Ahmedabadના ધગધગતા તાપમાં કામ કરતા આ લોકોની કહાણી સાંભળો, તેમના જીવનને એક વખત જાણો, આમને જોશો તો ગરમી ભૂલી જશો!


  • Published By :
  • Published Date : 2024-05-27 18:28:20

અસહ્ય ગરમીનો અનુભવ આપણને ગુજરાતમાં થઈ રહ્યો છે.. થોડા દિવસો પહેલા તાપમાનનો પારો 47 ડિગ્રી નજીક અમદાવાદનું પહોંચી ગયો હતો. આપણામાંથી અનેક લોકો એસીમાં બેસી કામ કરતા હોય છે, ઘરમાં પણ એસી હોય છે.. થોડી વાર માટે જો એસી બંધ થયું હોય તો આપણને ગરમી લાગવા લાગે છે. ગરમીની ફરિયાદ કરવા લાગીએ છીએ.. આપણે આપણા બાળકોને આવી ગરમીમાં બહાર નિકાળતા પહેલા સો વખત વિચારીએ છીએ પરંતુ તે બાળકોનું નથી વિચારતા..!

જમાવટની ટીમે લીધી કન્સ્ટ્રક્શન સાઈટની મુલાકાત

ગરમીની ફરિયાદ કરતા પહેલા આપણે એ લોકોનો વિચાર કરવો જોઈએ જે આટલી ગરમીમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે...આવા ધગધગતા તાપમાં તે મજૂરી કરે છે. ત્યારે જમાવટની ટીમે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરી હતી અને તેમની પીડા જાણવાની કોશિશ કરી હતી...જ્યારે આપણે આવા લોકોને જોઈએ તો વિચારીએ કે તેમના માટે આ તો એકદમ નોર્મલ વસ્તુ હશે.. તે લોકો ટેવાઈ ગયા હશે વગેરે વગેરે.. વાત સાચી પણ હશે કે આપણમાંથી અનેકને આવો જ વિચાર આવતો હશે..


રોજનું કમાઈને રોજ ખાતા હોય છે મજૂરો!

જમાવટની ટીમ જ્યારે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો સાથે વાત કરવા પહોંચી હતી ત્યારે ત્યાં અમને નાના બાળકો મળ્યા જે એકદમ આનંદથી ત્યાં આવી પરિસ્થિતિમાં રહેતા હતા. ત્યાં હાજર બાળકોને પૂછવામાં આવ્યું કે તે શાળામાં જાય છે ત્યારે તેણે હા પાડી.. ત્યાં આવેલા મજૂરો મધ્યપ્રદેશ સાઈડથી આવ્યા હતા. ત્યાં અનેક મહિલાઓ હાજર હતી એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ગરમી નથી લાગતી? ત્યારે તેમણે કહ્યું કે પેટ માટે તો કરવું પડે.. જો એક દિવસ કામ પર ના આવીએ તો પૈસા ના મળે.. વાત સાચી પણ છે આવા લોકો રોજનું કમાઈને રોજનું ખાતા હોય છે.. જો એક દિવસ કામ પર ના જાય તો તેમના ઘરે ચૂલો ના સળગે.. 


જ્યારે ગરમીને લઈ કરવામાં આવ્યો સવાલ 

જ્યારે તડકાને લઈ પૂછવામાં આવ્યું કે શું તેમને ગરમી લાગે તો તેમણે કહ્યું કે ગરમી લાગે તો થોડી વાર છાંયડામાં બેસી જાય અને પછી થોડી વાર પછી કામ કરે.. મજબૂરીમાં તો કરવું જ પડેને તેવી વાત ત્યાં હાજર એક મહિલા દ્વારા કરવામાં આવી.. જ્યારે ગરમીને લઈ બીજા એક મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો અમારો રાત દિવસનો ધંધો છે. તડકો હોય છે છાંયડો હોય અમને તો ફાવી ગયું છે.. ટેવાઈ ગયા છીએ તેવું તેમણે કહ્યું હતું.. 


જ્યારે કામ ના મળે ત્યારે... 

જ્યારે ચામડી બળી જાય તો શું થાય તેવું જ્યારે જમાવટના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કશો ફરક ના પડે.. તેમણે કહ્યું કે તમારે નોકરી છે અમે મજૂરી કરીએ છીએ એટલો ફરક પડે. બધા પેટ માટે કરે છે.. જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારેક કામ ના મળે તો શું કરો તો તેમણે કહ્યું કે કામ ના મળે તો ઘરે બેસીએ. જ્યારે બીજા એક બહેનને પૂછવામાં આવ્યું કે કેવી રીતે મજૂરી કરવામાં લાગી ગયા તો તેમણે કહ્યું કે માતા પિતા મજૂરી કરતા હતા એટલા માટે તે આ કામમાં લાગી ગયા.. તેમણે કહ્યું કે તે પોતાના બાળકને ભણાવશે.. ત્યારે તમારું આ મામલે શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.