રાજ્યમાં આગામી 5 દિવસ મેઘરાજા કરશે તોફાની બેટીંગ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-28 17:29:31

રાજ્યમાં મેઘ મહેરને લઈને ફરી એક વખત હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાનના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે. આ સાથે જ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. જ્યારે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં હાલ સિઝનનો 85 ટકા વરસાદ પડ્યો છે. 


આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 


આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ


સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકના હવામાન અંગે આગાહી કરીને હવામાન વિભાગ જણાવે છે કે, ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ સમયગાળા પછી કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની સંભાવના આજના દિવસ માટે આપવામાં આવી છે તેમાં છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે ઉપરાંત અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. પંચમહાલ, વલસાડ, દાહોદ, ભરૂચ, વડોદરા, દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્તાઓ જોવા મળી રહી છે. આ સાથે જ ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.


45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ખેડા, આણંદ, તાપી, ડાંગ, અને સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ શક્યતાઓ છે. હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન દરિયામાં 45-55 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે પવનો ફૂંકાશે અને દરિયમાં ભારે હલચલ થાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે જેને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.