Heart Attack આવવાનો સિલસિલો યથાવત! રાજ્યમાં વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:00:20

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક શબ્દ જાણે સામાન્ય બની ગયો છે કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને લોકો ભેટી રહ્યા છે. પહેલા કોરોનાને કારણે પરિવારનો માળો વિખેરાયો હતો ત્યારે હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર એક ઘટના વાપીની છે અને બીજી એક ઘટના સુરતના પુણાગામની છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

અમુક બિમારીઓ માટે પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે આવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય. મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે અને તે મોતને ભેટે... પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ અને યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે! જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કેસમાં તો સારવાર મળે તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ જાય છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


બે યુવાનોના મોત થયા હાર્ટ એટેકને કારણે!

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે તો બીજી કિસ્સો વાપીથી સામે આવ્યો છે. વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે સુરતમાં રત્ન કલાકારનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રત્નકલાકારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તેની પહેલા જ રત્ન કલાકારે દુનિયાથી અલવિદા લઈ લીધી હતી. સારવાર મળે તેની પહેલા જ રત્ન કલાકારનો જીવ જતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર વાપીથી જે ઘટના સામે આવી છે તેમાં ઉંઘમાં જ બેંક કર્મચારીનું મોત થઈ ગયું હતું. 


વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે!

મહત્વનું છે કે કોઈનું મોત ડાન્સ કરતા કરતા થઈ રહ્યું છે તો કોઈનું મોત રમતા રમતા થઈ રહ્યું છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. વિદ્યાર્થીઓનું ભણતર પતે તેની પહેલા તેમની જિંદગી પૂર્ણ થઈ જાય છે.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.