Heart Attackએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ગરબા કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને...


  • Published By :
  • Published Date : 2024-11-17 15:23:15

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. હાર્ટ એટેકની આપણે જ્યારે વાત કરીએ તો દિમાગમાં એક જ વસ્તુ આવે કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે.... પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને ભેટી રહ્યા છે.... કોઈને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે... કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.. ત્યારે  આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..



લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં!

આપણે ત્યાં કહેવાય છે કે જન્મ અને મોતનો કોઈ સમય નથી હોતો... કોણ ક્યારે મૃત્યુ પામી જાય તેની ખબર નથી પડતી.. સાજા લાગતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે... હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના બાદ વધી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.. ત્યારે આજે 24 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર પાવન પટેલ નામનો વ્યક્તિ મોતને ભેટ્યો છે.... અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા... રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો ગરબા રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો... લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો...



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?


હાર્ટ એટેક આવવાના લક્ષણોની વાત કરીએ તો ગભરામણ થવી તેમજ ચક્કર આવવા..તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાર નવાર થાકી જવું.. વધારે પરસેવો થવો અને હૃદયના ધબકારા વધી જવા.. તે ઉપરાંત ઉધરસ આવવી તેમજ હાથ પગમાં સોજો રહેવો.. 


શું છે હાર્ટ એટેક આવવાના કારણો?

હાર્ટ એટેક આવવાના કારણોની વાત કરીએ તો વધારે પડતો સ્ટ્રેસ લેવો.. હેલ્ધી ખોરાક ના લેવો. તે ઉપરાંત અપૂરતી ઉંધ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે.. તે ઉપરાંત વ્યસન કરવાને કારણે પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે... મહત્વનું છે કે ઉંધ આપણા શરીર માટે ખૂબ મહત્વની છે.... તમે તમારૂં અને તમારા પરિવારનું ધ્યાન રાખો... 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.