Parshottam Rupala વિવાદમાં નામ ઉછળ્યા બાદ Bharat Boghara રુપાલાના સમર્થનમાં શું બોલ્યા સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-04-10 13:39:11

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ શાંત નથી થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અનેક વખત ક્ષત્રિય સમાજની માફી પરષોત્તમ રૂપાલાએ માગી પરંતુ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ આ બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારે છે તેની ચર્ચાઓ થઈ રહી છે. પરેશ ધાનાણીના નામની ચર્ચાઓ થઈ રહી છે આ બધા વચ્ચે ભરત બોઘરાએ વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાજકોટમાં કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે નહીં તેવી સ્થિતિ હતી. ઉપરાંત રાજકોટની સીટ પર પાંચ લાખથી વધારે લીડથી ભાજપ જીત હાંસલ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.   

પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માગ સાથે ક્ષત્રિયો મક્કમ!

ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારને લઈ વિરોધ થઈ રહ્યો છે. બે બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા પણ ખરા. ત્યારે ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. રાજ્યના અનેક અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ગઈકાલે કમલમને ઘેરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કમલમનો ઘેરાવો કરે તે પહેલા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી...


ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપી... 

અનેક બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. રાજકોટ લોકસભા બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેની ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે પરેશ ધાનાણીના નામની ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસ તેમને ઉમેદવાર બનાવશે. પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે તેવી માહિતી પણ સામે આવી ગઈ છે. આ બધા વચ્ચે ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયા એવા સમયે આપી છે જ્યારે ભાજપના નેતાઓની આંદોલન પાછળ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે ભરત બોઘરાએ પહેલા પણ પ્રતિક્રિયા આપી હતી ત્યારે ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે પરેશ ધાનાણીની વાત કરી છે ઉપરાંત પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં વાત કરી છે. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ જીતે છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.        




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે