Heart Attackએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું થયું નિધન, પરિવારમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-08-13 13:43:06

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. યુવાનોને કાળ હાર્ટ એટેકના રૂપમાં ભરખી રહ્યો છે. તાજેતરમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે જેમાં યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે જીંદગી સામેની જંગ હારી જાય છે. વિદ્યાર્થીઓ પણ હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેક આવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીનું નિધન હૃદય હુમલાને કારણ કે થયું છે. ભાવનગરથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતી  મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જે મહિલા કોન્સ્ટેબલનું નિધન થયું છે તેમનું નામ કવિતા ભટ્ટ છે અને તે ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ પરેડ બાદ જ્યારે ઘરે તે ઘરે પહોંચ્યા ત્યારે તે હૃદય હુમલાનો શિકાર બની ગઈ.  


પોલીસ કોન્સ્ટેબલ તરીકે મહિલા નિભાવતા હતા ફરજ 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું નિધન હૃદય હુમલાને કારણે થયું છે. પોલીસ પરેડ પતાવી કવિતા ભટ્ટ પોતાના ઘરે આવે છે, ત્યાં તેમની છાતીમાં અચાનક દુખાવો થાય છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. 28 વર્ષની નાની ઉંમરે યુવતી હાર્ટ એટેકનો ભોગ બની ગઈ. પોલીસ પરેડ તેમના જીવનની આખરી પરેડ બની ગઈ હતી. ભાવનગરના ભાખલપરા ગામમાં કવિતા રહેતા હતા. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક  

મહત્વનું છે હવે તો ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થાય છે. આપણને સાજા લાગતા લોકો ગમે ત્યારે મોતને ભેટી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. હજી સુધી જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત લોકોના મનમાં છવાઈ ગઈ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.