રખડતા ઢોર મામલે Gujarat Highcourtમાં હાથ ધરાઈ સુનાવણી, જાણો સૌથી વધારે ઢોર ક્યાંથી પકડાયા?


  • Published By :
  • Published Date : 2023-11-07 14:22:24

ગુજરાતીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એએમસીના મુખ્યત્વે કર્મચારીઓ રસ્તા પર ફરતા ઢોરને પકડવા માટે ઉતરી ગયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બિસ્માર રોડ, રખડતા ઢોર, પાર્કિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મનપાએ 1835 રખડતા ઢોરને પકડ્યા છે. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું 

તમે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે રખડતા ઢોર દેખાય તો તમારા મનમાં એક ડર સતાવતો હોય છે કે આ ઢોર અથવા તો શ્વાન તમારી પર હુમલો ન કરી દે. કારણ કે પ્રતિદિન રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોને રખડતા શ્વાને અને ઢોરે પોતાના હુમલાનો શિકાર બનાવ્યા છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ ગુજરાત હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટમાં આજે આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તેની માહિતી આપવામાં આવી છે. 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.


કયાં કેટલા રખડતા ઢોર પકડાયા? 

હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરીએ તો અમદાવાદ મનપાએ 1835 રખડતા ઢોર પકડ્યા, સુરત મનપાએ 514 રખડતા ઢોર પકડ્યા, વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા છે જ્યારે રાજકોટ મનપાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. જૂનાગઢ મનપાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. જામનગર મનપાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. ભાવનગર મનપાએ 367 રખડતા ઢોરને પકડી પાડ્યા છે. ગાંધીનગરમાં 179 ઢોર પકડાયા છે. મહત્વનું છે કે આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં તો આવી પરંતુ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે કે નહીં તે એક પ્રશ્ન છે...     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.