રાજ્યમાં કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસમાં જબરદસ્ત ઉછાળો, સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2023-03-20 13:43:20

ગુજરાત માટે કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે હાર્ટ એટેકના ગત વર્ષ 2022ની તુલનાએ 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.


અમદાવાદમાં સૌથી વધુ કેસ


રાજ્યના વિવિધ શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 108ને હાર્ટ એટેક સંબંધીત 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે. આ રીતે જોઈએ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં અમદાવાદ શહેર મોખરે છે. 


શિયાળામાં સૌથી વધુ કેસ


રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં શિયાળા દરમિયાન મોટો ઉછાળો જોવા મળે છે. તેમાં પણ ફેબ્રુઆરીમાં વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો નોંધાયો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.


સાયલન્ટ હાર્ટ અટેકે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના કાળમાં જે લોકો સંક્રમિત થયા હતા તેમને હાર્ટ એટેકની શક્યતા સૌથી વધુ છે. જેમનામાં હાર્ટ એટેકના કોઈ લક્ષણો નથી તેઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. જો કે તેમાં પણ સાયલન્ટ હાર્ટ એટેકના કારણે ચિંતા વધી છે. સાયલન્ટ હાર્ટ એટેકની સૌથી મોટી બાબત એ છે કે માણસને ખબર પણ નથી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તબીબો સાયલન્ટ હાર્ટ એટેક અંગે સલાહ આપે છે કે જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈ પણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને વોકિંગ કરતાં રહો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે