Supreme Courtમાં થઈ Manipurથી સામે આવેલા વીડિયોને લઈ સુનાવણી, CBI આ સમય સુધી નહીં લઈ શકે પીડિતાનું નિવેદન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-01 13:24:05

મણિપુરમાં છેલ્લા અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મણિપુરમાં મામલો શાંત થાય તે માટે અનેક સમય સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાબળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિમાં કોઈ અંતર આવ્યો ન હતો. ઈન્ટરનેટ સેવા શરૂ થતાં જ મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી. વીડિયો સામે આવ્યા બાદ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મામલે હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત થતી હોય છે. વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને ગઈકાલથી આ કેસમાં સુનાવણી કરવામાં આવી છે.

બે વાગ્યે થશે આગળની સુનાવણી 

આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પીડિત મહિલાનું નિવેદન ન લેવા માટે સીબીઆઈને આદેશ કર્યો છે. મહિલાનું નિવેદન રેકોર્ડ કરવા પર રોક લગાવી દીધી છે. સીજેઆઈએ કહ્યું કે હમણાં સીબીઆઈ મહિલાઓનું નિવેદન રેકોર્ડ ન કરે. આજે બે વાગ્યે આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવવાની છે.    


ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આવી થઈ હતી દલીલ 

ગઈકાલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.