Gujaratમાં અતિભારે વરસાદની આગાહી? આ વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો! જુઓ વરસાદી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-15 14:51:05

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેની આગાહી અનુસાર રાજ્યના કોઈ વિસ્તાર માટે રેડ એલર્ટ કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કોઈ વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. એલર્ટ અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. થોડા કલાકની અંદર એટલો બધો વરસાદ વરસ્યો હતો કે પાણી ભરાઈ ગયા છે... દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અનેક જગ્યાઓ પર સર્જાઈ પૂર જેવી સ્થિતિ

સુરતના ઉમરપાડામાં જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તે સિવાય નર્મદામાં પણ સ્થિતિ એવી જ છે.. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આંનદ છે. 



જનજીવન પર વરસાદને કારણે ગંભીર અસર 

હવે વાત કરીએ ભરૂચની તો નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે. 




ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM,દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM,ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે રાજ્યના દક્ષિણના ભાગોમાં અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડશે તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કોમેન્ટમાં જાણવો!



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."