Health : Tata Instituteના ડોકટરો દાવો કરે છે કે નવી દવા કેન્સરના પુનરાવર્તનને અટકાવે છે ઉપરાંત...


  • Published By :
  • Published Date : 2024-02-29 14:58:59

સામાન્ય રીતે કેન્સરની બિમારીને લઈ એવું માનવામાં આવતું હોય છે કે એક વખત જો આ રોગ થઈ ગયો તો મોત નિશ્ચિત છે...! વાત સાચી પણ છે પરંતુ અનેક કેન્સર એવા હોય છે જે મટી શકે છે, જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો તેમાંથી મુક્તિ મળી શકે છે. કેન્સરની ટ્રીટમેન્ટ એટલી પીડાદાયક હોય છે ઉપરાંત તેની પાછળ કરોડો ખર્ચ કરવા પડે છે. અનેક વખત કેન્સર ઉથલો પણ મારે છે તેનો ડર લોકોને રહેતો હોય છે. લોકોના મનમાં બિમારીને લઈ ડર હોય છે ત્યારે મુંબઈની ટાટા સંસ્થાએ કેન્સરની સારવારમાં એક અભૂતપૂર્વ શોધની જાહેરાત કરી છે. એક દાયકાના સંશોધન પછી, તેઓએ એક ટેબ્લેટ વિકસાવી છે જે કેન્સરને પુનરાવર્તિત થતા અટકાવી શકે છે અને સારવારની આડ અસરોને 50% ઘટાડી શકે છે.

દેશના દવા ઉદ્યોગે છેલ્લાં આઠ વર્ષમાં 90.32 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવી.


100 રૂપિયામાં મળશે કેન્સરની દવા?  

મેડિકલ ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. એવી દવાઓ વિકસાવવામાં આવી રહી છે જેનો સીધો ફાયદો સામાન્ય માણસને થઈ શકે છે. અનેક બિમારીઓ એવી હોય છે જેની સારવાર પાછળ કરોડો ખર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે મુંબઈમાં સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યુટના ડોક્ટરો ક્લેમ કરી રહ્યા છે કે તેમને એવી દવા વિકસાવી દીધી છે જે કેન્સરને ફરી આવતા રોકી શકે છે. કેન્સર ઉથલો ના મારે તેવી દવા તેમણે વિકસાવી દીધી છે અને તેની કિંમત 100 રુપિયા કરતા ઓછી છે. 100 રૂપિયાની ઓછી કિંમતમાં દવા ઉપલબ્ધ થશે તેવા દાવો ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ના માત્ર કેન્સરને રોકવા માટે આ દવા સક્ષમ છે પરંતુ કેન્સરની સારવાર દરમિયાન થતી સાઈડ ઈફેક્ટની અસર ઓછી કરવામાં પણ આ દવા સફળ છે. 50 ટકા સાઈડ ઈફેક્ટની અસર ઓછી થઈ શકે છે તેવા દાવા કરવામાં આવ્યા છે.

Image

અનેક વર્ષો મહેનત કર્યા બાદ ટીમને મળી સફળતા!

મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ, ભારતમાં કેન્સર સંશોધન અને સારવારની એક અગ્રણી સુવિધા, તેણે એવી સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે જે બીજી વખત કેન્સરના પુનરુત્થાનને અટકાવી શકે છે. આ દવા બનાવવા પાછળ સંસ્થાના સંશોધકો અને ડોકટરોએ ઘણી મહેનત કરી છે. આ દવાને વિકસાવવા પાછળ 10 વર્ષ સુધી કામ કર્યું અને હવે એક ટેબ્લેટ વિકસાવી છે જેનો તેઓ દાવો કરે છે કે તે દર્દીઓમાં બીજી વખત કેન્સરની ઘટનાને અટકાવશે અને રેડિયેશન અને કીમોથેરાપી જેવી સારવારની આડ અસરોને પણ 50 ટકા ઘટાડી દેશે.


કેવી રીતે તૈયાર કરવામાં આવી દવા? 

જ્યારે પણ કોઈ રિસર્ચ કરવામાં આવે છે, કોઈ નવા પ્રયોગો કરવામાં આવે છે તો તે માણસો પર નહીં પરંતુ જાનવર પર કરવામાં આવતા હોય છે. મુખ્યત્વે ઉંદર ઉપર રિસર્ચ કરવામાં આવતા હોય છે. મીડિયા ચેનલ સાથેની વાત દરમિયાન ડો. રાજેન્દ્ર બાઘવેએ આખી પ્રક્રિયા કેવી થાય છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે "સંશોધન માટે ઉંદરોમાં માનવ કેન્સરના કોષો દાખલ કરવામાં આવ્યા હતા, જેનાથી તેમનામાં ગાંઠની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉંદરોની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે જ્યારે આ કેન્સરના કોષો મૃત્યુ પામે છે, ત્યારે તેઓ ક્રોમેટિન કણો તરીકે ઓળખાતા નાના ટુકડાઓમાં તૂટી જાય છે. આ કણો લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જ્યારે તેઓ તંદુરસ્ત કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમને કેન્સરમાં ફેરવી શકે છે."    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.