અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયા પાણી


  • Published By :
  • Published Date : 2023-06-29 13:50:06

અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 24 કલાકમાં ગુજરાતના 186 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના પારડીમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કોતરપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.   

 અમદાવાદમાં કેટલાક ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારના 6થી 12ના ગાળામાં શહેરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ઉત્તર ઝોનમાં થયો છે. આ ઝોનમાં કોતરપુરમાં સૌથી વધુ 93mm વરસાદ નોંધાયો છે.





આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

ગુજરાતમાં ભલે મોડે મોડે પણ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. થોડા દિવસોથી વરસી રહેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો તે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં અમદાવાદની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 


અનેક જગ્યાઓ પર ભરાયા પાણી 

વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  એરપોર્ટ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. તે ઉપરાંત શાહીબાગમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.