ફ્લેશ દેખાડી, ગરબે રમી આરોગ્યકર્મીનો સરકાર સામે વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 11:25:02



ગુજરાત સરકાર સામે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પોતાની જૂની ત્રણ માગો સાથે છેલ્લા ઘણા સમયથી આંદોલન નોંધાવી રહ્યા છે. આ વખતે આરોગ્ય કર્મચારીઓ અગાઉની જેમ જિલ્લા સ્તરે નહીં પરંતુ ગાંધીનગરમાં ઘૂસીને વિરોધ નોંધાવી રહ્યા છે. 


ગરબે ઘૂમી અને ફ્લેશલાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો

કોરોનાના સમયમાં દિવસ રાત ન જોયા વગર સેવા આપતા આરોગ્ય કર્મચારીઓ ગત 15 સપ્ટેમ્બરથી ગાંધીનગરમાં ઘેરો નાખીને બેઠા છે. ગુજરાતભરથી આવેલા આરોગ્યકર્મચારીઓએ ગઈકાલે ગરબા રમી સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગરબા રમી તેઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે, "આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી." આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય પાટણ અને ગાંધીનગરમાં ફ્લેશલાઈટ દેખાડી આરોગ્ય કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. 


આજે 2 વાગ્યે આરોગ્ય કર્મચારીની સરકાર સાથે બેઠક

ગુજરાત પંચાયત હસ્તકના કર્મચારીઓ આજે બપોરે 2 કલાકે સરકાર સાથે પોતાની માગ મામલે ચર્ચા બેઠક કરશે. અગાઉ સરકારે આરોગ્ય કર્મચારીઓ પાસેથી 1 મહિનાનો સમય માગ્યો હતો પરંતુ કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા આરોગ્ય કર્મચારીઓ ફરીથી આંદોલન કર્યું હતું.   


આ ત્રણ માગ સ્વીકારવા ધરણા 

નોન ટેક્નિકલ વિભાગના આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણવા જેથી 2400નો ગ્રેડ-પે ગણાય. આરોગ્ય કર્મચારી ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ નોન ટેક્નિકલ ગણે છે માટે તમામને ટેક્નિકલ ગણવા માગ કરી છે. કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થું અને રજાના દિવસોનીની કામગીરીનું વળતર મળે. આરોગ્ય કર્મચારીને 8 કિલોમીટર પર ભાડાના પૈસા નથી આપતા તે ભથ્થું આપો તેવી માગ છે.       



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.