Heart Attackએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ગરબા કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને...


  • Published By :
  • Published Date : 2024-11-17 15:23:15

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. હાર્ટ એટેકની આપણે જ્યારે વાત કરીએ તો દિમાગમાં એક જ વસ્તુ આવે કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે.... પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને ભેટી રહ્યા છે.... કોઈને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે... કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.. ત્યારે  આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..



લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં!

આપણે ત્યાં કહેવાય છે કે જન્મ અને મોતનો કોઈ સમય નથી હોતો... કોણ ક્યારે મૃત્યુ પામી જાય તેની ખબર નથી પડતી.. સાજા લાગતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે... હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના બાદ વધી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.. ત્યારે આજે 24 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર પાવન પટેલ નામનો વ્યક્તિ મોતને ભેટ્યો છે.... અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા... રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો ગરબા રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો... લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો...



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?


હાર્ટ એટેક આવવાના લક્ષણોની વાત કરીએ તો ગભરામણ થવી તેમજ ચક્કર આવવા..તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાર નવાર થાકી જવું.. વધારે પરસેવો થવો અને હૃદયના ધબકારા વધી જવા.. તે ઉપરાંત ઉધરસ આવવી તેમજ હાથ પગમાં સોજો રહેવો.. 


શું છે હાર્ટ એટેક આવવાના કારણો?

હાર્ટ એટેક આવવાના કારણોની વાત કરીએ તો વધારે પડતો સ્ટ્રેસ લેવો.. હેલ્ધી ખોરાક ના લેવો. તે ઉપરાંત અપૂરતી ઉંધ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે.. તે ઉપરાંત વ્યસન કરવાને કારણે પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે... મહત્વનું છે કે ઉંધ આપણા શરીર માટે ખૂબ મહત્વની છે.... તમે તમારૂં અને તમારા પરિવારનું ધ્યાન રાખો... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.