દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. અનેક લોકોનું કરાયું સ્થાળાંતર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 10:52:17

દેશભરમાં વરસાદી માહોલ જામ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે વસતા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં પણ મેઘરાજા વરસી શકે છે. ભારે વરસાદને કારણે તેલંગાણા, કેરળમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

નદી કિનારે વસતા લોકોનું કરાયું સ્થાળાંતર

ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓની જળસપાટી ભયજનક સ્થિતિએ પહોંચતા અનેક ગામડાને ખાલી કરવામાં આવી રહ્યા છે.  સ્થાનિક લોકોને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેલંગાણા, કેરળ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જાનહાની ન થાય તે માટે લોકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે.

Indian Army Carries Out Relief and Rescue Operations in Flood-Hit Areas of  Madhya Pradesh; Evacuates Over 700 People | The Weather Channel

વરસાદે  સર્જી તારાજી  

વાવાઝોડાને કારણે અનેક મકાનોને પણ ભારે નુકાન થયું છે. ભારે પવન ફૂંકાતા અનેક ઝાડ ધરાશાઈ થયા છે. કેરળમાં પણ ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. વીજળી પડવાની ઘટનાને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન ખોરવાઈ ગયા છે. લોકોના જીવ બચાવવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહી છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.