જો જો હો! આ જિલ્લાના લોકો રેઈનકોટ લઈને ઘરની બહાર નીકળજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:38:40



બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી. આજના દિવસે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે 7 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે. 


આટલા જિલ્લામાં ભારે વરસાદ પડશે હો!

સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં યલો અલર્ટ એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય 24 જિલ્લામાં નો વોર્નિંગ છે એટલે કે 24 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીંવત જણાય છે.   


હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો હતો. આજની આગાહી મુજબ પણ ગુજરાતના 9 જેટલા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. નવસારી અને વલસાડના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાનની આગાહીના લીધે લોકોએ સાવચેતી રાખવી. 


 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.