રખડતા ઢોર મામલે Gujarat Highcourtમાં હાથ ધરાઈ સુનાવણી, જાણો સૌથી વધારે ઢોર ક્યાંથી પકડાયા?


  • Published By :
  • Published Date : 2023-11-07 14:22:24

ગુજરાતીઓને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એએમસીના મુખ્યત્વે કર્મચારીઓ રસ્તા પર ફરતા ઢોરને પકડવા માટે ઉતરી ગયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બિસ્માર રોડ, રખડતા ઢોર, પાર્કિંગ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મનપાએ 1835 રખડતા ઢોરને પકડ્યા છે. 

High Court: હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા અપાવવા ગુજરાત હાઈકોર્ટ  એડવોકેટ એસોસિએશને રાજ્યપાલને લખ્યો પત્ર - Gujarati News | High Court:  Gujarat High Court ...

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાયું 

તમે જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ ત્યારે રખડતા ઢોર દેખાય તો તમારા મનમાં એક ડર સતાવતો હોય છે કે આ ઢોર અથવા તો શ્વાન તમારી પર હુમલો ન કરી દે. કારણ કે પ્રતિદિન રખડતા ઢોરના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક લોકોને રખડતા શ્વાને અને ઢોરે પોતાના હુમલાનો શિકાર બનાવ્યા છે. આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ટકોર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ ગુજરાત હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટમાં આજે આ મામલે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. 5979 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે જેમાં ક્યાંથી કેટલા ઢોર પકડાયા તેની માહિતી આપવામાં આવી છે. 27 ઓગસ્ટથી 5 નવેમ્બર સુધીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.


કયાં કેટલા રખડતા ઢોર પકડાયા? 

હાઈકોર્ટમાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તે વિષય પર વાત કરીએ તો અમદાવાદ મનપાએ 1835 રખડતા ઢોર પકડ્યા, સુરત મનપાએ 514 રખડતા ઢોર પકડ્યા, વડોદરા મનપાએ 305 ઢોર પકડ્યા છે જ્યારે રાજકોટ મનપાએ 468 રખડતા ઢોર પકડ્યા છે. જૂનાગઢ મનપાએ 216 રખડતા ઢોર પકડ્યા છે. જામનગર મનપાએ 430 રખડતા ઢોર પકડ્યા છે. ભાવનગર મનપાએ 367 રખડતા ઢોરને પકડી પાડ્યા છે. ગાંધીનગરમાં 179 ઢોર પકડાયા છે. મહત્વનું છે કે આ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં તો આવી પરંતુ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે કે નહીં તે એક પ્રશ્ન છે...     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.