અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયા પાણી


  • Published By :
  • Published Date : 2023-06-29 13:50:06

અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 24 કલાકમાં ગુજરાતના 186 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના પારડીમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કોતરપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.   

 અમદાવાદમાં કેટલાક ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારના 6થી 12ના ગાળામાં શહેરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ઉત્તર ઝોનમાં થયો છે. આ ઝોનમાં કોતરપુરમાં સૌથી વધુ 93mm વરસાદ નોંધાયો છે.





આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

ગુજરાતમાં ભલે મોડે મોડે પણ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. થોડા દિવસોથી વરસી રહેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો તે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં અમદાવાદની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 


અનેક જગ્યાઓ પર ભરાયા પાણી 

વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  એરપોર્ટ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. તે ઉપરાંત શાહીબાગમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.