રાજ્યમાં કાતિલ ઠંડીમાં હ્રદય રોગના કેસ વધ્યા, હાર્ટ એટેકના કેસમાં 28%નો વધારો


  • Published By :
  • Published Date : 2023-01-28 16:13:57

રાજ્યમાં એક તરફ લોકો હાંડ થીજાવી દેતી ઠંડીથી લોકો પરેશાન છે ત્યારે હ્રદય રોગના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં 28% નો ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હોવાનું તબીબોનું માનવું છે. ડોક્ટરો પણ લોકોને કાતિલ ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે.


ઈમરજન્સી કોલ્સ વધ્યા


રાજ્યની ઈમરજન્સી EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં 28% ની વૃધ્ધી નોંધાઈ છે.


અમદાવાદમાં હાર્ટ એટેકના 3,211 કેસ 


શિયાળાની કાતિલ ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિઝનમાં જ હાર્ટ એટેકના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદમાં જ 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી કોલ મળ્યા હતા.


ડોક્ટરોની સલાહ શું છે?


રાજ્યમાં વધેલા હાર્ટ એટેકના કેસ અંગે ડોક્ટરો પણ લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. અચાનક જ આવતા હાર્ટ એટેક કે મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે ડોક્ટરો પણ લોકોને સલાહ આપી રહ્યા છે. અગ્રણી હાર્ટ સર્જનોના જણાવ્યા પ્રમાણે કાતિલ ઠંડીમાં સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકોચાઈ શકે છે, તેથી લોકોએ વહેલી સવારે ચાલવાની કે અન્ય કસરત ટાળવી જોઈએ. તબીબો સૂર્યોદય બાદ જ કસરત કરવાની ભલામણ કરે છે. જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.