અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયા પાણી


  • Published By :
  • Published Date : 2023-06-29 13:50:06

અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 24 કલાકમાં ગુજરાતના 186 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના પારડીમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કોતરપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.   

 અમદાવાદમાં કેટલાક ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારના 6થી 12ના ગાળામાં શહેરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ઉત્તર ઝોનમાં થયો છે. આ ઝોનમાં કોતરપુરમાં સૌથી વધુ 93mm વરસાદ નોંધાયો છે.





આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

ગુજરાતમાં ભલે મોડે મોડે પણ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. થોડા દિવસોથી વરસી રહેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો તે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં અમદાવાદની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 


અનેક જગ્યાઓ પર ભરાયા પાણી 

વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  એરપોર્ટ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. તે ઉપરાંત શાહીબાગમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.