રાજ્યમાં કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસમાં જબરદસ્ત ઉછાળો, સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-20 13:43:20

ગુજરાત માટે કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે હાર્ટ એટેકના ગત વર્ષ 2022ની તુલનાએ 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.


અમદાવાદમાં સૌથી વધુ કેસ


રાજ્યના વિવિધ શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 108ને હાર્ટ એટેક સંબંધીત 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે. આ રીતે જોઈએ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં અમદાવાદ શહેર મોખરે છે. 


શિયાળામાં સૌથી વધુ કેસ


રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં શિયાળા દરમિયાન મોટો ઉછાળો જોવા મળે છે. તેમાં પણ ફેબ્રુઆરીમાં વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો નોંધાયો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.


સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના કાળમાં જે લોકો સંક્રમિત થયા હતા તેમને હાર્ટ એટેકની શક્યતા સૌથી વધુ છે. જેમનામાં હાર્ટ એટેકના કોઈ લક્ષણો નથી તેઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. જો કે તેમાં પણ સાયલન્ટ હાર્ટ એટેકના કારણે ચિંતા વધી છે. સાયલન્ટ હાર્ટ એટેકની સૌથી મોટી બાબત એ છે કે માણસને ખબર પણ નથી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તબીબો સાયલન્ટ હાર્ટ એટેક અંગે સલાહ આપે છે કે જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈ પણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને વોકિંગ કરતાં રહો.



પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!