રાજ્યમાં કાતિલ ઠંડીમાં હ્રદય રોગના કેસ વધ્યા, હાર્ટ એટેકના કેસમાં 28%નો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-28 16:13:57

રાજ્યમાં એક તરફ લોકો હાંડ થીજાવી દેતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હ્રદય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28% નો ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાનું તબીબોનું માનવું છે. ડોક્ટરો પણ લોકોને કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.


ઈમરજન્સી કોલ્સ વધ્યા


રાજ્યની ઈમરજન્સી EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 28% ની વૃધ્ધી નોંધાઈ છે.


અમદાવાદમાં હાર્ટ એટેકના 3,211 કેસ 


શિયાળાની કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિઝનમાં જ હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં જ 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી કોલ મળ્યા હતા.


ડોક્ટરોની સલાહ શું છે?


રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ અંગે ડોક્ટરો પણ લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. અચાનક જ આવતા હાર્ટ એટેક કે મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરો પણ લોકોને સલાહ આપી રહ્યા છે. અગ્રણી હાર્ટ સર્જનોના જણાવ્યા પ્રમાણે કાતિલ ઠંડીમાં સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકોચાઈ શકે છે, તેથી લોકોએ વહેલી સવારે ચાલવાની કે અન્ય કસરત ટાળવી જોઈએ. તબીબો સૂર્યોદય બાદ જ કસરત કરવાની ભલામણ કરે છે. જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.