Heart Attackએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું થયું નિધન, પરિવારમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-08-13 13:43:06

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. યુવાનોને કાળ હાર્ટ એટેકના રૂપમાં ભરખી રહ્યો છે. તાજેતરમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે જેમાં યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે જીંદગી સામેની જંગ હારી જાય છે. વિદ્યાર્થીઓ પણ હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેક આવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીનું નિધન હૃદય હુમલાને કારણ કે થયું છે. ભાવનગરથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતી  મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જે મહિલા કોન્સ્ટેબલનું નિધન થયું છે તેમનું નામ કવિતા ભટ્ટ છે અને તે ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ પરેડ બાદ જ્યારે ઘરે તે ઘરે પહોંચ્યા ત્યારે તે હૃદય હુમલાનો શિકાર બની ગઈ.  


પોલીસ કોન્સ્ટેબલ તરીકે મહિલા નિભાવતા હતા ફરજ 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું નિધન હૃદય હુમલાને કારણે થયું છે. પોલીસ પરેડ પતાવી કવિતા ભટ્ટ પોતાના ઘરે આવે છે, ત્યાં તેમની છાતીમાં અચાનક દુખાવો થાય છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. 28 વર્ષની નાની ઉંમરે યુવતી હાર્ટ એટેકનો ભોગ બની ગઈ. પોલીસ પરેડ તેમના જીવનની આખરી પરેડ બની ગઈ હતી. ભાવનગરના ભાખલપરા ગામમાં કવિતા રહેતા હતા. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક  

મહત્વનું છે હવે તો ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થાય છે. આપણને સાજા લાગતા લોકો ગમે ત્યારે મોતને ભેટી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. હજી સુધી જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત લોકોના મનમાં છવાઈ ગઈ છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.