અનેક રાજ્યોમાં થશે મેઘરાજાની જમાવટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:25:41

દેશભરમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. દેશના અનેક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. 17-18 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જતા ઓડિસામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

53 mm of rain lashes Mahuva, light rain in Gujarat likely during Navratra  festival | Skymet Weather Services

દેશના અનેક રાજ્યોમાં વરસશે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવખત દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઓડિસામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .