દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. અનેક લોકોનું કરાયું સ્થાળાંતર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:52:17

દેશભરમાં વરસાદી માહોલ જામ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ મેઘરાજા વરસી શકે છે. ભારે વરસાદને કારણે તેલંગાણા, કેરળમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

નદી કિનારે વસતા લોકોનું કરાયું સ્થાળાંતર

ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓની જળસપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા અનેક ગામડાને ખાલી કરવામાં આવી રહ્યા છે.  સ્થાનિક લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેલંગાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાનહાની ન થાય તે માટે લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.

Indian Army Carries Out Relief and Rescue Operations in Flood-Hit Areas of  Madhya Pradesh; Evacuates Over 700 People | The Weather Channel

વરસાદે  સર્જી તારાજી  

વાવાઝોડાને કારણે અનેક મકાનોને પણ ભારે નુકાન થયું છે. ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાઈ થયા છે. કેરળમાં પણ ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. વીજળી પડવાની ઘટનાને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન ખોરવાઈ ગયા છે. લોકોના જીવ બચાવવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.