Supreme Courtમાં થઈ Manipurથી સામે આવેલા વીડિયોને લઈ સુનાવણી, CBI આ સમય સુધી નહીં લઈ શકે પીડિતાનું નિવેદન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-01 13:24:05

મણિપુરમાં છેલ્લા અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મણિપુરમાં મામલો શાંત થાય તે માટે અનેક સમય સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાબળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિમાં કોઈ અંતર આવ્યો ન હતો. ઈન્ટરનેટ સેવા શરૂ થતાં જ મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી. વીડિયો સામે આવ્યા બાદ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મામલે હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત થતી હોય છે. વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને ગઈકાલથી આ કેસમાં સુનાવણી કરવામાં આવી છે.

બે વાગ્યે થશે આગળની સુનાવણી 

આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પીડિત મહિલાનું નિવેદન ન લેવા માટે સીબીઆઈને આદેશ કર્યો છે. મહિલાનું નિવેદન રેકોર્ડ કરવા પર રોક લગાવી દીધી છે. સીજેઆઈએ કહ્યું કે હમણાં સીબીઆઈ મહિલાઓનું નિવેદન રેકોર્ડ ન કરે. આજે બે વાગ્યે આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવવાની છે.    


ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આવી થઈ હતી દલીલ 

ગઈકાલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે