."    



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.