રાજ્યમાં ઠંડીની સાથે હ્રદયરોગના કેસ પણ વધ્યા, માત્ર 6 દિવસમાં 1,744 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-09 14:07:19

કાતિલ ઠંડી અને હ્રદય રોગને સીધો સંબંધ છે, જેમ-જેમ ઠંડી વધુ પડે છે તેમ લોકોને હાર્ટ-એટેક પણ વધી ગયા છે.  રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.


108ને 1744 કોલ્સ મળ્યા


ગુજરાતમાં 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થિજાવી દેતી ઠંડી શરૂ થઈ ગઈ છે. જો કે કાતિલ ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની લોકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઈમરજન્સી સેવા 108 પાસેની મળતી વિગતો મુજબ 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા 1,744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.


ડોક્ટરો શું કહે છે?


રાજ્યમાં શિયાળાની ઠંડી વધવાની સાથે જ હ્રદય રોગના કેસ વધતા ડોક્ટરો લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે, હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.