ભારે કરી! દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ ગઠિયો પોલીસ વાહન હંકારી ગયો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-28 21:18:15

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ પોતાના વાહનની જ સુરક્ષા ન કરી શકે ત્યારે શું કહેવું? દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું નાક કપાય તેવી ઘટના બની છે. દ્વારકા પોલિસ મથકના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ સમાચાર સામે આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની જબરદસ્ત ફજેતી થઈ છે. હવે લોકોમાં સવાલ એ થઈ રહ્યો છે કે આ પોલીસ પ્રજાનું શું રક્ષણ કરશે?


કઈ રીતે ચોરાઈ? 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકા પોલિસ મથક ના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસ ની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો  દ્વારકા પોલીસ મથક માંથી જ પોલીસની ગાડી ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અહીં પોલીસની ઝબકતી લાઈટો વાળી ગાડી લઈને એક શખ્સ ભાગ્યો હતો. દ્વારકા જિલ્લા.પોલીસ દ્વારા ગાડી અને આરોપી ને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દ્વારકાથી પોલીસની જ ગાડી ચોરી થયા બાદ આ ગાડી દ્વારકા થી નજીક આવેલ કુરંગા ટોલ અને બાદમાં ખંભાળિયા ટોલ નાકા પરથી પસાર થઈ હતી અને જામનગર તરફ જતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું ત્યારે દ્વારકા જિલ્લા SOG અને જામનગર જિલ્લા LCBની ટિમ દ્વારા બોલેરો કારને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. 


કોણ છે ચોર?


જામનગર પોલીસે બોલેરો સાથે ચોર વિરપાલસિંહ ભૂપતસિંહ જાડેજા (રહે. ખંઢેરા, કાલાવાડ)ને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વિરપાલસિંહના મોબાઈલ ફોનમાંથી દ્વારકા જિલ્લા પોલીસની બોલેરો જીપ સાથેની રાત અને સવારના પાડેલી બે સેલ્ફી ફોટો (Selfie Photo) મળી આવ્યા છે. આરોપી નશાની આદતવાળો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ચોરી કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.