Heart Attackએ ગુજરાતીઓની ચિંતા વધારી! 14 વર્ષના છોકરાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા....


  • Published By :
  • Published Date : 2023-11-07 13:54:08

હાર્ટ એટેકના સમાચાર પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ વખત 19 વર્ષીય છોકરાનું મોત હાર્ટ એટેકને કારણે થાય તો કોઈ વખત 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થાય. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવતો એવું માનતા, કોરોના બાદ એવું માનવા લાગ્યા કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે કારણે બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં 14 વર્ષીય છોકરાનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.

 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

14 વર્ષના કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાતના યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિદિન એવા માઠા સમાચાર સામે આવે છે જેમાં હૃદયહુમલાને કારણે કોઈને કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય. રોજે હાર્ટ એટેકના એક બે કિસ્સાઓ તો આવી જ રહ્યા છે. યુવાનો તો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે પરંતુ બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનું મોત પરીક્ષા આપતી વખતે હાર્ટ એટેકને કારણે થયું હતું  ત્યારે આજે કચ્છમાં 14 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો  અને જીવ જતો રહ્યો. મળતી માહિતી અનુસાર બાળકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો તે દરમિયાન જ, રસ્તામાં જ કિશોરે દુનિયાને અલવિદા કહી દીધું.   


સુરતમાં પણ હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!

હાર્ટ એટેકનો બીજો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 66 વર્ષીય રત્નકલાકાર હીરા ઘસી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા, અને તેમનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોતનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે, પરંતુ હાલ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.



હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ આપ્યું નિવેદન 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા વધી છે. કમિટીની રચના કરવામાં આવી છે જે આની પાછળના કારણો શોધશે. ત્યારે કથાકાર મોરારી બાપુએ યુવાનોને તાળી પાડવાની સલાહ આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.