Heart Attackએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ગરબા કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને...


  • Published By :
  • Published Date : 2024-11-17 15:23:15

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. હાર્ટ એટેકની આપણે જ્યારે વાત કરીએ તો દિમાગમાં એક જ વસ્તુ આવે કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે.... પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને ભેટી રહ્યા છે.... કોઈને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે... કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.. ત્યારે  આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..



લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં!

આપણે ત્યાં કહેવાય છે કે જન્મ અને મોતનો કોઈ સમય નથી હોતો... કોણ ક્યારે મૃત્યુ પામી જાય તેની ખબર નથી પડતી.. સાજા લાગતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે... હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના બાદ વધી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.. ત્યારે આજે 24 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર પાવન પટેલ નામનો વ્યક્તિ મોતને ભેટ્યો છે.... અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા... રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો ગરબા રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો... લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો...



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?


હાર્ટ એટેક આવવાના લક્ષણોની વાત કરીએ તો ગભરામણ થવી તેમજ ચક્કર આવવા..તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાર નવાર થાકી જવું.. વધારે પરસેવો થવો અને હૃદયના ધબકારા વધી જવા.. તે ઉપરાંત ઉધરસ આવવી તેમજ હાથ પગમાં સોજો રહેવો.. 


શું છે હાર્ટ એટેક આવવાના કારણો?

હાર્ટ એટેક આવવાના કારણોની વાત કરીએ તો વધારે પડતો સ્ટ્રેસ લેવો.. હેલ્ધી ખોરાક ના લેવો. તે ઉપરાંત અપૂરતી ઉંધ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે.. તે ઉપરાંત વ્યસન કરવાને કારણે પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે... મહત્વનું છે કે ઉંધ આપણા શરીર માટે ખૂબ મહત્વની છે.... તમે તમારૂં અને તમારા પરિવારનું ધ્યાન રાખો... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.