હવે પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો, વિધાનસભા ઘેરાવની આપી ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 15:13:57

કર્મચારી આંદોલનો રાજ્યની ભાજપ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યા છે. પોતાની પડતર માગણીને લઈને લગભગ તમામ વિભાગોના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમાં પણ આરોગ્ય કર્મચારીઓએ તો સરકાર સામે રીતસર મોરચો માડ્યો છે. 8મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓની ચીમકીને પગલે સચિવાલય અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં 


પોતાની પડતર માગણીઓને લઈને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની બાહેધરી ન મળતા આકરા પાણીએ થયેલા આરોગ્ય કર્મીઓએ આંદોલનને આક્રમક બનાવાની રણનીતિ તૈયાર કરી છે. આરોગ્ય કર્મચારીઓ 15થી 20 સપ્ટેમ્બર સુધી આંદોલન કરશે. આ દરમિયાન હજારો આરોગ્ય કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે. પરિવાર સાથે ધરણા પ્રદર્શન કરશે.  રેલી, રસ્તા રોકો આંદોલન તથા પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાળ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.  આરોગ્ય કર્મચારીના આક્રમક તેવરને લઈને સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે આરોગ્ય કર્મીઓના પ્રદર્શન મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર વાતચીતથી ઉકેલ લાવવા તૈયાર છે.


કોણ કોણ રેલીમાં જોડાયું?


આજે હજારોની સંખ્યામાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓ  ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે.



આરોગ્ય કર્મચારીઓની માંગણી શું છે?


પગારમાં વિસંગતતા દૂર કરી ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે

આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે રૂ.1900 થી વધારી રૂ.2800 કરવા માગ

કોવિડ સમયમાં કામ કર્યું તે માટે ભથ્થુ આપવાની માગ 

રવિવાર અને જાહેર રજાના દિવસે કરેલી નોકરીનો પગાર આપવામાં આવે

આરોગ્યકર્મીઓને ફેરણી ભથ્થુ (PTA) આપવામાં આવે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.