રાજ્યના 104 તાલુકામાં મેઘો મંડાણો, આગામી 5 દિવસ થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-09-08 20:34:18

રાજ્યમાં ફરી એક વખત મેઘો મંડાતા સર્વત્ર ખુશીનો માહોલ છે, લાંબા વિરામ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે. આ સાથે જ રાજ્યની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવમાન વિભાગ દ્વારા પણ આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના  છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદ વરસી શકે છે.


રાજ્યના આ જિલ્લામાં થઈ મેઘ મહેર


છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ વરસાદ કાબક્યો છે. મહેસાણા,મહીસાગર,વલસાડ, બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણા શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.


આગામી બે દિવસ અતિભારે વરસાદ 


આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.


આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


રાજ્ય હવમાન વિભાગ દ્વારા નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત અને નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા,  છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.