ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી, સરકારની કોર્ટે કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2023-01-07 15:33:47

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. પતંગ ચગાવવા ઉપયોગમાં આવતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . આ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને લોકોમાં ચાઈનીઝ દોરી અંગે જાગૃતતા લાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જેમ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે તેવી રીતે આ અંગે પર પણ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.  

ઉત્તરાયણ પહેલાં બજારોમાં રોનક: પતંગ દોરી ખરીદવા લોકોની ભીડ ઉમટી, 40 કરોડ  સુધીના વેપારની આશા


ચાઈનીઝ દોરીને લઈ કોર્ટમાં થઈ સુનાવણી 

અનેક લોકો પોતાનો પતંગ ન કપાય તે માટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઈ લોકોની મજા બીજા માટે સજા સાબિત થતી હોય છે. આ દોરીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ શરૂ થાય તે પહેલા જ એવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. હાઈકોર્ટમાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને લઈ સુનાવણી કરવામાં આવી હતી. 

ગુજરાત વડી અદાલત - વિકિપીડિયા


બીજી વખત સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું 

આ મુદ્દાને લઈ સરકારે હાઈકોર્ટમાં ગઈકાલે સૌગંદનામુ રજૂ કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેવા નથી. નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે સરકારે આજે સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ સોગંદનામા બાદ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. 


જામનગરની બજારમાં દોરા અને પતંગની ભાવ વધારાભણી ઉડાન - Sanj Samachar


લોકોમાં જાગૃતતા લાવવા સરકારને કરાયો આદેશ 

ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પણ અનેક સ્થળો પર વેચાણ ચાલુ જ છે. કોર્ટે સરકારની ઝાટકણી કરતા લોકોમાં ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર તેમજ જાગૃત્તા લાવવા આદેશ આપ્યો છે. 


ચૂંટણીમાં જેમ પ્રચાર થાય તેવો પ્રચાર કરવા આદેશ   

સરકારને કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં જે રીતે  પ્રચાર કરવામાં આવે છે તે રીતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવા પ્રચાર કરવામાં આવે. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે લોકોના જીવને જોખમ રહેતું હોય છે. આ અંગે લોકોને માહિતગાર કરવા સૂચન આપ્યું છે.  વધુમાં કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા પ્રયાસ કરવા કહ્યું છે અને જો જરૂર પડે તો જાગૃત્તા પ્રચાર માટે રિક્ષાઓમાં જાહેરાત કરાવો.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.