આજે સુરત અને વડોદરામાં હાર્ટએટેકથી બે યુવકના મોત, પરિવાર બન્યો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-15 18:42:14

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોકો ક્રિકેટ રમતા, ડાન્સ કરતા કે કસરત કરતા -કરતા હ્રદય બંધ થવાથી મોતને ભેટી રહ્યા છે. આજે વડોદરા અને સુરતમાં બે હાર્ટ એટેકની બે ઘટનામાં બે યુવકોના મોત થતા હડકંપ મચી ગયો છે. સુરતના ઇચ્છાપોરમાં એક યુવકનું મોત થયું છે, ઇચ્છાપોરમાં નવરાત્રી માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય યુવાનનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. આ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. મૃતક યુવક અમર કિશોર રાઠોડ હીરા કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને પરણિત છે અને સંતાનમાં એક પુત્રી છે. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.



વડોદરાના પાદરામાં 45 વર્ષીય શખ્સનું મોત


વડોદરાના પાદરામાં અરિહંત કોમ્પ્લેક્સ વિસ્તારમાં 45 વર્ષીય દીપક ચૌહાણ હાર્ટ એટેક આવતાની સાથે જ ઘટના સ્થળે ઢળી પડ્યા બાદ મોત નિપજ્યું હતું. વડોદરાના પાદરામાં પાતળીયા હનુમાન રોડ ઉપર આવેલ સેન્ડવીચની દુકાનમાં નાસ્તો કરવા ગયેલા 43 વર્ષીય દિપક ઉર્ફે નીરજ રમેશભાઈ ચૌહાણને અચાનક જ ગભરામણ થતાં ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે પાદરાની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.યુવક બળિયાદેવ મંદિર વિસ્તારમાં રહતો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી ગઈ છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.