Heart Attackએ લીધો વધુ એક વ્યક્તિનો ભોગ, પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું થયું નિધન, પરિવારમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-08-13 13:43:06

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. યુવાનોને કાળ હાર્ટ એટેકના રૂપમાં ભરખી રહ્યો છે. તાજેતરમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે જેમાં યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે જીંદગી સામેની જંગ હારી જાય છે. વિદ્યાર્થીઓ પણ હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેક આવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીનું નિધન હૃદય હુમલાને કારણ કે થયું છે. ભાવનગરથી એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતી  મહિલાનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જે મહિલા કોન્સ્ટેબલનું નિધન થયું છે તેમનું નામ કવિતા ભટ્ટ છે અને તે ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ પરેડ બાદ જ્યારે ઘરે તે ઘરે પહોંચ્યા ત્યારે તે હૃદય હુમલાનો શિકાર બની ગઈ.  


પોલીસ કોન્સ્ટેબલ તરીકે મહિલા નિભાવતા હતા ફરજ 

કોરોના બાદ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. કોઈ યોગા કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા, કોઈ યોગા કરતા કરતા કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે ફરી એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાનું નિધન હૃદય હુમલાને કારણે થયું છે. પોલીસ પરેડ પતાવી કવિતા ભટ્ટ પોતાના ઘરે આવે છે, ત્યાં તેમની છાતીમાં અચાનક દુખાવો થાય છે. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવે છે. 28 વર્ષની નાની ઉંમરે યુવતી હાર્ટ એટેકનો ભોગ બની ગઈ. પોલીસ પરેડ તેમના જીવનની આખરી પરેડ બની ગઈ હતી. ભાવનગરના ભાખલપરા ગામમાં કવિતા રહેતા હતા. 


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક  

મહત્વનું છે હવે તો ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થાય છે. આપણને સાજા લાગતા લોકો ગમે ત્યારે મોતને ભેટી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. હજી સુધી જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે. કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તેવી વાત લોકોના મનમાં છવાઈ ગઈ છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.