Gujaratમાં અતિભારે વરસાદની આગાહી? આ વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો! જુઓ વરસાદી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-15 14:51:05

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેની આગાહી અનુસાર રાજ્યના કોઈ વિસ્તાર માટે રેડ એલર્ટ કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કોઈ વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. એલર્ટ અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. થોડા કલાકની અંદર એટલો બધો વરસાદ વરસ્યો હતો કે પાણી ભરાઈ ગયા છે... દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અનેક જગ્યાઓ પર સર્જાઈ પૂર જેવી સ્થિતિ

સુરતના ઉમરપાડામાં જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તે સિવાય નર્મદામાં પણ સ્થિતિ એવી જ છે.. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આંનદ છે. 



જનજીવન પર વરસાદને કારણે ગંભીર અસર 

હવે વાત કરીએ ભરૂચની તો નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે. 




ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM,દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM,ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે રાજ્યના દક્ષિણના ભાગોમાં અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડશે તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કોમેન્ટમાં જાણવો!



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.