અમદાવાદમાં થઈ મેઘમહેર! અનેક જગ્યાઓ પર ભરાયા વરસાદી પાણી, વરસાદે ખોલી પ્રિ-મોનસુનની પોલ?


  • Published By :
  • Published Date : 2023-07-01 14:13:18

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ધમાકેદાર બેટિંગ કરી લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. અનેક જિલ્લાઓ તેમજ અનેક ગામોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ મહાનગરોની પરિસ્થિતિ પણ આવી જ હતી. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કુદરતે અનેક વખત તંત્રના દાવાને ખોટા સાબિત કર્યા છે.

 

Image

Image

Image

અમદાવામાં ઠેર ઠેર ભરાયા હતા પાણી 

તેમજ અમદાવાદનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મેઘમહેર જોવા ના થઈ હોય. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એક તરફ વરસાદ હતો તો બીજા તરફ ટ્રાફિકને કારણે લોકો વધારે મજબૂર બન્યા હતા. અનેક અંદરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા.

 

ahmedabad rain, monsoon 2023


અમદાવાદમાં સમી સાંજે બારે મેઘ ખાંગાં, સર્વત્ર થયું પાણી જ પાણી

ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા પર ફસાયા      

અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ મેઘમહેર મેઘકહેરમાં પ્રવર્તિ ઉઠી હતી. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે વરસાદ થતાં નોકરી કરી ઘરે પરત ફરતી વખતે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હવે જાણીયે રાતના 9 વાગ્યા સુધી અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો હતો. તમામ આંકડા મી.મીમાં છે. 

 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.