ભારે વરસાદે ભરૂચમાં મચાવી તબાહી, લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે કલેક્ટર આવ્યા આગળ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 17:10:33

ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આગામી દિવસો દરમિયાન પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નર્મદા ડેમમાં પાણી આવવાને કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. ડેમનું  પાણી રસ્તાઓ પર દેખાચું હતું. નર્મદા ડેમનું જળસ્તર વધવાને કારણે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચમાં ભારે વરસાદને કારણે લોકો ઘરની બહાર નથી નિકળી શકતા. લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર મદદે આવ્યા છે. ભરૂચના કલેક્ટરે પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવા પહોંચ્યા હતા.      

અનેક લોકોનું કરાયું સ્થળાંતર તો અમુક લોકો ફસાયા વરસાદી પાણીમાં 

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ભાદરવો ભરપૂર એવું આપણે ત્યાં કહેવાય છે.ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી પરંતુ સપ્ટેમ્બર મહિનાએ ખેડૂતોની ચિંતા ઘટાડી છે. સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ડેમો પાણીથી છલોછલ ભરાયા છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ પણ પોતાની મહત્તમ જળસપાટી પર પહોંચ્યો છે. ડેમમાં પાણીની આવક થતાં અનેક ગામોને એલર્ટ કરાયા છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ અત્યંત ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ભરૂચમાં પણ વરસાદે તબાહી મચાવી છે.     


જિલ્લા કલેક્ટરે કર્યું ફૂડ પેકેટનું વિતરણ

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આવનારા દિવસો દરમિયાન વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણી ભરાવવાને કારણે લોકો ઘરની બહાર નિકળી નથી શકતા. ત્યારે લોકો સુધી જમવાનું પહોંચે તે માટે ફૂડ પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે. ભરૂચમાં જિલ્લા કલેક્ટરે વરસાદથી પ્રભાવિત લોકોને ફૂડ પેકેટ આપ્યા હતા. રાહત કાર્ય માટે કલેક્ટર મદદે આવ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.