રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, લૂ-હિટ સ્ટ્રોક, બેભાન થવાના કેસ વધ્યા, 108 ઈમર્જન્સી સર્વિસને મળતાં કોલમાં પણ વધારો થયો


  • Published By :
  • Published Date : 2023-05-15 14:56:39


ઉનાળો કાળઝાળ થાય છે,

પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;

ઉનાળો કાળઝાળ થાય છે.​​


જાણીતા કવિ અનિલ ચાવડાના આ કાવ્યમાં વર્ણવેલી પરિસ્થિતી જેવી જ હાલત અત્યારે છે, ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમીના કારણે લૂ અને હિટ સ્ટ્રોકના કેસમાં ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને એબનોમીનલ પેન, ઉલટી,  અને હાઇ ફીવરને કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108 ઈમર્જન્સી સર્વિસને મળતાં કોલમાં પણ વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં લૂ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાના કેસમાં 108 ઈમર્જન્સી સર્વિસને ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. 


108 ઈમર્જન્સીની કામગીરી વધી


આકાશમાંથી સતત વરસી રહેલી અગનજ્વાળાના કારણે લોકો માટે જીવવું અસહ્ય બન્યું છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલા, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ કારણે જ 108 ઈમર્જન્સી સર્વિસને બે સપ્તાહ અગાઉ સમગ્ર રાજ્યમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા. જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300ને પાર પહોંચ્યા છે.


આગામી 5 દિવસ તાપમાનનો પારો નીચે આવશે


કાળઝાળ ગરમીમાંથી રાહત ક્યારે મળશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે  આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં રવિવારે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આજથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.