Heart Attackએ ગુજરાતીઓની ચિંતા વધારી! 14 વર્ષના છોકરાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા....


  • Published By :
  • Published Date : 2023-11-07 13:54:08

હાર્ટ એટેકના સમાચાર પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ વખત 19 વર્ષીય છોકરાનું મોત હાર્ટ એટેકને કારણે થાય તો કોઈ વખત 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થાય. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવતો એવું માનતા, કોરોના બાદ એવું માનવા લાગ્યા કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે કારણે બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં 14 વર્ષીય છોકરાનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.

 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

14 વર્ષના કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાતના યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિદિન એવા માઠા સમાચાર સામે આવે છે જેમાં હૃદયહુમલાને કારણે કોઈને કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય. રોજે હાર્ટ એટેકના એક બે કિસ્સાઓ તો આવી જ રહ્યા છે. યુવાનો તો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે પરંતુ બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનું મોત પરીક્ષા આપતી વખતે હાર્ટ એટેકને કારણે થયું હતું  ત્યારે આજે કચ્છમાં 14 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો  અને જીવ જતો રહ્યો. મળતી માહિતી અનુસાર બાળકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો તે દરમિયાન જ, રસ્તામાં જ કિશોરે દુનિયાને અલવિદા કહી દીધું.   


સુરતમાં પણ હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!

હાર્ટ એટેકનો બીજો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 66 વર્ષીય રત્નકલાકાર હીરા ઘસી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા, અને તેમનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોતનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે, પરંતુ હાલ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.



હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ આપ્યું નિવેદન 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા વધી છે. કમિટીની રચના કરવામાં આવી છે જે આની પાછળના કારણો શોધશે. ત્યારે કથાકાર મોરારી બાપુએ યુવાનોને તાળી પાડવાની સલાહ આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.