Heart Attackએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ગરબા કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને...


  • Published By :
  • Published Date : 2024-11-17 15:23:15

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. હાર્ટ એટેકની આપણે જ્યારે વાત કરીએ તો દિમાગમાં એક જ વસ્તુ આવે કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે.... પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને ભેટી રહ્યા છે.... કોઈને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે... કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.. ત્યારે  આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..



લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં!

આપણે ત્યાં કહેવાય છે કે જન્મ અને મોતનો કોઈ સમય નથી હોતો... કોણ ક્યારે મૃત્યુ પામી જાય તેની ખબર નથી પડતી.. સાજા લાગતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે... હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના બાદ વધી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.. ત્યારે આજે 24 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર પાવન પટેલ નામનો વ્યક્તિ મોતને ભેટ્યો છે.... અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા... રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો ગરબા રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો... લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો...



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?


હાર્ટ એટેક આવવાના લક્ષણોની વાત કરીએ તો ગભરામણ થવી તેમજ ચક્કર આવવા..તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાર નવાર થાકી જવું.. વધારે પરસેવો થવો અને હૃદયના ધબકારા વધી જવા.. તે ઉપરાંત ઉધરસ આવવી તેમજ હાથ પગમાં સોજો રહેવો.. 


શું છે હાર્ટ એટેક આવવાના કારણો?

હાર્ટ એટેક આવવાના કારણોની વાત કરીએ તો વધારે પડતો સ્ટ્રેસ લેવો.. હેલ્ધી ખોરાક ના લેવો. તે ઉપરાંત અપૂરતી ઉંધ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે.. તે ઉપરાંત વ્યસન કરવાને કારણે પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે... મહત્વનું છે કે ઉંધ આપણા શરીર માટે ખૂબ મહત્વની છે.... તમે તમારૂં અને તમારા પરિવારનું ધ્યાન રાખો... 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.