મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ કરવાની માગ કરતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી, જાણો કોકડું ક્યાં ગુંચવાયું છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 16:01:53

સુપ્રીમ કોર્ટ આજે સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ લોકસભા ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ બિલના તાત્કાલિક અમલની માગ કરતી અરજી પર સુનાવણી કરશે. આ અરજી કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરી છે. કેસ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં લિસ્ટેડ છે. આ કેસની સુનાવણી બીજી વખત શરૂ થઈ રહી છે. ગત સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ વકીલ હાજર નહોતા, તેથી સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનિય છે કે નારી શક્તિ વંદન કાયદો 20 સપ્ટેમ્બર ના રોજ લોકસભા અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ રાજ્ય સભામાં પસાર થયું હતું.


અગાઉ સુપ્રીમે કર્યો હતો ઈન્કાર


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023ના રોજ આ મામલે નોટિસ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે નારી શક્તિ વંદન બિલ 2023ની જોગવાઈઓને રદ્દ કરવી ખૂબ મુશ્કેલ હશે. કેમ કે તે મહિલાઓ માટે 33 ટકા અનામત આપે છે. જ્યાં સુધી જનગણના અને પરિસીમનની કવાયત પુરી નથી થતી, બિલ અમલી બનશે નહીં.  


દેશમાં મહિલાઓની અડધી વસ્તી પણ ચૂંટણીમાં ભાગીદારી માત્ર 4 ટકા


અરજીકર્તાએ કહ્યું કે રિઝર્વેશન બિલ લાગુ કરવા માટે વસ્તી ગણતરી અને પરિસીમનની કોઈ જરૂર નથી, કેમ કે સીટોની સંખ્યા પહેલેથી જ જાહેર થઈ ચૂકી છે. આ સુધારો વર્તમાન સીટો માટે 33 ટકા અનામત આપે છે. આપણા દેશમાં તે માનવામાં આવે છે કે 50 ટકા વસ્તી મહિલાઓની છે, પરંતુ ચૂંટણીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 4 ટકા જ છે.  


27 વર્ષ બાદ પાસ થયું હતું બિલ


મોદી સરકારે નવી સંસદની પહેલી કાર્યવાહીમાં સપ્ટેમ્બર 2023માં 'નારી શક્તિ વંદન બિલ' રજુ કરવામાં આવ્યું હતું. મહિલા અનામત પસાર કરવા માટે છેલ્લા 27 વર્ષમાં વર્તમાન સરકાર સહિત 4 સરકારોએ 11મો પ્રયાસ હતો. આ બિલ પસાર થયા બાદ પણ તે ક્યારે પસાર થશે તે અંગે કોકડું ગુંચવાયું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.