Ahmedabadના ધગધગતા તાપમાં કામ કરતા આ લોકોની કહાણી સાંભળો, તેમના જીવનને એક વખત જાણો, આમને જોશો તો ગરમી ભૂલી જશો!


  • Published By :
  • Published Date : 2024-05-27 18:28:20

અસહ્ય ગરમીનો અનુભવ આપણને ગુજરાતમાં થઈ રહ્યો છે.. થોડા દિવસો પહેલા તાપમાનનો પારો 47 ડિગ્રી નજીક અમદાવાદનું પહોંચી ગયો હતો. આપણામાંથી અનેક લોકો એસીમાં બેસી કામ કરતા હોય છે, ઘરમાં પણ એસી હોય છે.. થોડી વાર માટે જો એસી બંધ થયું હોય તો આપણને ગરમી લાગવા લાગે છે. ગરમીની ફરિયાદ કરવા લાગીએ છીએ.. આપણે આપણા બાળકોને આવી ગરમીમાં બહાર નિકાળતા પહેલા સો વખત વિચારીએ છીએ પરંતુ તે બાળકોનું નથી વિચારતા..!

જમાવટની ટીમે લીધી કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત

ગરમીની ફરિયાદ કરતા પહેલા આપણે એ લોકોનો વિચાર કરવો જોઈએ જે આટલી ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે...આવા ધગધગતા તાપમાં તે મજૂરી કરે છે. ત્યારે જમાવટની ટીમે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરી હતી અને તેમની પીડા જાણવાની કોશિશ કરી હતી...જ્યારે આપણે આવા લોકોને જોઈએ તો વિચારીએ કે તેમના માટે આ તો એકદમ નોર્મલ વસ્તુ હશે.. તે લોકો ટેવાઈ ગયા હશે વગેરે વગેરે.. વાત સાચી પણ હશે કે આપણમાંથી અનેકને આવો જ વિચાર આવતો હશે..


રોજનું કમાઈને રોજ ખાતા હોય છે મજૂરો!

જમાવટની ટીમ જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરવા પહોંચી હતી ત્યારે ત્યાં અમને નાના બાળકો મળ્યા જે એકદમ આનંદથી ત્યાં આવી પરિસ્થિતિમાં રહેતા હતા. ત્યાં હાજર બાળકોને પૂછવામાં આવ્યું કે તે શાળામાં જાય છે ત્યારે તેણે હા પાડી.. ત્યાં આવેલા મજૂરો મધ્યપ્રદેશ સાઈડથી આવ્યા હતા. ત્યાં અનેક મહિલાઓ હાજર હતી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ગરમી નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું કે પેટ માટે તો કરવું પડે.. જો એક દિવસ કામ પર ના આવીએ તો પૈસા ના મળે.. વાત સાચી પણ છે આવા લોકો રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે.. જો એક દિવસ કામ પર ના જાય તો તેમના ઘરે ચૂલો ના સળગે.. 


જ્યારે ગરમીને લઈ કરવામાં આવ્યો સવાલ 

જ્યારે તડકાને લઈ પૂછવામાં આવ્યું કે શું તેમને ગરમી લાગે તો તેમણે કહ્યું કે ગરમી લાગે તો થોડી વાર છાંયડામાં બેસી જાય અને પછી થોડી વાર પછી કામ કરે.. મજબૂરીમાં તો કરવું જ પડેને તેવી વાત ત્યાં હાજર એક મહિલા દ્વારા કરવામાં આવી.. જ્યારે ગરમીને લઈ બીજા એક મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો અમારો રાત દિવસનો ધંધો છે. તડકો હોય છે છાંયડો હોય અમને તો ફાવી ગયું છે.. ટેવાઈ ગયા છીએ તેવું તેમણે કહ્યું હતું.. 


જ્યારે કામ ના મળે ત્યારે... 

જ્યારે ચામડી બળી જાય તો શું થાય તેવું જ્યારે જમાવટના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કશો ફરક ના પડે.. તેમણે કહ્યું કે તમારે નોકરી છે અમે મજૂરી કરીએ છીએ એટલો ફરક પડે. બધા પેટ માટે કરે છે.. જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેક કામ ના મળે તો શું કરો તો તેમણે કહ્યું કે કામ ના મળે તો ઘરે બેસીએ. જ્યારે બીજા એક બહેનને પૂછવામાં આવ્યું કે કેવી રીતે મજૂરી કરવામાં લાગી ગયા તો તેમણે કહ્યું કે માતા પિતા મજૂરી કરતા હતા એટલા માટે તે આ કામમાં લાગી ગયા.. તેમણે કહ્યું કે તે પોતાના બાળકને ભણાવશે.. ત્યારે તમારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.