Gujaratમાં અતિભારે વરસાદની આગાહી? આ વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો! જુઓ વરસાદી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-15 14:51:05

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેની આગાહી અનુસાર રાજ્યના કોઈ વિસ્તાર માટે રેડ એલર્ટ કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કોઈ વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. એલર્ટ અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. થોડા કલાકની અંદર એટલો બધો વરસાદ વરસ્યો હતો કે પાણી ભરાઈ ગયા છે... દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અનેક જગ્યાઓ પર સર્જાઈ પૂર જેવી સ્થિતિ

સુરતના ઉમરપાડામાં જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તે સિવાય નર્મદામાં પણ સ્થિતિ એવી જ છે.. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આંનદ છે. 



જનજીવન પર વરસાદને કારણે ગંભીર અસર 

હવે વાત કરીએ ભરૂચની તો નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે. 




ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM,દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM,ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે રાજ્યના દક્ષિણના ભાગોમાં અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડશે તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કોમેન્ટમાં જાણવો!



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.