અમદાવાદમાં થઈ મેઘમહેર! અનેક જગ્યાઓ પર ભરાયા વરસાદી પાણી, વરસાદે ખોલી પ્રિ-મોનસુનની પોલ?


  • Published By :
  • Published Date : 2023-07-01 14:13:18

ગુજરાતમાં તેમજ અમદાવાદમાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. ધમાકેદાર બેટિંગ કરી લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધા હતા. અનેક જિલ્લાઓ તેમજ અનેક ગામોમાંથી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ મહાનગરોની પરિસ્થિતિ પણ આવી જ હતી. અમદાવાદને આમ તો સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદને લઈ અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કુદરતે અનેક વખત તંત્રના દાવાને ખોટા સાબિત કર્યા છે.

 

Image

Image

Image

અમદાવામાં ઠેર ઠેર ભરાયા હતા પાણી 

તેમજ અમદાવાદનો એવો એક પણ વિસ્તાર નહીં હોય જ્યાં મેઘમહેર જોવા ના થઈ હોય. અમદાવાદમાં વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. એક તરફ વરસાદ હતો તો બીજા તરફ ટ્રાફિકને કારણે લોકો વધારે મજબૂર બન્યા હતા. અનેક અંદરપાસ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, માણેકબાગ, સેટેલાઈટ, જમાલપુર, એલિસબ્રિજ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતા પાણી ભરાઈ ગયા હતા.

 

ahmedabad rain, monsoon 2023


અમદાવાદમાં સમી સાંજે બારે મેઘ ખાંગાં, સર્વત્ર થયું પાણી જ પાણી

ટ્રાફિક જામને કારણે લોકો રસ્તા પર ફસાયા      

અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. પરંતુ મેઘમહેર મેઘકહેરમાં પ્રવર્તિ ઉઠી હતી. જોધપુર, સેટેલાઈટ, શ્યામલ, પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. બોપલ, થલતેજ, સોલા, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, સિંધુભવન, પકવાન ચાર રસ્તા, એસજી હાઇવે, ગુરુદ્વારા, ઉસ્માનપુરા, વાડજ, જમાલપુર, લાલદરવાજા, ખમાસા સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે વરસાદ થતાં નોકરી કરી ઘરે પરત ફરતી વખતે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. હવે જાણીયે રાતના 9 વાગ્યા સુધી અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો હતો. તમામ આંકડા મી.મીમાં છે. 

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.