અમદાવાદમાં થઈ મેઘમહેર! અનેક જગ્યાઓ પર ભરાયા વરસાદી પાણી, વરસાદે ખોલી પ્રિ-મોનસુનની પોલ?


  • Published By :
  • Published Date : 2023-07-01 14:13:18

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ધમાકેદાર બેટિંગ કરી લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. અનેક જિલ્લાઓ તેમજ અનેક ગામોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ મહાનગરોની પરિસ્થિતિ પણ આવી જ હતી. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કુદરતે અનેક વખત તંત્રના દાવાને ખોટા સાબિત કર્યા છે.

 

Image

Image

Image

અમદાવામાં ઠેર ઠેર ભરાયા હતા પાણી 

તેમજ અમદાવાદનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મેઘમહેર જોવા ના થઈ હોય. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એક તરફ વરસાદ હતો તો બીજા તરફ ટ્રાફિકને કારણે લોકો વધારે મજબૂર બન્યા હતા. અનેક અંદરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા.

 

ahmedabad rain, monsoon 2023


અમદાવાદમાં સમી સાંજે બારે મેઘ ખાંગાં, સર્વત્ર થયું પાણી જ પાણી

ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા પર ફસાયા      

અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ મેઘમહેર મેઘકહેરમાં પ્રવર્તિ ઉઠી હતી. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે વરસાદ થતાં નોકરી કરી ઘરે પરત ફરતી વખતે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હવે જાણીયે રાતના 9 વાગ્યા સુધી અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો હતો. તમામ આંકડા મી.મીમાં છે. 

 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.