અમદાવાદ: જીવરાજ પાર્કની અવધ આર્કેડ બિલ્ડીંગમાં ભયાનક આગ, 4 લોકોનું રેસ્ક્યૂ


  • Published By :
  • Published Date : 2023-08-16 14:48:50

અમદાવાદની વધુ એક બિલ્ડીંગમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી હતી. શહેરના જીવરાજ પાર્કમાં આવેલ સેલ પેટ્રોલ પંપ નજીકની અવધ આર્કેડ બિલ્ડીંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં આગ લાગતા રહિશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ અને અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા છે. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અવધ આર્કેડમાં હોટલ અને ગાડીનો શોરૂમ આવેલો છે. લોકો ફસાયા હોવાની પણ વાત સામે આવી છે, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


4 લોકોનું રેસ્ક્યૂ 


અવધ આર્કેડ બિલ્ડીંગના પ્રથમ માળ પરથી ધૂમાળાના ગોટાગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની 10 ગાડી આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યાં છે. ફાયરની ટીમ ઓક્સિજન માસ્ક પહેરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક સિડીની મારફતે કુલ 4 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં 3 મહિલાઓ છે. જો હજુ પણ ધૂમાડો વધારે હોવાથી આગ બુજાવવામાં મુશ્કેલી આવી રહી છે. બિલ્ડિંગમાં આગ લાગતાં હોટલમાં રહેલા લોકો ફસાયા છે. આગને કારણે ધુમાડાના ગોટેગોટા ઉઠતા નાસભાગ મચી હતી. જ્યારે બિલ્ડિંગમાં રહેલા લોકો બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગમાં હોટલ હોવાને લીધે ગેસ લિકેજ અથવા શોર્ટસર્કિટ થવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.