Ahmedabadના ધગધગતા તાપમાં કામ કરતા આ લોકોની કહાણી સાંભળો, તેમના જીવનને એક વખત જાણો, આમને જોશો તો ગરમી ભૂલી જશો!


  • Published By :
  • Published Date : 2024-05-27 18:28:20

અસહ્ય ગરમીનો અનુભવ આપણને ગુજરાતમાં થઈ રહ્યો છે.. થોડા દિવસો પહેલા તાપમાનનો પારો 47 ડિગ્રી નજીક અમદાવાદનું પહોંચી ગયો હતો. આપણામાંથી અનેક લોકો એસીમાં બેસી કામ કરતા હોય છે, ઘરમાં પણ એસી હોય છે.. થોડી વાર માટે જો એસી બંધ થયું હોય તો આપણને ગરમી લાગવા લાગે છે. ગરમીની ફરિયાદ કરવા લાગીએ છીએ.. આપણે આપણા બાળકોને આવી ગરમીમાં બહાર નિકાળતા પહેલા સો વખત વિચારીએ છીએ પરંતુ તે બાળકોનું નથી વિચારતા..!

જમાવટની ટીમે લીધી કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત

ગરમીની ફરિયાદ કરતા પહેલા આપણે એ લોકોનો વિચાર કરવો જોઈએ જે આટલી ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે...આવા ધગધગતા તાપમાં તે મજૂરી કરે છે. ત્યારે જમાવટની ટીમે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરી હતી અને તેમની પીડા જાણવાની કોશિશ કરી હતી...જ્યારે આપણે આવા લોકોને જોઈએ તો વિચારીએ કે તેમના માટે આ તો એકદમ નોર્મલ વસ્તુ હશે.. તે લોકો ટેવાઈ ગયા હશે વગેરે વગેરે.. વાત સાચી પણ હશે કે આપણમાંથી અનેકને આવો જ વિચાર આવતો હશે..


રોજનું કમાઈને રોજ ખાતા હોય છે મજૂરો!

જમાવટની ટીમ જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરવા પહોંચી હતી ત્યારે ત્યાં અમને નાના બાળકો મળ્યા જે એકદમ આનંદથી ત્યાં આવી પરિસ્થિતિમાં રહેતા હતા. ત્યાં હાજર બાળકોને પૂછવામાં આવ્યું કે તે શાળામાં જાય છે ત્યારે તેણે હા પાડી.. ત્યાં આવેલા મજૂરો મધ્યપ્રદેશ સાઈડથી આવ્યા હતા. ત્યાં અનેક મહિલાઓ હાજર હતી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ગરમી નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું કે પેટ માટે તો કરવું પડે.. જો એક દિવસ કામ પર ના આવીએ તો પૈસા ના મળે.. વાત સાચી પણ છે આવા લોકો રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે.. જો એક દિવસ કામ પર ના જાય તો તેમના ઘરે ચૂલો ના સળગે.. 


જ્યારે ગરમીને લઈ કરવામાં આવ્યો સવાલ 

જ્યારે તડકાને લઈ પૂછવામાં આવ્યું કે શું તેમને ગરમી લાગે તો તેમણે કહ્યું કે ગરમી લાગે તો થોડી વાર છાંયડામાં બેસી જાય અને પછી થોડી વાર પછી કામ કરે.. મજબૂરીમાં તો કરવું જ પડેને તેવી વાત ત્યાં હાજર એક મહિલા દ્વારા કરવામાં આવી.. જ્યારે ગરમીને લઈ બીજા એક મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો અમારો રાત દિવસનો ધંધો છે. તડકો હોય છે છાંયડો હોય અમને તો ફાવી ગયું છે.. ટેવાઈ ગયા છીએ તેવું તેમણે કહ્યું હતું.. 


જ્યારે કામ ના મળે ત્યારે... 

જ્યારે ચામડી બળી જાય તો શું થાય તેવું જ્યારે જમાવટના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કશો ફરક ના પડે.. તેમણે કહ્યું કે તમારે નોકરી છે અમે મજૂરી કરીએ છીએ એટલો ફરક પડે. બધા પેટ માટે કરે છે.. જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેક કામ ના મળે તો શું કરો તો તેમણે કહ્યું કે કામ ના મળે તો ઘરે બેસીએ. જ્યારે બીજા એક બહેનને પૂછવામાં આવ્યું કે કેવી રીતે મજૂરી કરવામાં લાગી ગયા તો તેમણે કહ્યું કે માતા પિતા મજૂરી કરતા હતા એટલા માટે તે આ કામમાં લાગી ગયા.. તેમણે કહ્યું કે તે પોતાના બાળકને ભણાવશે.. ત્યારે તમારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.