મોરબી દુર્ઘટના:યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહેલ "ટોમી"ને ખબર નથી કે આ બન્ને ભાઈ પાછા ક્યારેય નહિ આવે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:12:20

મોરબી બ્રિજ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી
બ્રિજ અકસ્માતમાં બે માસુમ ભાઈઓ રાજ-યશના પણ મોત થયા છે
બંને ભાઈઓની રાહ જોતા પાલતુ કૂતરાએ ખાવા-પીવાનું બંધ કર્યું


m2.

ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બે ભાઈઓ અને તેમનો વહાલો ડોગ, આ ત્રણેય આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા, પરંતુ રવિવારે મોરબીના પુલ અકસ્માતે તેમને કાયમ માટે અલગ કરી દીધા. અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ ઘરમાં ગમગીની છવાઈ ગઈ. ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બંને ભાઈઓ હંમેશા સાથે રહેતા

રાજના પિતા રાયધનભાઈ રડે છે, 'અમે બરબાદ થઈ ગયા છીએ.' આખા મહોલ્લામાં બંને ભાઈઓની ચર્ચા થતી રહેતી. બંને ભાઈઓની સાથે સાથે સારા મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. એટલું જ નહીં, મોત પણ તેમને એકસાથે આવ્યું. રાજ અને યશના મોતથી પડોશીઓ પણ શોકમાં છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરની સાંજે મોરબીમાં મચ્છુ નદીનો ઝૂલતો પુલ એકાએક તૂટી પડતા 135 લોકોના મોત થયા છે. જેમાં રાજ અને યશનો પણ સમાવેશ થાય છે.



કંઈપણ ખાતો-પીતો નથી

રાજ અને યશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાની હાલત ખરાબ છે, જ્યારે તેમના મિત્ર પણ ઘરનું વાતાવરણ જોઈને પરેશાન છે. તે કદાચ કંઈ બોલી શકતો નથી, પરંતુ તેને ખ્યાલ છે કે કંઈક ખોટું છે. તે એક બાજુ મૌન છે અને બે દિવસથી તેણે કંઈ ખાધું-પીધું નથી. તે રાજ અને યશના પાછા ફરવાની રાહ જુએ છે, તે હકીકતથી અજાણ છે કે તેની રાહ ક્યારેય સમાપ્ત નહીં થાય.


યશના પાછા આવવાની જોવાતી રાહ

રાજના પિતાએ કહ્યું, 'ડોગે છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તે તેણે ખવડાવતો હતો. અમે તેને બિસ્કિટ આપ્યા પરંતુ તે આમ જ પડ્યા છે. ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને યશની તસવીરને માળા પહેરાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને ભાઈઓ અવારનવાર મચ્છુ નદીમાં તરવા જતા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.