જો જો હો! આ જિલ્લાના લોકો રેઈનકોટ લઈને ઘરની બહાર નીકળજો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 14:38:40



બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત હવામાન વિભાગે 13 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરી હતી. આજના દિવસે નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે જ્યારે 7 જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરાયું છે. 


આટલા જિલ્લામાં ભારે વરસાદ પડશે હો!

સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં યલો અલર્ટ એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય 24 જિલ્લામાં નો વોર્નિંગ છે એટલે કે 24 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીંવત જણાય છે.   


હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો હતો. આજની આગાહી મુજબ પણ ગુજરાતના 9 જેટલા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. નવસારી અને વલસાડના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાનની આગાહીના લીધે લોકોએ સાવચેતી રાખવી. 


 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .