Heart Attack આવવાનો સિલસિલો યથાવત! રાજ્યમાં વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:00:20

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. હાર્ટ એટેક શબ્દ જાણે સામાન્ય બની ગયો છે કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને લોકો ભેટી રહ્યા છે. પહેલા કોરોનાને કારણે પરિવારનો માળો વિખેરાયો હતો ત્યારે હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મળતી માહિતી અનુસાર એક ઘટના વાપીની છે અને બીજી એક ઘટના સુરતના પુણાગામની છે. 


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

અમુક બિમારીઓ માટે પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે આવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને થાય. મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે અને તે મોતને ભેટે... પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ અને યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે! જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કેસમાં તો સારવાર મળે તે પહેલા જ વ્યક્તિનું મોત થઈ જાય છે. વધુ બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 


બે યુવાનોના મોત થયા હાર્ટ એટેકને કારણે!

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે તો બીજી કિસ્સો વાપીથી સામે આવ્યો છે. વાપીમાં 38 વર્ષીય બેંક કર્મચારીનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જ્યારે સુરતમાં રત્ન કલાકારનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રત્નકલાકારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તેની પહેલા જ રત્ન કલાકારે દુનિયાથી અલવિદા લઈ લીધી હતી. સારવાર મળે તેની પહેલા જ રત્ન કલાકારનો જીવ જતો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર વાપીથી જે ઘટના સામે આવી છે તેમાં ઉંઘમાં જ બેંક કર્મચારીનું મોત થઈ ગયું હતું. 


વિદ્યાર્થીઓના મોત પણ થઈ રહ્યા છે હાર્ટ એટેકને કારણે!

મહત્વનું છે કે કોઈનું મોત ડાન્સ કરતા કરતા થઈ રહ્યું છે તો કોઈનું મોત રમતા રમતા થઈ રહ્યું છે. ન માત્ર યુવાનો પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવા કિસ્સાઓ આપણી સામે છે. વિદ્યાર્થીઓનું ભણતર પતે તેની પહેલા તેમની જિંદગી પૂર્ણ થઈ જાય છે.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.