જો જો હો! આ જિલ્લાના લોકો રેઈનકોટ લઈને ઘરની બહાર નીકળજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:38:40



બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી. આજના દિવસે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે 7 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે. 


આટલા જિલ્લામાં ભારે વરસાદ પડશે હો!

સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં યલો અલર્ટ એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય 24 જિલ્લામાં નો વોર્નિંગ છે એટલે કે 24 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીંવત જણાય છે.   


હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો હતો. આજની આગાહી મુજબ પણ ગુજરાતના 9 જેટલા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. નવસારી અને વલસાડના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાનની આગાહીના લીધે લોકોએ સાવચેતી રાખવી. 


 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.