Heart Attackએ ગુજરાતીઓની ચિંતા વધારી! 14 વર્ષના છોકરાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા....


  • Published By :
  • Published Date : 2023-11-07 13:54:08

હાર્ટ એટેકના સમાચાર પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ વખત 19 વર્ષીય છોકરાનું મોત હાર્ટ એટેકને કારણે થાય તો કોઈ વખત 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થાય. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવતો એવું માનતા, કોરોના બાદ એવું માનવા લાગ્યા કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે કારણે બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં 14 વર્ષીય છોકરાનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.

 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

14 વર્ષના કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાતના યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિદિન એવા માઠા સમાચાર સામે આવે છે જેમાં હૃદયહુમલાને કારણે કોઈને કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય. રોજે હાર્ટ એટેકના એક બે કિસ્સાઓ તો આવી જ રહ્યા છે. યુવાનો તો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે પરંતુ બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનું મોત પરીક્ષા આપતી વખતે હાર્ટ એટેકને કારણે થયું હતું  ત્યારે આજે કચ્છમાં 14 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો  અને જીવ જતો રહ્યો. મળતી માહિતી અનુસાર બાળકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો તે દરમિયાન જ, રસ્તામાં જ કિશોરે દુનિયાને અલવિદા કહી દીધું.   


સુરતમાં પણ હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!

હાર્ટ એટેકનો બીજો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 66 વર્ષીય રત્નકલાકાર હીરા ઘસી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા, અને તેમનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોતનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે, પરંતુ હાલ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.



હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ આપ્યું નિવેદન 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા વધી છે. કમિટીની રચના કરવામાં આવી છે જે આની પાછળના કારણો શોધશે. ત્યારે કથાકાર મોરારી બાપુએ યુવાનોને તાળી પાડવાની સલાહ આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.