રખડતા ઢોર મામલે Gujarat Highcourtમાં હાથ ધરાઈ સુનાવણી, જાણો સૌથી વધારે ઢોર ક્યાંથી પકડાયા?


  • Published By :
  • Published Date : 2023-11-07 14:22:24

ગુજરાતીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એએમસીના મુખ્યત્વે કર્મચારીઓ રસ્તા પર ફરતા ઢોરને પકડવા માટે ઉતરી ગયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બિસ્માર રોડ, રખડતા ઢોર, પાર્કિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મનપાએ 1835 રખડતા ઢોરને પકડ્યા છે. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું 

તમે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે રખડતા ઢોર દેખાય તો તમારા મનમાં એક ડર સતાવતો હોય છે કે આ ઢોર અથવા તો શ્વાન તમારી પર હુમલો ન કરી દે. કારણ કે પ્રતિદિન રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોને રખડતા શ્વાને અને ઢોરે પોતાના હુમલાનો શિકાર બનાવ્યા છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ ગુજરાત હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટમાં આજે આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તેની માહિતી આપવામાં આવી છે. 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.


કયાં કેટલા રખડતા ઢોર પકડાયા? 

હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરીએ તો અમદાવાદ મનપાએ 1835 રખડતા ઢોર પકડ્યા, સુરત મનપાએ 514 રખડતા ઢોર પકડ્યા, વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા છે જ્યારે રાજકોટ મનપાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. જૂનાગઢ મનપાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. જામનગર મનપાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. ભાવનગર મનપાએ 367 રખડતા ઢોરને પકડી પાડ્યા છે. ગાંધીનગરમાં 179 ઢોર પકડાયા છે. મહત્વનું છે કે આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં તો આવી પરંતુ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે કે નહીં તે એક પ્રશ્ન છે...     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી