ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી, સરકારની કોર્ટે કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2023-01-07 15:33:47

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. પતંગ ચગાવવા ઉપયોગમાં આવતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . આ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને લોકોમાં ચાઈનીઝ દોરી અંગે જાગૃતતા લાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જેમ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે તેવી રીતે આ અંગે પર પણ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.  

ઉત્તરાયણ પહેલાં બજારોમાં રોનક: પતંગ દોરી ખરીદવા લોકોની ભીડ ઉમટી, 40 કરોડ  સુધીના વેપારની આશા


ચાઈનીઝ દોરીને લઈ કોર્ટમાં થઈ સુનાવણી 

અનેક લોકો પોતાનો પતંગ ન કપાય તે માટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઈ લોકોની મજા બીજા માટે સજા સાબિત થતી હોય છે. આ દોરીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ શરૂ થાય તે પહેલા જ એવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. હાઈકોર્ટમાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને લઈ સુનાવણી કરવામાં આવી હતી. 

ગુજરાત વડી અદાલત - વિકિપીડિયા


બીજી વખત સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું 

આ મુદ્દાને લઈ સરકારે હાઈકોર્ટમાં ગઈકાલે સૌગંદનામુ રજૂ કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેવા નથી. નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે સરકારે આજે સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ સોગંદનામા બાદ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. 


જામનગરની બજારમાં દોરા અને પતંગની ભાવ વધારાભણી ઉડાન - Sanj Samachar


લોકોમાં જાગૃતતા લાવવા સરકારને કરાયો આદેશ 

ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પણ અનેક સ્થળો પર વેચાણ ચાલુ જ છે. કોર્ટે સરકારની ઝાટકણી કરતા લોકોમાં ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર તેમજ જાગૃત્તા લાવવા આદેશ આપ્યો છે. 


ચૂંટણીમાં જેમ પ્રચાર થાય તેવો પ્રચાર કરવા આદેશ   

સરકારને કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં જે રીતે  પ્રચાર કરવામાં આવે છે તે રીતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવા પ્રચાર કરવામાં આવે. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે લોકોના જીવને જોખમ રહેતું હોય છે. આ અંગે લોકોને માહિતગાર કરવા સૂચન આપ્યું છે.  વધુમાં કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા પ્રયાસ કરવા કહ્યું છે અને જો જરૂર પડે તો જાગૃત્તા પ્રચાર માટે રિક્ષાઓમાં જાહેરાત કરાવો.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.