મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, જાણો કોકડું ક્યાં ગુંચવાયું છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 16:01:53

સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ બિલના તાત્કાલિક અમલની માગ કરતી અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. કેસ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં લિસ્ટેડ છે. આ કેસની સુનાવણી બીજી વખત શરૂ થઈ રહી છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ વકીલ હાજર નહોતા, તેથી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનિય છે કે નારી શક્તિ વંદન કાયદો 20 સપ્ટેમ્બર ના રોજ લોકસભા અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં પસાર થયું હતું.


અગાઉ સુપ્રીમે કર્યો હતો ઈન્કાર


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023ના રોજ આ મામલે નોટિસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નારી શક્તિ વંદન બિલ 2023ની જોગવાઈઓને રદ્દ કરવી ખૂબ મુશ્કેલ હશે. કેમ કે તે મહિલાઓ માટે 33 ટકા અનામત આપે છે. જ્યાં સુધી જનગણના અને પરિસીમનની કવાયત પુરી નથી થતી, બિલ અમલી બનશે નહીં.  


દેશમાં મહિલાઓની અડધી વસ્તી પણ ચૂંટણીમાં ભાગીદારી માત્ર 4 ટકા


અરજીકર્તાએ કહ્યું કે રિઝર્વેશન બિલ લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને પરિસીમનની કોઈ જરૂર નથી, કેમ કે સીટોની સંખ્યા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે. આ સુધારો વર્તમાન સીટો માટે 33 ટકા અનામત આપે છે. આપણા દેશમાં તે માનવામાં આવે છે કે 50 ટકા વસ્તી મહિલાઓની છે, પરંતુ ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 4 ટકા જ છે.  


27 વર્ષ બાદ પાસ થયું હતું બિલ


મોદી સરકારે નવી સંસદની પહેલી કાર્યવાહીમાં સપ્ટેમ્બર 2023માં 'નારી શક્તિ વંદન બિલ' રજુ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત પસાર કરવા માટે છેલ્લા 27 વર્ષમાં વર્તમાન સરકાર સહિત 4 સરકારોએ 11મો પ્રયાસ હતો. આ બિલ પસાર થયા બાદ પણ તે ક્યારે પસાર થશે તે અંગે કોકડું ગુંચવાયું છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.