ભારે કરી! દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ ગઠિયો પોલીસ વાહન હંકારી ગયો, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-28 21:18:15

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમના શિરે છે તે પોલીસ પોતાના વાહનની જ સુરક્ષા ન કરી શકે ત્યારે શું કહેવું? દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનું નાક કપાય તેવી ઘટના બની છે. દ્વારકા પોલિસ મથકના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ સમાચાર સામે આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની જબરદસ્ત ફજેતી થઈ છે. હવે લોકોમાં સવાલ એ થઈ રહ્યો છે કે આ પોલીસ પ્રજાનું શું રક્ષણ કરશે?


કઈ રીતે ચોરાઈ? 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકા પોલિસ મથક ના કમ્પાઉન્ડમાં રહેલ પોલીસ ની જ બોલેરો કારની ચોરી કરી એક અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો  દ્વારકા પોલીસ મથક માંથી જ પોલીસની ગાડી ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી અહીં પોલીસની ઝબકતી લાઈટો વાળી ગાડી લઈને એક શખ્સ ભાગ્યો હતો. દ્વારકા જિલ્લા.પોલીસ દ્વારા ગાડી અને આરોપી ને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી દ્વારકાથી પોલીસની જ ગાડી ચોરી થયા બાદ આ ગાડી દ્વારકા થી નજીક આવેલ કુરંગા ટોલ અને બાદમાં ખંભાળિયા ટોલ નાકા પરથી પસાર થઈ હતી અને જામનગર તરફ જતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું ત્યારે દ્વારકા જિલ્લા SOG અને જામનગર જિલ્લા LCBની ટિમ દ્વારા બોલેરો કારને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. 


કોણ છે ચોર?


જામનગર પોલીસે બોલેરો સાથે ચોર વિરપાલસિંહ ભૂપતસિંહ જાડેજા (રહે. ખંઢેરા, કાલાવાડ)ને ઝડપી લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર વિરપાલસિંહના મોબાઈલ ફોનમાંથી દ્વારકા જિલ્લા પોલીસની બોલેરો જીપ સાથેની રાત અને સવારના પાડેલી બે સેલ્ફી ફોટો (Selfie Photo) મળી આવ્યા છે. આરોપી નશાની આદતવાળો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરી ચોરી કરવાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.