અમદાવાદમાં થઈ મેઘમહેર! અનેક જગ્યાઓ પર ભરાયા વરસાદી પાણી, વરસાદે ખોલી પ્રિ-મોનસુનની પોલ?


  • Published By :
  • Published Date : 2023-07-01 14:13:18

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ધમાકેદાર બેટિંગ કરી લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. અનેક જિલ્લાઓ તેમજ અનેક ગામોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ મહાનગરોની પરિસ્થિતિ પણ આવી જ હતી. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કુદરતે અનેક વખત તંત્રના દાવાને ખોટા સાબિત કર્યા છે.

 

Image

Image

Image

અમદાવામાં ઠેર ઠેર ભરાયા હતા પાણી 

તેમજ અમદાવાદનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મેઘમહેર જોવા ના થઈ હોય. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એક તરફ વરસાદ હતો તો બીજા તરફ ટ્રાફિકને કારણે લોકો વધારે મજબૂર બન્યા હતા. અનેક અંદરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા.

 

ahmedabad rain, monsoon 2023


અમદાવાદમાં સમી સાંજે બારે મેઘ ખાંગાં, સર્વત્ર થયું પાણી જ પાણી

ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા પર ફસાયા      

અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ મેઘમહેર મેઘકહેરમાં પ્રવર્તિ ઉઠી હતી. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે વરસાદ થતાં નોકરી કરી ઘરે પરત ફરતી વખતે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હવે જાણીયે રાતના 9 વાગ્યા સુધી અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો હતો. તમામ આંકડા મી.મીમાં છે. 

 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.