રાજ્યમાં આગામી 5 દિવસ મેઘરાજા કરશે તોફાની બેટીંગ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-28 17:29:31

રાજ્યમાં મેઘ મહેરને લઈને ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે. આ સાથે જ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. જ્યારે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ પડ્યો છે. 


આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 


આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ


સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકના હવામાન અંગે આગાહી કરીને હવામાન વિભાગ જણાવે છે કે, ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ સમયગાળા પછી કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની સંભાવના આજના દિવસ માટે આપવામાં આવી છે તેમાં છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે ઉપરાંત અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. પંચમહાલ, વલસાડ, દાહોદ, ભરૂચ, વડોદરા, દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્તાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.


45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ખેડા, આણંદ, તાપી, ડાંગ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ શક્યતાઓ છે. હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન દરિયામાં 45-55 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે પવનો ફૂંકાશે અને દરિયમાં ભારે હલચલ થાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે જેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.