Supreme Courtમાં થઈ Manipurથી સામે આવેલા વીડિયોને લઈ સુનાવણી, CBI આ સમય સુધી નહીં લઈ શકે પીડિતાનું નિવેદન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-01 13:24:05

મણિપુરમાં છેલ્લા અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મણિપુરમાં મામલો શાંત થાય તે માટે અનેક સમય સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાબળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિમાં કોઈ અંતર આવ્યો ન હતો. ઈન્ટરનેટ સેવા શરૂ થતાં જ મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી. વીડિયો સામે આવ્યા બાદ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મામલે હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત થતી હોય છે. વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને ગઈકાલથી આ કેસમાં સુનાવણી કરવામાં આવી છે.

બે વાગ્યે થશે આગળની સુનાવણી 

આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પીડિત મહિલાનું નિવેદન ન લેવા માટે સીબીઆઈને આદેશ કર્યો છે. મહિલાનું નિવેદન રેકોર્ડ કરવા પર રોક લગાવી દીધી છે. સીજેઆઈએ કહ્યું કે હમણાં સીબીઆઈ મહિલાઓનું નિવેદન રેકોર્ડ ન કરે. આજે બે વાગ્યે આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવવાની છે.    


ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આવી થઈ હતી દલીલ 

ગઈકાલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.