Gujaratમાં અતિભારે વરસાદની આગાહી? આ વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળ્યો! જુઓ વરસાદી દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-15 14:51:05

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજ માટે હવામાન વિભાગે આગાહી કરી છે તેની આગાહી અનુસાર રાજ્યના કોઈ વિસ્તાર માટે રેડ એલર્ટ કોઈ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે કોઈ વિસ્તાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.. એલર્ટ અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. થોડા કલાકની અંદર એટલો બધો વરસાદ વરસ્યો હતો કે પાણી ભરાઈ ગયા છે... દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અનેક જગ્યાઓ પર સર્જાઈ પૂર જેવી સ્થિતિ

સુરતના ઉમરપાડામાં જ્યાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. ઉમરપાડામાં વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  તે સિવાય નર્મદામાં પણ સ્થિતિ એવી જ છે.. નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડૂતો કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આંનદ છે. 



જનજીવન પર વરસાદને કારણે ગંભીર અસર 

હવે વાત કરીએ ભરૂચની તો નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે. વિવિધ માર્ગો પણ બંધ થયા છે. 




ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM,દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM,ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે રાજ્યના દક્ષિણના ભાગોમાં અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ પડશે તો તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કોમેન્ટમાં જાણવો!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.