મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, જાણો કોકડું ક્યાં ગુંચવાયું છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 16:01:53

સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ બિલના તાત્કાલિક અમલની માગ કરતી અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. કેસ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં લિસ્ટેડ છે. આ કેસની સુનાવણી બીજી વખત શરૂ થઈ રહી છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ વકીલ હાજર નહોતા, તેથી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનિય છે કે નારી શક્તિ વંદન કાયદો 20 સપ્ટેમ્બર ના રોજ લોકસભા અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં પસાર થયું હતું.


અગાઉ સુપ્રીમે કર્યો હતો ઈન્કાર


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023ના રોજ આ મામલે નોટિસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નારી શક્તિ વંદન બિલ 2023ની જોગવાઈઓને રદ્દ કરવી ખૂબ મુશ્કેલ હશે. કેમ કે તે મહિલાઓ માટે 33 ટકા અનામત આપે છે. જ્યાં સુધી જનગણના અને પરિસીમનની કવાયત પુરી નથી થતી, બિલ અમલી બનશે નહીં.  


દેશમાં મહિલાઓની અડધી વસ્તી પણ ચૂંટણીમાં ભાગીદારી માત્ર 4 ટકા


અરજીકર્તાએ કહ્યું કે રિઝર્વેશન બિલ લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને પરિસીમનની કોઈ જરૂર નથી, કેમ કે સીટોની સંખ્યા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે. આ સુધારો વર્તમાન સીટો માટે 33 ટકા અનામત આપે છે. આપણા દેશમાં તે માનવામાં આવે છે કે 50 ટકા વસ્તી મહિલાઓની છે, પરંતુ ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 4 ટકા જ છે.  


27 વર્ષ બાદ પાસ થયું હતું બિલ


મોદી સરકારે નવી સંસદની પહેલી કાર્યવાહીમાં સપ્ટેમ્બર 2023માં 'નારી શક્તિ વંદન બિલ' રજુ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત પસાર કરવા માટે છેલ્લા 27 વર્ષમાં વર્તમાન સરકાર સહિત 4 સરકારોએ 11મો પ્રયાસ હતો. આ બિલ પસાર થયા બાદ પણ તે ક્યારે પસાર થશે તે અંગે કોકડું ગુંચવાયું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે