Heart Attack આવવાનો સિલસિલો યથાવત! રાજ્યમાં વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:00:20

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક શબ્દ જાણે સામાન્ય બની ગયો છે કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને લોકો ભેટી રહ્યા છે. પહેલા કોરોનાને કારણે પરિવારનો માળો વિખેરાયો હતો ત્યારે હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર એક ઘટના વાપીની છે અને બીજી એક ઘટના સુરતના પુણાગામની છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

અમુક બિમારીઓ માટે પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે આવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય. મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે અને તે મોતને ભેટે... પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ અને યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે! જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કેસમાં તો સારવાર મળે તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ જાય છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


બે યુવાનોના મોત થયા હાર્ટ એટેકને કારણે!

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે તો બીજી કિસ્સો વાપીથી સામે આવ્યો છે. વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે સુરતમાં રત્ન કલાકારનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રત્નકલાકારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તેની પહેલા જ રત્ન કલાકારે દુનિયાથી અલવિદા લઈ લીધી હતી. સારવાર મળે તેની પહેલા જ રત્ન કલાકારનો જીવ જતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર વાપીથી જે ઘટના સામે આવી છે તેમાં ઉંઘમાં જ બેંક કર્મચારીનું મોત થઈ ગયું હતું. 


વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે!

મહત્વનું છે કે કોઈનું મોત ડાન્સ કરતા કરતા થઈ રહ્યું છે તો કોઈનું મોત રમતા રમતા થઈ રહ્યું છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. વિદ્યાર્થીઓનું ભણતર પતે તેની પહેલા તેમની જિંદગી પૂર્ણ થઈ જાય છે.        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે