રાજ્યના 104 તાલુકામાં મેઘો મંડાણો, આગામી 5 દિવસ થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-09-08 20:34:18

રાજ્યમાં ફરી એક વખત મેઘો મંડાતા સર્વત્ર ખુશીનો માહોલ છે, લાંબા વિરામ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે. આ સાથે જ રાજ્યની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવમાન વિભાગ દ્વારા પણ આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના  છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદ વરસી શકે છે.


રાજ્યના આ જિલ્લામાં થઈ મેઘ મહેર


છેલ્લા 12 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યાં જ રાજ્યના 5 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના સુબિર, આહવામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધરમપુર, ઉચ્છલમાં 2.5 ઈંચ વરસાદ. માંગરોળમાં 2 ઈંચ, વાંસદા, વઘઈ, સોનગઢ, ચીખલીમાં 1.5 ઈંચ વરસાદ કાબક્યો છે. મહેસાણા,મહીસાગર,વલસાડ, બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. મહેસાણા શહેરમાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.


આગામી બે દિવસ અતિભારે વરસાદ 


આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઇ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.


આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ અને યલો એલર્ટ


રાજ્ય હવમાન વિભાગ દ્વારા નવસારી, ડાંગ, તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત અને નર્મદા, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, વડોદરા,  છોટાઉદેપુર, દાહોદમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.