અમદાવાદ: જીવરાજ પાર્કની અવધ આર્કેડ બિલ્ડીંગમાં ભયાનક આગ, 4 લોકોનું રેસ્ક્યૂ


  • Published By :
  • Published Date : 2023-08-16 14:48:50

અમદાવાદની વધુ એક બિલ્ડીંગમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી હતી. શહેરના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ નજીકની અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં આગ લાગતા રહિશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


4 લોકોનું રેસ્ક્યૂ 


અવધ આર્કેડ બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે. બિલ્ડિંગમાં આગ લાગતાં હોટલમાં રહેલા લોકો ફસાયા છે. આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠતા નાસભાગ મચી હતી. જ્યારે બિલ્ડિંગમાં રહેલા લોકો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગમાં હોટલ હોવાને લીધે ગેસ લિકેજ અથવા શોર્ટસર્કિટ થવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે